SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ (૧૧૫) પાંડવ ચરિત્રમ્ કારણ કે :– જુગાર, માંસ, દારૂ, શિકાર, ચોરી, વેશ્યા અને પરદારા સેવન, આ સાત વ્યસન લોકમાં ભયંકરમાં ભયંકર નરકમાં લઈ જાય છે. ધૂત (જુગાર)થી પાંડવો અને નળરાજા રાજ્યના વિનાશને પામ્યા. દારૂથી કૃષ્ણ રાજા રાજ્યના વિનાશને પામ્યા. શિકારથી દૂષિત દશરથ રાજા થયા. માંસથી શ્રેણિક રાજા નરકમાં ગયા. ચોરીથી કોણ વિનાશ નથી પામ્યું? વેશ્યાથી કૃતપુણ્ય ધન વિનાનો થયો, પરદારાથી રાવણ દુઃખી થયો. એ પ્રમાણે જુગાર રમવાના ધ્યાનમાં નળરાજાના બધાય રાજકાર્યો સિદાય છે. અહો રાત-દિવસ નળને રમતો જોઈને મહામંત્રીઓ સારા ઉપાયો થકી વાળે છે. છતાં પણ નળરાજા પ્રસાયેલા ગ્રહની જેમ જુગારથી વિરામ પામ્યો નહિ, એટલે કે નળરાજાએ જુગાર રમવાનું છોડ્યું નહિ. ગીત, ગાન, નૃત્ય, તાન, વાજિંત્ર, નાટક, કૌતુક, કથા, પ્રબંધ, શ્લોક, ગ્રંથ શ્રવણમાં અને નિદ્રા, મુદ્રા, રાજકાર્ય, સ્વશરીરના સુખ વગેરેમાં તેનું મન લાગતું નથી. પરંતુ જુગારમાં જ મન રમતું રહે છે. એ પ્રમાણે જુગાર, રૂપ, પિશાચથી ગ્રસ્ત નળરાજા કોઈપણ સ્થાને આનંદને પામતો નથી. ત્યારે મંત્રીઓએ મોકલેલી, નિરાશ થયેલા મુખવાળી, દમયંતી નળની પાસે આવીને નળને કહેવા લાગી. હે સ્વામિ ! તમારી કીર્તિથી ચરાચર આ વિશ્વ ઉજ્વલ બન્યું છે, તે જ વિશ્વને જુગારના વ્યસનથી મલિન ન કરો. સજ્જનોથી નિંદિત થયેલી એવી આ જુગાર રમવાની રમતને છોડી દો. કારણ કે :- બધાય મનુષ્યોને (પ્રાણીઓને) અયશકારી છે. વિશેષથી તમારા જેવા રાજાઓના શિરના મુગટ સરીખાને માટે આ ક્રીડા અપયશકારી છે. હે પ્રાણેશ ! જુગાર રમનારા તે વખતે ભોજનનો સ્વાદ, નિદ્રાનું સુખ, દેવની પૂજા, સુખેથી સ્નાન અને દાનાદિ કાર્યોનો અનુભવ કરતા નથી. તે જુગારથી ભયંકર રોગો ઉત્પન્ન થાય છે. દેવો જલ્દી ક્રોધિત થાય છે. સર્વ કાર્યો નાશ પામે છે. સ્વજનો દૂર ચાલ્યા જાય છે. કોઈપણ વિશ્વાસ કરતા નથી. લક્ષ્મી (વૈભવ)નો જલ્દી નાશ થાય છે. જુગાર રમવાના વ્યસનવાળાઓને વિષે આ કહેવાયું છે. વિષ ખાવું સારું, પૃપાપાત કરવો સારો, અગ્નિમાં પ્રવેશ કરવો સારો, પરંતુ જુગારનું સેવન (વ્યસન) સારૂં નહિ, ઈત્યાદિ દમયંતીના મુખથી સાંભળીને નળ ચિંતવે છે. હા, હા ! મોટું કષ્ટ દેખાય છે, મારા કારણે આ મારી પ્રિયા ઘણી દુભાય છે; મારા જુગાર રમવાથી આ દમયંતી દુઃખી થાય છે. આથી જુગાર છોડી દઉં, એ પ્રમાણે વિચારીને નળે જુગાર છોડી દઈને રાત્રિ દમયંતીની સાથે ક્રીડા કરતા રાત્રિને પસાર કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy