SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ (૧૨૧ પાંડવ ચરિત્રમ્ હવે પ્રજા તે નળના બળને સારી રીતે જોઈને આશ્ચર્યપૂર્વક આ પ્રમાણે પરસ્પર કહેવા લાગી, ખરેખર આ નળ સ્થંભને ઉખેડીને ફરી રોપતો હોવાથી લાગે છે કે ફરી ત્રણ ખંડનો માલિક થશે. કારણ કે સ્થંભમાં પ્રશસ્તિ લખી છે કે જે કોઈ આ સ્થંભને ઉખેડીને ફરીથી રોપશે, તે ત્રણ ખંડ ભરતના અધિપતિ બનશે. તેથી આ નળ ફરી અર્ધ ભરતનો ભોક્તા ભોગવનારો રાજા) થશે. એ પ્રમાણે વિચારીને દુઃખના ભારથી ભરેલા આક્રાન્ત થયેલા સર્વ લોકો પોતપોતાને સ્થાને ગયા. લક્ષ્મીથી લજાયેલો નળ રાજા દમયંતીની સાથે નગરથી બહાર નીકળીને વેતસ વૃક્ષની નીચે રહ્યો તે વૃક્ષ તલે બેઠેલો નળ રાજા લાંબા ઉષ્ણ શ્વાસ લેતો પોતાને મનમાં અપરાધી (ગુનેગાર) માને છે. દુઃખથી પીડાતો નળ દમયંતીની સાથે હોવા છતાં પણ શું કરવું ? શું ન કરવું ? એવા વિચારોમાં ડૂબેલો, સર્વ ઉપાયોથી રહિત કંઈ પણ બોલતો નથી. કારણ કે – શય્યા, આસન વિનાનો, પાણી-આહાર રહિત, ઘર વિનાનો તે નળ રાજા વનમાં યતિની જેમ રહ્યો છે. નળ શું કરે ? ક્યાં જાય? કોઈ પણ સ્થાન મળતું નથી. જેથી ત્યાંથી પણ આગળ ચાલ્યો. નળને જોવા માટે જાણે સૂર્ય માથા પર આવી ગયો. ત્યારે પોતાના કિરણોથી સૂર્ય પણ નળને ક્લેશ કરાવ્યો. આગળ રસ્તે જતાં નળે ગંગાનો કિનારો જોતાં દમયંતીને કહ્યું : હે પ્રિયે ! દેવોથી અધિષ્ઠિત આ ગંગા નદી ખુશ થતાં ચક્રવર્તીઓને નવ નિધાન આપે છે. એમ કહીને એક વૃક્ષની નીચે બેસી ફળો વડે પેટની ભૂખ ભાંગીને ગંગા નદીનું પાણી પીને થાકને દૂર કરવા માટે સ્નાન કરીને વડ વૃક્ષની નીચે વિશ્રામ લીધો. ત્યાં ધૂળની શય્યા કરીને નળ-દમયંતીની સાથે સુખપૂર્વક સૂઈ ગયો. એ રીતે ત્યાં ત્રણ દિવસ પસાર કર્યા.” કૂબરની આજ્ઞાથી મંત્રીઓએ વસ્ત્ર, શસ્ત્ર, ધનથી યુક્ત, સ્વાદયુક્ત, ખાવા યોગ્ય આહાર વગેરેથી ભરેલ ઘોડાથી ચાલતો એક સુવર્ણમય રથને નળને માટે મોકલ્યો. પછી દમયંતીની સાથે રથમાં બેઠેલો નળ કોઈક દિશા નિશ્ચિત કરીને જાતે જ સારથિ બનીને માર્ગમાં પ્રયાણ કર્યું. ત્યાંથી નળ રાજા રાજ્યની ભૂમિ પસાર કરીને ભીલ્લપલ્લીથી ગ્રસ્ત વન અને પર્વતવાળા દેશ પ્રતિ ચાલ્યો જાય છે. નળના રથનો અવાજ સાંભળી ત્યાં વાસ કરી રહેલા ભીલ્લો એકદમ રોકવા માટે દોડ્યા. ભીલ્લાના માણસો (ભટ્ટ) રથમાં બેઠેલી નળની પાસે રહેલી દમયંતીને જોઈને મોહ પામેલા નળને હણવા માટે તૈયાર થયા ત્યારે નળે બાણને એવી રીતે છોડ્યા કે જેથી સૂર્ય ઢંકાઈ ગયો. હત હત એ પ્રમાણે બોલતો ભીલ સેનાની સાથે યુદ્ધ કરવા લાગ્યો. ભીલ્લ રાજા પણ નળને એકલો જાણીને દમયંતી પરના મોહથી ખૂંખાર બની લડવા લાગ્યો. ત્યારે નાલે પહેલા સાધેલ સંમોહન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy