SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૧૨૨). સર્ગ - ૬ નામનું મુખ્ય અસ્ત્ર, દિવ્ય અસ્ત્રો, નળના શરીરને છોડીને પોતપોતાના સ્થાનમાં ચાલી ગયા. (એટલે કે નળની પાસે ન રહ્યા) ભય પામેલા નળે દમયંતીને રથમાંથી ઉતારીને પીઠ પર ઊંચકી લીધી અને જ્યાં તે ક્ષણવાર ઉભો રહ્યો, તેટલામાં કેટલાક ભીલ્લો શસ્ત્ર, રત્નાદિથી ભરેલા રથને લઈને ચાલી ગયા. તે ભીલ્લો દમયંતીના ભાગ્યથી નળને પ્રિયા સાથે નહિ જોતાં, પોતાના સ્થાનમાં ચાલી ગયા. હવે નળ પગથી ચાલતાં દમયંતીની સાથે આગળ વધતાં જંગલી પશુઓથી ઘેરાયેલા એક વનમાં આવ્યો અને વનને ઓળંગતા અત્યંત સાહસિક નળે માર્ગમાં સુવર્ણ છાંટવાળા વિદ્યુમ રંગના બે પગવાળા, ઇન્દ્રનીલ પાંખવાળા, મરકત રત્નના રંગ જેવી ચાંચવાળા એવા દિવ્ય રૂપવાળા અનેક પક્ષીઓ જોઈને પ્રિયા એવી દમયંતીને કહ્યું: “હે પ્રિયે ! એક પક્ષીરાજને લઈશ. કારણ કે આ પક્ષીઓ ઘણા મૂલ્યવાળા હોય છે.” દમયંતીએ કહ્યું: “હે પ્રાણેશ ! આ દેવોની માયા છેતરવા માટેની છે. અવિશ્વાસુ છે. પક્ષીના રૂપો કરીને સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરે છે. આ પક્ષીઓને લેવા નહિ. આપણને એની સાથે શું પ્રયોજન છે ? જો કર્મના કારણે તમારા પિતાએ આપેલું સ્થાવર અને જંગમ દ્રવ્ય હાથમાં રહેલું બધું જતું રહ્યું છે, તો આ પક્ષીથી શું કરશો ?” દમયંતીએ આ પ્રમાણે કહેવા છતાં લોભના આવેગના વશથી એક પક્ષીરાજને નળે પોતાના વસ્ત્રમાં લઈ લીધું અને તે પછી બીજા પક્ષીઓ તે વસ્ત્રને લઈને આકાશમાર્ગે ઉડીને જતા રહ્યાં. રાજા વિચારે છે, અહો ! વિધિનો આ વિલાસ જુઓ અર્થાત્ નસીબની વાત જુઓ. “પ્રાપ્ત થયેલું તે વસ્ત્ર દુષ્ટ ચોરની જેમ લઈને પક્ષીઓ આકાશમાં ઉડી ગયા, તે જોઈને વિલખા થયેલા નળ રાજા વિધિની વિચિત્રતા વિચારવા લાગ્યા.” નળ કહે છે : “હે દેવો ! હે દાનવો ! મારા ભાગ્યની હીનતા જુઓ. આ પક્ષીઓ પણ ચોરની જેમ મારું વસ્ત્ર લઈને આકાશમાં ઉડી ગયા. હું શું કરું? હું કોને કહું ? ધિક્કાર હો આ કર્મના વિલાસ (રમત)ને.” આ પ્રમાણે ચિંતામાં પડેલા નળને જોતાં આકાશમાં રહેલા તે જ પક્ષીઓ આમ બોલ્યા : “હે રાજન્ ! આપના જેવા જે મૂઢ લોકો ધૂતક્રીડાથી ધનની આકાંક્ષા કરે છે, તે નિપુણ્યની તમારા જેવી સ્થિતિ થાય છે.” જો તારી પાસે હાથ, પગ વગેરે બધું છે, તો તું હવે લાભને માટે બીજો ઉપાય કર. “હે મૂર્ણ? સાંભળ, રેતીમાંથી જો તેલ નીકળે, પાણીમાંથી પણ જ્યારે અગ્નિ નીકળે, ત્યારે જુગારથી લોકોને ધન મળે. એ પ્રમાણે કહીને ક્રિીડા કરતાં પક્ષીઓ બીજે સ્થાને ચાલ્યા ગયા.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy