SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧૧૧ પાંડવ ચિરત્રમ્ હવે નળના રથમાં બેઠેલી દમયંતી રસ્તામાં આગળ વધી રહી છે. ત્યાં સૈન્યની સાથે જતાં સંધ્યા આવી ગઈ. રથમાં બેઠેલી નૂતન સ્નેહવાળી નવોઢા દમયંતીની સાથે નળ ક્રીડા કરતો આગળ રસ્તો કાપતો જાય છે અને નિષધ રાજા સંધ્યા સમય થવા છતાં પણ પોતાના નગર તરફ વિશ્રામ લીધા વિના ચાલે જાય છે કારણ કે સાથે રહેલા લોકોની પોતાના નગર તરફ જવાની ઉત્કંઠા ઘણી હતી. રસ્તે ચાલતાં નળ દમયંતીએ કાનને અમૃત તુલ્ય ભ્રમરના સમૂહનો અવાજ સાંભળ્યો, ત્યારે દમયંતી બોલી : “હે નાથ ! અહીંયા કોઈપણ પ્રકારના વૃક્ષો નથી, તોપણ ભ્રમરોનો અવાજ કેમ આવે છે ?'' નળે કહ્યું : “હે રમ્ભોરુ ! અહીંયા ગાઢ અંધકારને કારણે કોઈ કારણ જાણી શકાતું નથી. તે સાંભળીને દમયંતીએ અંધકારને દૂર કરવા માટે પોતાના ભાલને (હાથ વડે) મસળ્યું. (ઘસ્યું) તેણીએ ભાલને મસળવાથી સૂર્યના કિરણો જેવા ત્યારે જ ત્યાંથી કિરણો પ્રગટ થયા.” ભાલમાંથી નીકળેલા કિરણોથી તે અંધકાર નાશ પામ્યો. તે જ વખતે ઉદ્યોત-પ્રકાશ ચારે બાજુ પથરાયો. નળે કહ્યું : “હે દમયંતી! આ તેજ ક્યાંથી પ્રગટ્યું.’” દમયંતીએ કહ્યું : “હે સ્વામિન્! આ તિલક મારા જન્મતાની સાથે જ છે. તેના પ્રભાવથી રાત્રિમાં ઉત્પન્ન થયેલા અંધકારનો નાશ થયો છે.’’ આગળ ચાલતાં તે દમયંતીએ ભ્રમરના સમૂહથી વીંટળાયેલા કાયોત્સર્ગમાં રહેલા એક મહામુનિને જોયા. તે મુનિને જોઈને રાજા કહે છે : ‘હે પ્રિયે ! ખરેખર આ સાધુને કોઈક વન હાથીએ વૃક્ષના થડની ભ્રાંતિથી ગંડસ્થલની ખણજને દૂર કરવા માટે ઘસ્યા છે, તે હાથીના ગંડસ્થલમાંથી ઝરતા મદની ગંધના લોલુપી ભ્રમરના સમૂહો આ મહામુનિને વીંટળાઈને રહ્યા દેખાય છે.’’ તેઓએ આમ વિચારીને તે જ ક્ષણે તે મહામુનિને ઉપદ્રવ રહિત કરવા ભ્રમરોને દૂર કર્યા. આ બાજુ પ્રભાતનો સમય થયો. ધારેલી પ્રતિમાને પૂર્ણ કરીને તે જ્ઞાની મહામુનિએ તે નળ-દમયંતીની આગળ કલ્યાણકારી વાણી (દેશના) સંભળાવતા કહ્યું : “સર્વ સુખોનું કારણ ધર્મ હોવાથી જગતમાં ધર્મ સારભૂત છે. તેની ઉત્પત્તિ (પ્રાપ્તિ) મુખ્ય મનુષ્યપણામાં છે. તેથી જ મનુષ્યપણું સારરૂપ છે.” હે ભવિઓ ! આવા પ્રકારના મનુષ્યપણાને પ્રાપ્ત કરીને ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. વિશેષ પ્રકારે તો જિનેશ્વરની પૂજા (ભક્તિ)માં પ્રયત્ન કરવો. હે નળરાજા ! આ તારી પત્ની દમયંતીએ પૂર્વભવમાં ચોવીશ જિન તપ કરીને તેની ઉજવણીમાં ચોવીશે જિનના ભાલમાં સુવર્ણમય તિલકો લગાવ્યા હતા. તેથી આ જન્મમાં એના ભાલસ્થલને શોભાવનારું, સૂર્યને ઝાંખો પાડનારૂં તિલક થયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy