SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૧૨) સર્ગ - ૬ હે કુમાર ! તમે પણ ધર્મવૃક્ષને એવી રીતે સિંચેલું છે, જેથી તેના ફળો તમને પહેલાં પ્રાપ્ત થયા છે. તેવી રીતે ફરી વર્તમાનકાળે પણ ફળશે, એ સાંભળીને ફરી તેઓએ સર્વજ્ઞ ભગવંતોએ કહેલો ધર્મ અંગીકાર કર્યો, પછી તે બંને જણા અત્યંત આનંદથી ફૂલેલા ફરી પાછા રથમાં બેસી આગળ ચાલ્યા. ક્રમ કરીને આગળ ચાલતાં નિષધ રાજા નળ સહિત નગરના પાદરે આવ્યા. પોતાની નગરીને જોઈને નળે પ્રેયસીને આ પ્રમાણે કહ્યું : “આ નિષધ રાજાની નિષધા નગરી તારા સસરાના પુત્રની રાજધાની છે. જેણે પોતાની શોભા વડે દેવોની રાજધાનીને જીતી લીધી છે.” હે પ્રિયે ! આ ક્રીડા કરવાનું સરોવર જો, આ બાજુ કેલિવનોને જો, આ બાજુ આનંદ કરવાની વાવડીઓ જો ઇત્યાદિ બતાવતો નળ દમયંતીને કૌતુકથી રમાડતો (હરખાવતો) નગર તરફ જાય છે. નિષધ રાજા પણ વરવધૂ (દમયંતી)ને આગળ કરીને જાતજાતના ઉત્સવપૂર્વક કોશલ (અયોધ્યા) નગરીમાં પ્રવેશ્યા. દમયંતી નળની સાથે ક્રીડાને કરતી પોતે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ પુરુષાર્થને માને છે. નળ તેની પત્ની દમયંતી સાથે ક્રીડા કરતાં દિવસો પ્રહરની જેમ અને રાત્રિઓ ક્ષણની જેમ પસાર થાય છે. ક્યારેક ક્રિડા પર્વતોમાં ક્રીડા કરતાં, ક્યારેક ઉદ્યાનોમાં વિચરતા, ક્યારેક હિંચકા પર હિંચકા લેતા, ક્યારેક જલક્રીડા કરતા, ક્યારેક પુષ્પને એકઠાં કરતા, ક્યારેક પુષ્પમાલાને ગૂંથતા, ક્યારેક પુષ્પના મુગટની રચના કરતા, એ પ્રમાણે તે દમ્પતી દિવસો નિર્ગમન કરે છે. એમ કરતાં રાજ્યભાર વહન કરવામાં ધૂરંધર (એક્કો) સર્વ રાજ્યની ધૂરાને ધારણ કરવામાં સમર્થ સોળ વર્ષના નળને જાણીને રાજા નિષધે બીજા નામે વીરસેન રાજાએ નળને રાજ્ય પર બેસાડીને અને કૂબરને યુવરાજ પદે બેસાડી જાતે અનેક પુરુષો સાથે દીક્ષા લીધી. વીરસેન રાજા દક્ષા લઈને કઠીન તપ તપીને (કરીને) એક મહિનાનું અનશન કરીને પાંચમા (બ્રહ્મ) દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. હવે નળરાજા રાજ્યનું પાલન કરે છે. નળ કેવો છે, તેનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે : સર્વ ગુણથી સંપૂર્ણ, સર્વ અવયવથી સુંદર, સર્વ પુરુષાર્થને જાણનારો, સમસ્ત આગમન પારને પામેલા, ધનુષ્યને ધારણ કરવાના ગુણમાં ઉત્તમ, રાજર્ષિના કુલમાં દીપક, પૃથ્વીરૂપ લક્ષ્મીના શણગારરૂપ તિલક, દુર્જનના સમૂહ માટે દાવાનળ ગુણરૂપ રત્નોનો સમુદ્ર, સૂકાયેલા કૂવા માટે વરસાદ, શત્રુરૂપ વૃક્ષને માટે પવન, શસ્ત્રની જ્યોતિ માટે પતંગ (તિતલી, પતંગિયુ) સૈભાગ્યમાં કામદેવ, શાસન ચલાવવામાં ઇન્દ્ર, સૌમ્યતામાં ચંદ્ર, તેજમાં સૂર્ય, પર્વતોમાં સુમેરૂગિરિ, પત્થરોમાં ચિંતામણિ, વૃક્ષમાં કલ્પવૃક્ષ, રાજાઓમાં પ્રધાન, સૂર્યપાક રસોઈમાં પ્રવીણ. જેનો અશ્વ હૃદય મંત્ર આજે પણ પ્રસિદ્ધ છે. વીરસેન (નિષધ) રાજાનો પુત્ર નળરાજા ચોથા આરામાં શ્રી ધર્મનાથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy