SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૬ એ પ્રમાણે રજા પામેલા મુનિ આકાશમાર્ગે ચાલી ગયા અને આ બાજુ તે પ્રિયંગુમંજરી દેવીએ ગર્ભ ધારણ કર્યો. તે ગર્ભના પ્રભાવથી સર્વ અંગોથી પુષ્ટ થયેલી લીલી વેલડીની જેમ વધે છે. ત્રીજા મહિનાના અંતે તે રાણીને ગંગાજલથી મિશ્ર ક્ષીરસાગરના પાણીથી સ્નાન કરવાનો દોહદ (મનોરથ) ઉત્પન્ન થયો, પછી પૂર્ણ થયેલા દોહદવાળી રાણી પ્રિયંગુમંજરીએ ક્રમે કરીને સંપૂર્ણ મહિને શુભ દિવસે પુત્રીને જન્મ આપ્યો. તેના ભાલપ્રદેશ પર ઉગતા એવા સૂર્ય જેવું સ્વાભાવિક તિલક લોકોએ જોયું તથા તે સમયે આકાશમાં આવા પ્રકારની વાણી થઈ. આ ત્રણ ખંડ ભારતના રાજાની પત્ની થશે. ક્રમે કરીને મોટી થતી એવી તેનું સ્વજનોએ નામ પાડ્યું સર્વ સ્ત્રીઓના ગર્વને દમન કરનારી હોવાથી તેણીનું નામ દમયંતી, એ પ્રમાણે સ્વજનોએ રાખ્યું. બીજું નામ તેના જન્મદિવસે દવથી પીડાતો હાથી નગરમાં આવ્યો. તેથી તેના પિતાએ તેનું દવદન્તિ એ પ્રમાણે નામ રાખ્યું. તે ક્રમે કરીને આઠ વર્ષની થઈ, પછી કલાચાર્ય પાસે પિતાએ ભણવા માટે મોકલી. વેદાંત, પુરાણ, વ્યાકરણ, છેદ, જ્યોતિષ, સંગીત, સાહિત્ય, તકદિ અનેક શાસ્ત્રમાં નિપુણ કરીને ગીત, નૃત્યાદિ અનેક કલામાં કુશલ જાણીને અધ્યાપકે ભીમ રાજા પાસે લાવીને તેની કલાની ચતુરાઈ બતાવી. પુત્રીની તે કલાને જોઈને હર્ષિત થયેલા રાજાએ. એને (કલાચાર્યને) દાન આપ્યું. તે આ પ્રમાણે પોતાની પુત્રીના કલાચાર્યને રાજાએ લાખ સહસ દીનારો વડે સત્કાર કરીને વિદાય આપી. ક્રમ કરીને યૌવન દશામાં આવેલી તેને જોઈને ભીમ રાજાએ વિચાર્યું, આનો અનુરૂપ વર કોણ થશે ? એવી ચિંતાથી સ્વયંવર મંડપ શરૂ કર્યો. તે સ્વયંવર મંડપમાં સર્વ રાજાઓ અને રાજપુત્રોને બોલાવવા માટે ગૌડ, ચૌડ, કર્ણાટક, લાટ, દ્રવિડ વગેરે દેશોમાં અલગ અલગ દૂતોને મોકલ્યા. ત્યાં જઈને મને આપની પાસે ભીમ રાજાએ સ્વયંવર મહોત્સવ ઉપર તમને બોલાવવા માટે મોકલ્યો છે. હે દેવ ! શીધ્ર ચાર પ્રકારની સેનાથી પરિવરેલા દક્ષિણ દિશા તરફ યાત્રા કરવા માટે હાલ વિલંબ કરશો નહિ. કારણ કે વૈશાખ પૂર્ણિમાના દિવસે દમયંતીનો સ્વયંવર મહોત્સવ થવાનો છે. માટે હાલ વિલંબ કરવાનો અવસર નથી. તે સાંભળીને હર્ષિત થયેલ નિષધ રાજાએ તેને હજાર અશ્વ સાથે કોટિ સુવર્ણ ઇનામમાં આપ્યું. બહુમાનપૂર્વક રજા પામેલો તે દૂત પોતાના નગરમાં આવીને નિષધે કહેલું અને નિષધે આપેલું સર્વ ભીમ રાજાને જણાવ્યું. ભીમે રજા આપેલો દૂત પોતાના ઘર તરફ જતાં ફરી દમયંતી પાસે આવ્યો અને તે દૂતે નળના રૂપનું વર્ણન કર્યું. તે સાંભળીને દમયંતીએ તેને ઇનામમાં સુવર્ણનું આભૂષણ આપ્યું. સંતોષ પામેલો તે પોતાના ગૃહે ગયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy