SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ (૧૧ પાંડવ ચરિત્રમ્ દમયંતી બોલી : “હે પ્રાણેશ ! આમ ન બોલો.” વળી નળ બોલ્યો : “હે મંત્રીઓ ! તમે બધાય તમારા સ્થાનમાં જાઓ. હે દેવી ! તું પણ ઘરમાં જા. હું તારા દેખતાં જ કૂબરે જીતેલી સંપૂર્ણ પૃથ્વીને મારી કરીશ. તું કોઈપણ જાતની ચિંતા કર નહિ. એ પ્રમાણે કહીને વિદાય કરેલી દમયંતી ઘરની અંદર ગઈ. ખેદ પામેલ સેવકો પણ બધા પોતાના આશ્રયસ્થાને ગયા.” નળની કટુષ્ટિ થવાથી મંત્રીઓને ત્યાં રહેવાથી શું ફાયદો ? આથી તે બધા પાછા ફરીને પોતાના ઘેર ગયા; અહો ! નળની દશા કેવી થઈ ? કહ્યું છે કે – બધા દિવસો એક સરખા હોતા નથી. આ જગત એક રૂપવાળું નથી. વિવિધ પરિણામો થકી પ્રાણીઓની સ્થિતિ થાય છે. નળને જોઈને સર્વ લોકો, મંત્રીઓ, મહાત્માઓ પરસ્પર મંત્રણા (વિચાર વિમર્શ) કરે છે. ખરેખર આ નળ ભૂતથી, પિશાચથી, ગ્રહથી તેમજ કુટેવથી જકડાયેલો છે અથવા તેનાથી અધિષ્ઠિત થયેલો લાગે છે. નહીં તો આવું કેમ બને? સત્યને, વિનયને કલ્પાંતકાલ આવી જાય તો પણ નળરાજા શું સત્યનું ઉલ્લંઘન કરે? વિનયને શું દૂર કરી દે ? અને પ્રીતિને શું તજી દે, તાત્પર્યાર્થ આવું ન જ કરે. તેથી ખરેખર ગ્રહથી જકડાયેલો દેખાય છે. એ પ્રમાણે સર્વ સામેતાદિ વિચારે છે, હવે શું કરવું ? ત્યારે કોઈક મંત્રીએ કહ્યું : “વિકૃત થયેલો નળ સર્વ રાજ્ય હારી જશે તો પટ્ટરાણી દમયંતીને પિતાના ઘરે (પિયર) મોકલી દઈએ.” ત્યારે દમયંતી બોલી : “મારા સ્વામિની સેવા કરતાં જે થવાનું હોય તે થાવ, હું તો પ્રાણપ્રિય નળની સેવાને નહિ છોડું.” ત્યારે બાહુક સેનાની બોલ્યો : “ધિક્કાર છે મારા શસ્ત્રભારને વહન કરવાનું, ધિક્કાર છે મારી બુદ્ધિને, ધિક્કાર છે મારા બલને, જે મારા જેવા સેવકના દેખતાં સ્વામિના રાજ્યને છોડાવે છે, જેવી રીતે કૂબર જીતી જાય છે, તેવી રીતે નળરાજા કેમ નથી જીતતા, ખરેખર દુરાત્મા દેવનું જ આ માયા-પ્રપંચ છે.” બાહુક સેનાની પોતાની જાતને નીદે છે અને દમયંતીને કહે છે : “હે માતા દમયંતી ! હવે હું તીર્થયાત્રાએ જઉં . હાલ મારૂં મંગલ પ્રયાણ સુખને માટે થાઓ. કારણ કે, મારા જેવો શક્તિશાળી હોવા છતાં જુગારમાં હારી ગયેલા રાજ્યવાળા નળની કમળ જેવી આંખોને જોવા માટે હું શક્તિમાન નથી.” એ પ્રમાણે બોલતો દમયંતિથી આશ્વાસન પામેલો તે સૈનિક તીર્થયાત્રા કરવાને માટે સંપૂર્ણ ભૂમિમાં ફરે છે. તીર્થયાત્રા કરતો બાહુક સેનાની અચલપુરે શક્રાવતાર તીર્થના પ્રભાવને સાંભળીને તે જોવા માટે ત્યાં ગયો. ત્યાં તીર્થયાત્રા કરીને જ્યાં સુખપૂર્વક ઊભો રહે છે, તેટલામાં બંદિશૃંદથી તેને તેવા પ્રકારની જાણીને તે નગરના ઋતુપર્ણ રાજાએ નળના પ્રેમથી તે સેનાનીને પોતાની પાસે રાખ્યો. એ પ્રમાણે ઘણા સુભટો, નળના ભક્તો, મહાત્માઓ રાજ્ય છોડીને નગરની બહાર નીકળી ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy