SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ ૧૦૧ પાંડવ ચરિત્રમ્ બધા રાજાઓના સમૂહને દૂતો થકી બોલાવ્યા. દ્વારિકા પ્રતિ કૃષ્ણને નિમંત્રણ આપવા માટે યુધિષ્ઠિરે નકુલને મોકલ્યો તથા બંધુ વાત્સલ્યવાળા યુધિષ્ઠિરે બાંધવ સાથે દુર્યોધનને નિમંત્રણ દેવા માટે સહદેવને મોકલ્યો. એવું બીજા પણ રાજાઓને દૂત દ્વારા બોલાવ્યા. એ પ્રમાણે દૂતો વડે બોલાવાયેલા રાજાઓ ભેંટણાઓ લઈને આવ્યા. પૂર્વદિશાના રાજા યુધિષ્ઠિરને ઐરાવણ હાથીઓ ભેટ કરીને સેવા કરે છે. દક્ષિણ દેશના રાજાઓ વજ વૈડૂર્યમણિ માણિક્યથી ભરેલા સોનાના થાળને આગળ મૂકીને સેવા કરે છે. પશ્ચિમ દિશાના રાજાઓ દિવ્ય કૌશય વસ્ત્ર અને હિરણ્યમય આભૂષણો ભેટ કરીને સેવા કરે છે. એ પ્રમાણે ઉત્તર દિશાના રાજા યુધિષ્ઠિરને તે તે દેશોમાં બનેલી વિશિષ્ટ વસ્તુઓ આગળ મૂકીને સેવા કરે છે. એમ બધાય રાજા યુધિષ્ઠિરના મહેલમાં ભેગા મળે છતે જે જે કર્યું તે તે કહું છું. કેટલાક રાજાઓ શ્રી શાંતિનાથની પ્રતિષ્ઠા માટે પવિત્ર તીર્થજળ લાવે છે. કેટલાક કવચ પહેરેલા અને શસ્ત્રવાળા રાજાઓ શ્રી શાંતિનાથ પ્રાસાદની બહાર ચારે દિશાઓમાં રક્ષા કરવા માટે ફરે છે. કેટલાક રાજાઓ સ્નાત્ર માટે ઔષધ-જળ આદિ લાવવા માટે જાતિવાન ઘોડા પર બેઠેલા આમ તેમ દોડી રહ્યા છે તથા ૬૪ રાજાઓએ સુવર્ણમય ધ્વજદંડને અઢારવાર જાતે સ્નાન કરાવ્યું. એટલે કે ધ્વજદંડ પર અઢાર અભિષેક કર્યા. કેટલાક રાજાઓ કુમકુમના છાંટણાઓ કરી તિલક કરે છે. કેટલાક રાજાઓ આઠ પડનો મુખકોશ બાંધીને ધૂપના ધૂપિયાને હાથમાં રાખીને જળથી ભરેલ સુવર્ણના કળશને હાથમાં રાખી સ્નાત્ર ભણાવે છે. કેટલાક રાજાઓ સુવર્ણ કલમ વડે યક્ષ કર્દમ ઔષધિથી મણિમય પાટલા પર નંદાવર્ત આલેખે છે. કેટલાક રાજાઓ શ્રી શાંતિનાથની પાસે ચામરો વીંઝે છે. કેટલાક રાજાઓ જિનવરની આગળ દર્પણ ધરે છે. કેટલાક રાજાઓ ઘી, દહીં આદિનું ભાજન હાથમાં લઈ ઊભા રહ્યા છે. કેટલાક રાજાઓ જિનવરની આગળ ફળાદિ મૂકે છે. કેટલાક રાજાઓએ સુગંધી દ્રવ્ય સંમિશ્રિત સંપુટ (કોડિયા) હાથમાં લઈને ઋદ્ધિ, વૃદ્ધિ આદિ ઔષધિઓ ધારણ કરી છે, એ પ્રમાણે જે કાંઈ જિન પ્રતિષ્ઠા અંગેનું કાર્ય બાકી હતું, તે તે બધું રાજાઓ કરે છે. આ પ્રતિષ્ઠા મહોત્સવને કેટલાક અન્ય તીર્થિકો (જૈનેતરો) રાજસૂય યજ્ઞ કહે છે. આ યજ્ઞ નથી, પરંતુ જિન પ્રતિષ્ઠાનું કાર્ય છે. આ બધા ગૃહસ્થના કાર્ય પછી બુદ્ધિસાગરાચાર્ય અંજનશલાકા અને વાસક્ષેપ કરીને આઠ સ્તુતિ વડે દેવવંદન દ્વારા જિનેશ્વરને નમસ્કાર કર્યા પછી શાંતિ જિનમંદિર પર કળશ, ધ્વજારોપણપૂર્વક પ્રતિષ્ઠા કર્યા પછી રાજાઓએ શાંતિપાઠ કર્યો છે. એ પ્રમાણે ત્યાં યુધિષ્ઠિરે દશાંહ્નિકા મહોત્સવ કર્યો. લહરાતી પતાકા (ધ્વજા)વાળા જિનમંદિરને જોઈને બધા રાજાઓએ યુધિષ્ઠિર રાજાની પ્રશંસા કરી. પછી તે તે બધા રાજાઓ સુવર્ણ, મણિ, માણિક્ય, હાથી, ઘોડા વગેરેથી સન્માન પામેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy