SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચિરત્રમ્ ૧૦૦ સૈન્યથી પરિવરેલો જયને વરેલો પાછો ફર્યો. હવે સમસ્ત કુલ જેના ચરણકમલમાં નમેલ છે, તેવો નકુલ પશ્ચિમ દિશામાં ફરતો સૌરાષ્ટ્ર દેશમાં ગયો. તે સૌરાષ્ટ્રમાં સકલ ગ્રામ, આકર, પુર, નગરોને સાધતો મહાસાગર સમ સરસ્વતી નદીની સમીપ, પ્રિયમેલક પ્રભાસ પાટણ આવ્યો અને ત્યાં સ્નાન કર્યું. પછી શ્રી ચંદ્રપ્રભ જિનવરને અષ્ટ પ્રકાર વડે અને સત્તર ભેદ વડે સારી રીતે પૂજીને મહોત્સવ સાથે જયસ્તંભોને રોપીને સર્વ પ્રકારના પ્રાપ્ત કરેલા જયવાળો નકુલ પાછો ફર્યો. સર્ગ - દેવેન્દ્ર તુલ્ય પરાક્રમી સહદેવ પણ કુબેર વિચરે છે તે ઉત્તર દિશા તરફ ગયો. તે દિશામાં કામ્બોજ, નેપાલ વગેરે દેશોને સાધ્યા (જીત્યા). પછી હિમાલય પર ચડીને પર્વત પર રાજ્ય કરનારા રાજાઓને જીતીને જયસ્થંભ રોપતો અને સાથે પૂર્વ રાજાઓએ રોપેલા સ્તંભોને ઉખાડતો સ્વનગરે પાછો ફર્યો. એ પ્રમાણે સુવર્ણ, રત્ન, મણિ, માણિક્ય, ઘોડા, હાથી આદિ અનેક ઋદ્ધિસંપન્ન બનેલા ચારેય પાંડવો એકસાથે પાછા આવ્યા. હવે યુધિષ્ઠિર પણ તેના ચાર ભાઈઓની સામે આવવાથી અને એકબીજા ભેટવા થકી બહુ આનંદ પામ્યા. એમ તે પાંચે ભાઈઓ પૃથ્વીને વિશે મેરુની જેમ શોભી રહ્યા. તે ભીમાદિ ચારે ભાઈઓ પણ યુધિષ્ઠિરને હંમેશા પ્રીતિપૂર્વક નમસ્કાર કરે છે. યુધિષ્ઠિર પણ તે ભાઈઓને આસનાદિ આપવા થકી સન્માન કરીને સિંહાસન પર બેસાડે છે. એ પ્રમાણે પાંચેય ભાઈઓ રાજક્રીડા કરતાં હાથી, ઘોડા, આરામ ખુરશીમાં બેસીને ઈચ્છા પ્રમાણે જાતે જ ઉદ્યાનાદિમાં ફરી રહ્યા છે... - ૬ એક દિવસ સુભદ્રા નામની અર્જુનની પત્નીએ નવ માસ અને સાડા સાત દિવસ પૂરા થતાં શુભમુહૂર્તો અને શુભલગ્ને પુત્રરતને જન્મ આપ્યો. તે પુત્રના જન્મ સમયે ધનના અર્થને ધન વડે કૃતાર્થ કરીને જન્મ સમયની અશુચિકર્મની વિધિ પૂર્ણ થતાં બારમો દિવસ પ્રાપ્ત થતાં કાશ્યપ પતિ યુધિષ્ઠિરે અભિમન્યુ એવું નામ રાખ્યું. અભિમન્યુના જન્મ થયે છતે રાજાએ દાન આપ્યું. સાતક્ષેત્રોમાં ધનરૂપી બીજને વાવ્યું. કહ્યું છે કે = વ્યાજથી ધન બે ગણુ, વ્યાપારમાં ચાર ગણું, ખેતરમાં સો ગણું અને પાત્રમાં અનંતગણું થાય છે. Jain Education International આ મહોત્સવમાં યુધિષ્ઠિરે સુવર્ણથી શોભિત, મણિમાણિક્યની પ્રતિમાથી અલંકૃત શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. પ્રાસાદનું વર્ણન આ પ્રમાણે છે. સુવર્ણથી યુક્ત મણિનું શિખર, સ્ફટિકના પગથિયાની શ્રેણી, ઇન્દ્રનીલ પત્થરનું તળિયું અને તોરણોથી શોભિત વળી મોતીઓની જાળીઓથી શોભિત વધારે કહેવાથી શું ? પૃથ્વીરૂપી વધૂના કાનના કુંડલની જેમ શોભે છે. તેની ઉપમા સ્વર્ગમાં, પૃથ્વી પર અને પાતાળમાં પણ નથી. જેથી ઉપમા આપી શકાય. વિશ્વમાં અદ્ભૂત શોભાવાળા તે પ્રાસાદના ધ્વજારોપણના મહોત્સવમાં (અવસરમાં) યુધિષ્ઠિરે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy