SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧૨૩ પાંડવ ચિરત્રમ્ હવે એક વસ્ત્રથી ઢંકાયેલ નળ દમયંતીની સાથે માર્ગમાં આગળ ચાલતાં તીવ્ર તરસની પીડાથી સૂકાઈ ગયેલા તાલુ અને હોઠોવાળા નિરાશ વદનવાળા નળે દેવીને કહ્યું : “હે દેવી ! વજ્રથી પણ કઠીન એવો હું માર્ગમાં પગ વડે ચાલતાં ગરમીની પીડાથી દુઃખી થયેલો, સૂકાયેલા કંઠવાળો એક ડગ પણ આગળ જવા (ચાલવા) માટે શક્તિશાળી નથી, તો શિરીષના પુષ્પ જેવી સુકોમલ એવી તું રસ્તામાં મારી સાથે કેવી રીતે ચાલીશ ?'' દમયંતી બોલી : ‘‘હે પ્રાણેશ ! પ્રિયતમાના સંગના સુખમાં સારી રીતે રહેનારી એવી મને દુઃખ શાનું હોય ? આપની સાથે મને કંઈપણ દુઃખ નથી.' એ પ્રમાણેના તેના વચનો સાંભળીને હર્ષ પામેલો નળ પોતાના વસ્ત્રનો છેડો ફાડીને દમયંતીના પગે તે કપડું બાંધ્યુ. અહો ! કેવું મોટું આશ્ચર્ય. પહેલાં દમયંતીના મસ્તક પર વસ્ત્ર હતું, (એટલે કે દમયંતી પાસે ઘણા વસ્ત્રો હતા) ત્યારે હવે પોતાનું કપડું ફાડી ફાડીને પગમાં બાંધ્યું. એ પ્રમાણે તે બંનેય જણા વાર્તાને કરતા માર્ગમાં ચાલે છે. ત્યાં આગળ એક મોટું સરોવર જોયું. ત્યાં બંને જણા સ્નાન કરી શીતલ જલ પીને એક વૃક્ષની નીચે રસ્તાના શ્રમથી સૂઈ ગયા. ત્યાં સુખપૂર્વક સૂતેલી દમયંતીએ નળને કહ્યું : “હે આર્યપુત્ર ! જ્યાં સુધી તમારું ગ્રહબલ અનુકૂળ નથી, ત્યાં સુધી આ દુઃખ છે, ત્યાં સુધી સસરાના ઘરને શોભાવો. એટલે કે મારા પિતાના ઘરે રહો. જો મને પ્રસન્ન કરવા ઇચ્છતા હો તો ભીમ રાજાના (મારા પિતાના) ઘર તરફ ચાલો.' એ પ્રમાણે કોઈપણ રીતે દમયંતીએ ક્રીડાના સમયે પ્રાર્થના કરતાં વિમલકુલમાં ઉત્પન્ન થયેલો રાજાઓમાં તિલક સમાન નળ એકદમ લજ્જાને પામ્યો. પછી તે નળ દમયંતી સાથે રાત્રિની શરૂઆતમાં ઘાસ અને પાનની શય્યામાં સૂઈ ગયો. પછી પશ્ચિમ દિશામાં અડધો સૂર્ય બહાર રહ્યો છે. ત્યારે અંધકારના સમૂહથી છવાઈ રહેલા સકલ વિશ્વમાં પક્ષીઓનો સમૂહ વૃક્ષ પર આવીને બેસી ગયો. ત્યારે ચાર ઇન્દ્રિયવાળા (ચક્ષુરહિત)ની જેમ લોકો પ્રકાશથી વંચિત થયા. તે વખતે દમયંતીની સાથે સૂતેલો નળ વિચારે છે. હું હાલ ક્યાં જાઉં ? મારે દિવસો કેવી રીતે પસાર કરવા. ધન વિનાના લોકોને નિશ્ચિત કાંઈ સાધ્ય નથી અને સાધન કાંઈ પણ હોતું નથી. કહ્યું છે કે :– “ધન વિનાના માણસને દુર્જનો હસે (મશ્કરી કરે) છે. વૈરીઓ વૈર લે છે અને સહાયકો (સ્વજન, મિત્ર વગેરે) છોડી દે છે.’ આથી હવે મારે જીવવાથી શું ? વર્તમાનકાળમાં કપટને જાણનારાઓ મારા શત્રુઓ એકલા એવા મને હણીને દમયંતીને લઈને પોતાના સ્થાને જશે ત્યારે મારી લોકમાં નિંદા થશે. અહો ! શત્રુઓ નળને હણીને દમયંતીને લાવ્યા છે, એ પ્રમાણે લોકોમાં મશ્કરી થશે. આથી દમયંતીને ક્યાંય પણ મૂકીને હું અન્ય દેશમાં ચાલ્યો જાઉં અથવા શત્રુના સમૂહ વિના પણ દમયંતી રસ્તામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy