SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૬ અને યુધિષ્ઠિરથી વિદાય પામેલા પોતપોતાના દેશમાં ગયા. તે પછી યુધિષ્ઠિરે સમુદ્રવિજય આદિ યાદવોનો સત્કાર કરીને વિદાય આપી તથા દુર્યોધન વિના બધા પોતાના ગૃહે ગયા. પરંતુ બંધુ પરની પ્રીતિથી દુર્યોધનને યુધિષ્ઠિર રાજાએ ત્યાં રાખ્યો ત્યાં રહેલ દુર્યોધન પાંડવોના પ્રત્યક્ષ દર્શનથી ઉત્પન્ન થયેલ ઈર્ષાવાળો મામાની સાથે અંતરમાં કોપ રાખીને લાંબાકાળ સુધી આવી રીતે રહ્યો. રમવા માટે પત્થરના ઢગલા પર વાવડી, કેલિઘર અને ઉદ્યાનાદિઓમાં શુભ મનવાળા પાંડવોની સાથે તે અશુભમનવાળો ક્રીડા કરી રહ્યો છે. એક વખત મણિચૂડ વિદ્યાધરે બનાવેલ મણિરત તળિયાવાળી દિવ્ય સભા (મંડપ)ને જોવા માટે થોડા પરિવારવાળા દુર્યોધને પાંડવો સાથે તે સભા (મંડ૫)માં પ્રવેશ કર્યો. તે સભામાં મણિ (સ્ફટિક)નું તળિયું છે. એવું જાણી ન શકવાથી તેને જળથી ભરેલી જમીન છે, એમ જાણીને અધો વસ્ત્ર ઊંચુ કરતાં બધા સેવકો અને પાંડવો હસ્યા. કારણ કે – સ્ફટીક જેવા નીલરત્નના તળીયામાં પાણીની શંકાથી વસ્ત્રને ઊંચા લેતા કૃત્રિમ આકાશ સમી સ્ફટીક મણિની ભીંત પર આકાશની બુદ્ધિ (ભ્રાંતિ)થી કુદકો મારતાં તે ભીંત પર અથડાયો ત્યારે ભ્રાન્તિવાળા તે દુર્યોધનની બધા મશ્કરી કરતાં હસ્યા.. તે જોઈને દુર્યોધન મનમાં ખેદને પામતો સભાને જોઈને શીધ્ર બહાર આવ્યો. દુર્યોધનનું વિલનું મુખ જોઈને પાંડવોએ પૂછ્યું : “હે બાંધવ ! શા માટે નિષ્કારણ વિલખું મુખ દેખાય છે.” દુર્યોધન બોલ્યો : “તમારા હાસ્ય (મશ્કરી) કરવાથી.” યુધિષ્ઠિરે કહ્યું : “ભાઈના હસવાથી શું? તું સ્વસ્થ થા, ખેદને છોડી દે. પ્રેમનો પ્રકર્ષ મનમાં ધર.” એમ ઘણું કહેવા છતાં પણ દુર્યોધન પેદને છોડતો નથી. અહો, દુર્જનનો આવો સ્વભાવ છે. હાસ્ય માત્રમાં પણ દુર્જનમાં ઈર્ષ્યા ઘણી ઉત્પન્ન થાય છે. પાડુ પુત્ર યુધિષ્ઠિરે હાથી, ઘોડા, રથ આદિ વડે સન્માન કરવા છતાંયે દુર્યોધને પાડુ પુત્રો પર ઈર્ષ્યા ધરતા ઇન્દ્રપ્રસ્થ નગર પ્રતિ પ્રયાણ કર્યું. રસ્તામાં મામાએ દુર્યોધનને પૂછ્યું : “હે ભાણેજ ! તારા ચિત્તમાં શું દુઃખ રહ્યું છે. કારણ કે તું શૂન્ય મનસ્કવાળાની જેમ વારંવાર શ્વાસ છોડતો પૂછવા છતાં કંઈ પણ પ્રત્યુત્તર આપતો નથી.” એ પ્રમાણે બળાત્કારે મામાએ વારંવાર પૂછવા છતાં જવાબ આપતો નથી. એટલે મામાએ દુર્યોધન પાસે જઈને રસ્તામાં વહાણમાં બેસીને જતા હતા ત્યારે હાથ પકડીને કહ્યું: “હે ભાણજા ! તારા દુઃખનું શું કારણ છે? જો કંઈપણ છૂપાવવા જેવું ન હોય તો મને તે સત્ય કહે.” દુર્યોધને કહ્યું : “હે મામા ! સાવધાન થઈને સાંભળો. આ પાંડવો મારા શત્રુ છે. ઇન્દ્ર સભા સરીખી સભા બનાવીને સુખે ક્રીડા કરે છે તથા યુધિષ્ઠિરે બધા રાજાઓને વશ કર્યા છે. તેઓ નોકરોની જેમ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ગૃહકાર્યો કરતા હતા તથા જેણે સકલ રાજાઓને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy