SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૧૮) સર્ગ - ૬ હવે નિર્લજ્જ ચૂતમાં એકતાન એવો તે નળ કૂલરની સાથે દિન-રાત લાંબાકાળ સુધી ચૂતને ખેલે છે. પરંતુ જુગારમાં ક્યારેક જય અને ઘણીવાર પરાજયને પામે છે. એક દિવસો પસાર થતાં જાય છે. માંત્રિક અને વૈદ્યોએ છોડી દીધેલ અસાધ્ય ગ્રહથી પ્રસાયેલા રોગીની જેમ સકલ સેવકોએ છોડી દીધેલો નળ સુખપૂર્વક રમે છે. દમયંતી પણ તેવા પ્રકારના નળને જાણીને ભવિતવ્યતાને વિચારીને મનમાં કંઈ પણ વ્યથાને ધારતી (પામતી) નથી. આવા વિકટ સમયે દમયંતી છ છ પ્રકારના જુદા જુદા બાહ્ય અને અત્યંતર તમને કરે છે. તેવી રીતે તેણી સાતક્ષેત્રમાં સત્ દ્રવ્ય વાવે છે. જેથી તે આગળ ઉપર હજારગણું થશે. અતિ ચતુર તે દમયંતીએ સાતક્ષેત્રમાં દ્રવ્ય વાવવા વડે કરીને ભંડાર એવી રીતે તેણે ખાલી કર્યો કે જેથી કૂબરથી રાજ્ય જીતવા છતાં પણ પોતાના મનમાં કોઈપણ પ્રકારની ચિંતા ન થાય. નળ પણ જુગાર નામના દુશ્મન રાજાથી સંપૂર્ણ રાજ્ય ગ્રહણ કરાયેલો માત્ર કિલ્લાવાળો રહ્યો (થયો). ત્યારે આ કમલિની, કલ્લોલિની, કરલી અને કલિકા, આ ચાર દાસી દેવકન્યા સમી કુલ શીલવતી કેશિની સખી સાથે રત્ન, મોતી, માણેક, સુવર્ણ વગેરે બધું ભંડારમાંથી લઈને દમયંતીએ ભીમ રાજા પાસે મોકલી આપ્યું. અહો ! નીતિને જાણનારી, નિપુણ દમયંતીને ધન્ય છે. જેણે પોતાનું બધું બચાવી લીધું. એ પ્રમાણે બધાય લોકો પરસ્પર વાતો કરે છે. તે મહેલ (ઘર)માં કેટલાક પરિવાર સાથે માત્ર દમયંતી જ રહી છે. એક દિવસ પ્રભાત સમયથી લઈને સંધ્યા સમય સુધી તેઓ ક્રીડાને કરતાં નળરાજા ગ્રામ, નગર, આકર, પુરાદિ બધું હારી ગયો. ત્યારે તે નગરમાં હાહાકાર મચી ગયો. એક વખત ક્યારેક એકાએક તે સભામંડપમાં અહો ! સમસ્ત રાજ્યને જીત્યું જીત્યું, એ પ્રમાણે સ્પષ્ટ મહાનિષ્ફર, ક્રૂર કૂલરના સેવકોએ કરેલો બુખારવ ક્યાંક થયો. જેથી કરીને તુરંત જ નગર ક્ષોભને પામ્યું અને દમયંતી ડરી ગઈ. કૂબર જીત્યો, એ પ્રમાણે બોલનારા સેવકોને રાજકોષ પર, હાથીશાલા પર, અશ્વશાલા પર, નગરોમાં, ગામોમાં, આકરોમાં, મંડપોમાં સર્વ સ્થાને કૂબરે મોકલેલા રાજ્યના અધિકારી વડે નિયુક્ત થયેલા નળ રાજાના અધિકારીઓને બધા રાજ્યમાંથી કાઢી મૂકાયેલા તેઓ દૂર દેશ ચાલી ગયા. શરમથી નળ રાજા પૃથ્વીમાં પ્રવેશવાની ઇચ્છાવાળાની જેમ નીચું મુખ રાખીને ઊભો રહ્યો. તેવા પ્રકારના નળને જોઈને ફરી કૂબર બોલ્યો : “હે નરેન્દ્ર ! ખેદને કર નહિ. તૈયાર થા. ફરીથી કાંઈ ઘૂતને ખેલ, ધૂત ખેલ્યા વિના હારેલું રાજ્ય પાછું મળતું નથી.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy