SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ સર્ગ - ૬ પાંડવ ચરિત્રમ્ અને શ્રી શાંતિનાથના વચ્ચેના (આંતરામાં) કાળમાં રાજ્યનું પાલન કરતાં હતાં. વિશ્વાસુ એવો સોળ વર્ષને ધારણ કરતો શરીરથી ઋષભના સ્કંધ જેવો તે પ્રજાને પ્રિય થયો. એવા પ્રકારના નળરાજા રાજ્યનું પાલન કરતા હતા, ત્યારે પ્રજા ઇચ્છાથી પણ અધિક સુખને પામી એ પ્રમાણે નળરાજા રાજ્ય કરતાં આર્યાવર્તના સર્વ દેશોમાં સુખથી, સ્વાસ્થ્યથી, મંગલથી અને સમૃદ્ધિથી ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠતાને પામ્યા. નળરાજાના શાસનમાં તે નગરમાં રહેનારા લોકો વાવડીઓમાં, કૂવાઓમાં, સરોવરોમાં, મઠ, પ્રાસાદ આદિઓમાં ખેલતા હોવા છતાં પણ ધર્મ, અર્થ અને કામ વડે જ દિવસો પસાર કરે છે અને તેવી રીતે નળરાજા રાજ્ય કરતે છતે વાદળો પાણીની ધારાઓ થકી સમય પ્રમાણે વર્તે છે તથા સ્વરાજ્ય કે ૫૨૨ાજ્યથી આવેલો ભય સ્વપ્નમાં પણ દેખાતો નથી તથા પૃથ્વી ક્ષેત્રોમાં ધાન્ય ઉત્પન્ન કરે છે. ખાણો રત્નને આપે છે. વળી ખાણો ઉત્તમ ધાતુઓ આપે છે. વનમાં હાથીઓના બચ્ચાઓ ફરતા હતા. દેવો નજીકના કાળમાં શીઘ્ર, પ્રત્યક્ષ થાય છે. તપસ્વીઓ પ્રભાવવાળા હતા. રાજાના રાજ્યમાં પ્રાયઃ ગૃહસ્થો દાનવાળા, ગાયો દૂધવાળી, વૃક્ષો હંમેશા ફળ આપનારા અને ખૂટે નહિ તેવી પાણીથી ભરેલી નદીઓ, સ્ત્રીઓ જીવિત પુત્રોવાળા તથા નળરાજાના રાજ્યના શાસનમાં તળાવ, કૂવા, વાવડી આદિને બંધ હતા. બીજા લોકોને બંધ ન હતા (બંધન ન હતા), કેડમાં (કમ્મરમાં) બંધ હતો, પણ લોકોમાં ન હતો. સુવર્ણ, રજત (ચાંદી) આદિ ધાતુઓને ફૂટતા હતા, પણ મનુષ્યને નહિ. છત્રીમાં દંડ હતો, પણ મનુષ્યને નહિ, વાળને બાંધતા હતા, પણ મનુષ્યને નહિ. સ્તનોમાં કાઠીન્યતા હતી, પણ મનુષ્યોમાં ન હતી. લોકો તાલી મારતા હતા, પણ લોકોને નહિ અને સ્ત્રીઓના નેત્રોમાં ચંચલપણું હતું, પણ બીજા લોકોમાં ન હતું. વળી નળરાજા રાજ્ય કરતા હતા ત્યારે આવા પ્રકારના લોકો ન હતા. તે કહે છે :– ક્લેશ, માયા, કુટિલ, કુંઠ, ક્રોધી, દુષ્ટબુદ્ધિવાળા, અપકાર કરનારા, કંજુસાઈ કઠોરતા વગેરે કંઈપણ હતું નહિ. જે નળને જોઈને પંડિતો તે દાનશૂર હોવાથી તેનું આ પ્રમાણે વર્ણન કરે છે. જે નળરાજા દાન દેવામાં કલ્પવૃક્ષથી અધિક, કામધેનુથી અધિક, આથી લોકોમાં આ પ્રમાણે પ્રશંસાને પામે છે. તે નળરાજાએ નાની વય હોવા છતાં પણ દિગ્વિજય કરીને રાજ્યભંડારને અક્ષય બનાવ્યો. ક્રીડા કરવા માટે ક્યારેક ગણિકાઓથી પરિવરેલો, લાંબાકાળ સુધી ઉદ્યાનોમાં નળરાજા ક્રીડાને કરે છે. ક્યારેક પુષ્પોને એકઠા કરે છે. આ પ્રમાણે વીરવૃત્તિથી વિચરતો વિચરતો તેના સામ્રાજ્યને ભોગવતાં કેટલોક કાળ પસાર થઈ ગયો. તે રાજ્ય કરતો હતો, ત્યારે તેણે સર્વ પ્રજાને ઉત્તમ લક્ષ્મીવાળી બનાવી. વળી જેનો પ્રભાવ વિશ્વમાં ફેલાયેલો છે, તે વીરસેન પુત્ર નળરાજા સકલ સૈન્યથી પરિવરેલો ભરત ક્ષેત્રની અડધી પૃથ્વીને થોડા જ વર્ષમાં જેમ સૂર્ય આકાશના મધ્યભાગમાં આવે છે, તેવી રીતે જીતી લીધી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy