SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ છે. તારૂં આ વિરૂપ કર્યું છે તે તારા રક્ષણ માટે કર્યું છે. કારણ કે તારા શત્રુઓ અનેક રહ્યા છે. આ નળ રૂપથી તને જાણીને ઉપદ્રવ ક૨શે, એ બીકથી મેં તારૂં દિવ્ય પ્રભાવથી કદરૂપું રૂપ બનાવ્યું છે. તું ચિંતા કર નહિ, હમણાં તું મરવા માટે કે દીક્ષા લેવા માટે તૈયાર ન થા.” હે વત્સ ! જ્યારે તારો દીક્ષાનો અવસર આવશે, ત્યારે હું તને નિમિત્તજ્ઞની જેમ જણાવીશ. આથી તું સ્વસ્થ થા અને આ કરંડીયાને અને શ્રીફળ (દિવ્ય)ને આપું છું તે લે, આ બેનું તું પ્રયત્નપૂર્વક રક્ષણ કરજે. જ્યારે તને તારૂં મૂળ સ્વરૂપ પ્રગટ કરવાની ઇચ્છા થાય ત્યારે દિવ્ય ફળને તોડીને દિવ્ય વસ્ત્ર ખેંચી કાઢજે. તેવી રીતે આ કરંડીયામાંથી પૂર્ણહાર, અર્ધહાર આદિ આભૂષણોને લઈને પહેરી લેજે. તારૂં તે જ ક્ષણે દિવ્ય નળરૂપ થઈ જશે. એમ કહીને દેવ તે બે વસ્તુ આપીને ફરી બોલ્યા : “તું વનમાં આમતેમ શા માટે ભમે છે. જ્યાં તારી ઇચ્છા હોય ત્યાં કહે, તો એક ક્ષણવારમાં તને મૂકી દઉં.'' નળે કહ્યું : “હે તાત ! તો તમે સુસુમારપુરે લઈ જાઓ.’” દેવે કહ્યું : ‘‘હું તને રાજ્યાદિ આપું.” પરંતુ હું શું કરૂં ? તારૂં પૂર્વે કરેલું કર્મ કોઈપણ ઉલ્લંઘવા (તોડવા) સમર્થ નથી. એમ કહીને દેવે ત્યાંથી ઉપાડીને નળને સુસુમારપુરના દ્વાર પર લાવી મૂક્યો અને દેવ જાતે સ્વર્ગમાં ચાલી ગયો. પછી નળે જ્યાં નગરમાં પ્રવેશ કર્યો, તેટલામાં તે નગરીમાં મોટો કોલાહલ મચ્યો. ભાગી જાઓ, ભાગી જાઓ, એ પ્રમાણે પ્રાસાદના શિખરના ઝરૂખામાં રહેલા બધા લોકો જોરજોરથી પોકાર કરે છે. નળ વિચારે છે, આ લોકો શા માટે બૂમો પાડે છે. એ પ્રમાણે જ્યાં વિચારે છે, તેટલામાં એક હાથી બીજા હાથીની ભ્રાન્તિ (કલ્પના)થી પોતાના પડછાયા ઉપર પ્રહારને કરતો, આકાશમાં ઉડતાં પક્ષીઓના સમૂહને સૂંઢ વડે પકડતો, મઠ અઢાલશાલા, અટ્ટ મંદિર વગેરેને તોડતો, બગીચાના વૃક્ષોને પાડતો, કિલ્લાના કાંગરા આદિ ઉપર રહેલા પુરુષો વડે જોવાતો, યમના જવો ચિકત થયેલી મોટી આંખો (ગભરાટ) વડે લોકોથી જોવાતો વૃક્ષ પરથી કૂદેલા મહાવતોને મારતો, બાલ, સ્ત્રી, વૃદ્ધ આદિઓને ત્રાસ પમાડતો, સૂ... સ્... અવાજ કરતા પવનની જેમ ફૂત્કારા અને સીસકારા કરતો, સિંદૂરથી ભરેલા મસ્તકને કમ્પાવવા વડે દિશાઓને લાલ રંગવાળી કરતો, સાત હાથ ઊંચા એવા હાથીને જોઈને નળે ચિંતવ્યુ, સાચે જ આ હાથીના ભયથી બધા લોકો અહીં તહીં નાસી રહ્યા છે. હાથીની પાછળ તે નગરનો રાજા દધિપર્ણ ઘોડા પર બેઠેલો સૈન્યથી પિરવરેલો મોટા અવાજે આ પ્રમાણે વાણી બોલ્યો : ‘‘હે લોકો ! કોઈપણ આ હાથીને વશમાં લાવશે, પકડશે, તેને હું મનને ગમતાં પાંચસો ગામ આપીશ.” એ પ્રમાણે વારંવાર પોકારતા એવા રાજાને જોઈને હાથીને પકડવા માટે મરણના ભયથી હાથીની સામે કોઈપણ જતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy