SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧૦૯) પાંડવ ચરિત્રમ્ આ બાજુ નિષધ રાજા નળ અને કૂબર સહિત ચતુરંગી સેનાથી પરિવરેલો વાજિંત્રોના અવાજથી દિશાઓને ગજાવતો દક્ષિણ દિશા તરફ ચાલ્યો. તે સૈન્યને ચાલતાં શું બન્યું? તે કહે છે માર્ગમાં પર્વતોનો સમૂહ હાથી, ઘોડા અને રથના પોદઘાતથી ચૂર્ણ થઈ ગયા, માર્ગમાં જતા સૈન્યના ચાલવાથી અને પાણી પી જવાથી બધી નદીઓ કાદવવાળી થઈ ગઈ. વળી માર્ગમાં આગળ જતાં સૈન્યથી બધા સરોવરો પ્રાયઃ ઉખર ભૂમિ જેવા થઈ ગયા. માર્ગમાં જતાં તે સૈન્યના ઉતારા માટે જગ્યા કરતાં મહાવનો ઘરના આંગણા જેવા થઈ ગયા. એ પ્રમાણે માર્ગમાં આગળ જતાં કુમ્હનપુર નગરે પહોંચ્યા. એ પ્રમાણે બીજા પણ રાજાઓ વાહનમાં બેઠેલા અને સૈન્યથી પરિવરેલા સર્વ સાથે સાથે આવી પહોંચ્યા. આવેલા બધા રાજાઓને જોઈને ભીમ રાજાએ પોતાના નગરના લોકોને બોલાવીને આ પ્રમાણે આદેશ આપ્યો. હે નગરજનો ! સંપૂર્ણ નગરમાં પુષ્પોને બિછાવો, મણિના તોરણો બાંધો. જલ્દી ધજાઓ ફરકાવો. માર્ગો ચારે બાજુ ચંદન-કેસરના છાંટાઓ વડે સિંચીને મોટા આવૃત્તવાળા (પહોળા) કરો. કારણ કે ખરેખર આજે જ સાક્ષાત્ કામદેવ સ્વરૂપ નિષધ રાજા સ્વયં અહીંયા આવ્યા છે. ઇત્યાદિ નગર શોભાને કરીને ભીમ રાજા નિષધ રાજાની સામે ગયા. માર્ગમાં સૂર્ય, ચંદ્રની શોભાને ગ્રહણ કરતાં બંને રાજા મળ્યા. પરસ્પર જોઈને બંને જણા આનંદ સાથે ઘોડા પરથી ઉતરીને આલિંગન કરવાની ઇચ્છાવાળા આલિંગન (ભેટી) આપીને સિંહાસન પર બેસીને ક્ષેમકુશળ વાર્તાને કરતાં થોડા સમય પછી અશ્વ પર બેઠા. રસ્તે આગળ જતાં છ ખંડની શોભારૂપ કુંડિનપુર નગરમાં આવ્યા. પછી ભીમ રાજાના કહેવાથી નિષધ રાજાની સેનાએ કેલિવનમાં રહેલાં નિવાસોને ગ્રહણ કર્યાં. નગરમાં રહેલા રાજમહેલમાં નિષધ રાજાને ઉતારો આપ્યો અને એ પ્રમાણે સર્વ રાજાઓ ચારે દિશાઓમાં અલગ અલગ પૂર્વ દિશા વગેરેના ઉદ્યાનમાં ઉતર્યા. પછી ભીમ રાજાએ કુંડિનપુર નગરની બહારથી પૂર્વ દિશામાં એક મણિના સ્તંભથી શોભિત નીલમણિના તોરણોથી મનોહર સુવર્ણના શિખરવાળો સ્વયંવર મંડપ કરાવ્યો, તે મંડપમાં વૈશાખી પૂર્ણિમાના દિવસે મળેલા સર્વે રાજાઓ ઊંચા મંચ પર બેઠેલા શોભી રહ્યા છે. હવે સ્નાન કરેલી, ચંદનાદિથી લેપ કરાયેલી છાતીવાળી, પહેરેલા દેવદુષ્ય કપડાવાળી સુવર્ણ રત્નના અલંકારોથી શોભતા શરીરવાળી, નર વિમાન (પાલખી)માં બેઠેલી સખી પરિવારથી પરિવરેલી સાક્ષાત્ લક્ષ્મીદેવી જેવી દમયંતીએ સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો. હાથમાં પુષ્પમાલાને ધરેલી સકલ અલંકારોથી શોભિત રતિના જેવા સ્વરૂપવાળી એવી દમયંતીને જોઈને બધા રાજાઓ વિચારે છે. આ બાલિકાને ધન્ય છે, જે આવા પ્રકારની દેખાય છે, તે પુરુષ ધન્ય છે, જે આ કન્યાને પરણશે, એમ સર્વ લોકો વડે સર્વ વિકલ્પોથી જોવાતી સ્વયંવર મંડપમાં પરિભ્રમણ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy