SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ ૧૧૦ તેની આગળ બધા રાજાના વંશને જાણનારી એક પ્રતિહારિણી બધા રાજાઓનું વર્ણન કરતી આગળ ચાલે છે અને તે આ પ્રમાણે બતાવે છે. હે દમયંતી ! આ મગધ દેશનો રાજા શરીરના લાવણ્યરૂપ કલ્લોલ (તરંગ) થકી કામદેવને જીતનારો છે. શ્રૃંગાર રહિત શોભતો આ કલિંગ દેશનો રાજા, તમારી સામે વારંવાર જુએ છે. આ ભાગી ગયેલા શત્રુના સમૂહવાળા કોંકણ દેશનો રાજા છે. આ લાટ દેશનો રાજા છે. આ કર્ણાટક દેશનો રાજા છે. આ સૌરાષ્ટ્રનો રાજા છે. હે સુંદરી ! આ કોશલ દેશનો રાજા નિષધ છે. તેમના આ નળ અને કૂબર નામના બે દીકરાઓ છે. જેઓ સકલ શાસ્ત્રમાં પારંગત, સકલ શાસ્ત્રમાં પ્રવીણ છે. તેમાં પણ આ નળ સોળ વર્ષના નૂતન કામદેવ જેવા રૂપવાળા છે. જો તારી ઇચ્છા હોય તો આને પતિ કર. યાચકના ગણને માટે કલ્પવૃક્ષ સમાન નળ તારો ભરથાર થાવ. તે વચન સાંભળીને કુમારી દમયંતીએ નળના કંઠમાં વરમાળા પહેરાવી. તે જોઈને હર્ષિત થયેલા ભીમ રાજાએ પ્રિયંગુ રાણીને કહ્યું : “હે પ્રિયે ! દમયંતી એ નળને વરીને મારા વંશને શોભિત કર્યો છે. પછી ભીમ રાજા નળને વાહનમાં બેસાડીને સ્વપુરે લઈ ગયો. ત્યારબાદ અંતઃપુરની સ્ત્રીઓ વડે બંને જણને સ્નાન કરાવી અલંકારાદિ વડે શોભાવીને સુવર્ણના સિંહાસને બેસાડીને નળ અને દમયંતીનો વિવાહ મહોત્સવ શરૂ કર્યો. બંનેને મીંઢળ બાંધ્યા. એકબીજાના વસ્ત્રના અંચલ (છેડા)થી બંધાયેલા બંને જણાએ અગ્નિને પ્રદક્ષિણા આપી. પછી હોમ કરીને અને વર અને વધૂનું પાણિગ્રહણ કરીને બ્રાહ્મણે વેદના ઉચ્ચાર વડે અગ્નિમાં આહૂતિ નાંખી. એ પ્રમાણે તેઓનો વિવાહ થઈ જતાં ભીમ રાજાએ નળને કરમોચન વખતે આ પ્રમાણે ધન આપ્યું. નળના વિવાહ મહોત્સવ સમયે પોતાના વૈભવને ઉચિત હાથી, ઘોડા વગે૨ે હસ્તમોચન સમયે ભીમ રાજાએ આપ્યું. એ પ્રમાણે નળ અને દમયંતીનું લગ્ન કરીને કરમોચન સમયે ભીમ રાજાએ દાન આપીને નિષધ રાજા અને નળની સ્વર્ણાદિથી મોટી પૂજા કરી. (સત્કાર કર્યો.) પછી ભીમ રાજાએ તેવી રીતે યાચકોને પણ સ્વર્ણાદિના દાન વડે દેવામાંથી મુક્ત કર્યા. નિષધ રાજાએ અને નળે પણ યાચકોને મનવાંછિત દાન આપીને વિદાય આપી. પછી નળ સાથે નિષધ રાજા ભીમ રાજાના આગ્રહથી પ્રતિદિન મહોત્સવ કરતા ત્યાં એક માસ રહીને નિષધ રાજા પોતાના દેશ તરફ જવા માટે તૈયાર થયા. પછી ભીમ રાજાએ ભીની આંખે રોતી એવી દમયંતીને કહ્યું : “હે વત્સે ! દુઃખમાં પણ પતિના માર્ગને અનુસરનારી થજે. સ્ત્રીને પતિ જ પરમ દેવ છે.’’ ભીમ રાજાની આ શિક્ષાને ગ્રહણ કરીને નળના રથમાં બેસીને દમયંતીએ શ્વસુરના નગર તરફ પ્રયાણ કર્યું. ભીમ રાજા પણ પુત્રી પરના પ્રેમથી બંધાયેલા પ્રયાણ સમયે ત્રણ મુકામ સાથે જઈને. તે પછી નિષધ રાજાના કહેવાથી પોતાના દેશ તરફ જવા માટે પ્રયાણ કર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy