SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૧૨૪] સર્ગ - ૬ મને દુઃસહ્ય બનશે. એના સુકોમળ અંગના દુઃખને જોવા માટે હું સમર્થ નહિ થાઉં. કારણ કે આ માર્ગમાં જતાં થાકેલી હોવા છતાં પણ મારી સેવાને છોડતી નથી. વળી તે મને છોડીને પિતાના ઘરે મોકલવા છતાં પણ જતી નથી. વળી એને પિતાના ઘેર જવાની ઝંખના પણ નથી. પહેલાં ચતુરગિણિ સેના સાથે દમયંતીને પરણવા માટે હું ગયો હતો. હવે મારી આવા પ્રકારની અવસ્થાને હાલ સાસરામાં કેવી રીતે બતાવું ? કહ્યું છે કે – “કંજૂસ અને સસરાના ઘરમાં રહેલા મનુષ્યોનું પિતાના નામ સાથે પોતાનું માન (મોટાઈપણું) જતું રહે છે. પોતાના નામે ઓળખાય તે ઉત્તમ, બાપના નામે ઓળખાય તે મધ્યમ, સસરાના નામે ઓળખાય તે અધમ અને ઘરજમાઈ તરીકે ઓળખાય તે અધમાધમ.” દમયંતી કદાચ પિતાના ઘરે જાય તો મને કોઈપણ પ્રકારની ચિંતા ન થાય, તો હવે આને કોઈપણ સ્થાને મૂકીને પછી ચિંતા વગરનો સ્વસ્થ ચિત્તવાળો હું ગમે ત્યાં કોઈના સાંનિધ્યમાં ગમે તે રીતે કાળને પસાર કરીશ. જો આ પોતાના સ્થાને (પિતાના ઘરે) રહે ત્યારે મારો કોઈપણ શત્રુથી પરાભવ નહિ થાય તો આને કોઈપણ જાતના ઉપાય વડે કરીને વનમાં છોડી દઉં. જેથી કરીને આ એકલી પિતાના ઘરે ચાલી જશે. આનો સર્વથા મારાથી નિર્વાહ કરી શકાય તેમ નથી. ફાયરના હાથમાં તલવારની જેમ મારી પાસે રહે તે સારું નહિ. તેને કપટથી ઠગીને છોડી દઉં, તે જ ઉચિત છે. હવે નજીકમાં સૂતેલી દમયંતી ચંચળ ચિત્તવાળા તે નળને જોઈને વિરહથી ડરેલી ઇંગિત આકારોને જાણનારી, એ ઇંગિત આકારથી જાણીને ચિંતવે છે. નિશ્ચિત આ નળ મને છોડીને ચાલ્યા જશે. મારું જમણું નેત્ર વારંવાર ફરકે છે. તેથી હું જાણું છું કે મને સર્વથા પતિનો વિરહ થશે. હા ! હા ! હું હણાઈ છું. પતિ વિના હું શું કરીશ ? એ પ્રમાણે ચંચળ ચિત્તવાળી તે પણ શયનમાં સૂઈ ગઈ. પત્નીની આવી વ્યાકુળતાને જોઈને નળ બોલ્યો : “હે પ્રિયે ! હું નળ તને સુખપૂર્વક સૂતેલી મૂકીને ક્યાંય પણ નહિ જાઉં, તું વિશ્વાસ રાખ. શોકને છોડી દે, નિદ્રાને લે, જાગતો એવો હું તારી રક્ષા કરું છું કરીશ)” ઇત્યાદિ વચનો સાંભળીને નળે પહેરેલ કપડાંને નીચે પાથરીને સૂતાની સાથે જ તે સૂઈ ગઈ. નળ પણ તેની નજીકમાં સુખપૂર્વક સૂઈ ગયો. ત્યાં સૂઈ રહેલા બંને જણા આ પ્રમાણે શોભી રહ્યા છે. “એક છીપમાં ઉત્પન્ન થયેલા બે મોતીઓની જેમ એક વસ્ત્રમાં સૂઈ રહેલું તે યુગલ (નળ અને દમયંતી) શોભી રહ્યું છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy