SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૯િ૪) સર્ગ - ૫ છે. શીલ અત્યંત પવિત્ર યશનું કારણ છે. શીલ જ નિવૃત્તિ (મોક્ષ)નું કારણ છે. શ્રેષ્ઠ શીલા ખરેખર કલ્પવૃક્ષ સમાન છે”. એવા પ્રકારનું શીલ મેં અંગીકાર કર્યું છે. હવે આ પ્રભાવતીને ગ્રહણ કરો. એ પ્રમાણે કહીને પ્રભાવતી અર્જુનને આપી. વળી વિદ્યાધરે કહ્યું: “હે અર્જુન ! તમે હેમાંગદ રાજા પાસે જલ્દી જાઓ. કારણ કે મેં ત્યાં ઠગવાની વિદ્યા મોકલી છે. તે વિદ્યાથી પ્રભાવતીનું રૂપ કરીને રાજા મોહિત કરાયો છે. તે વિદ્યાથી મોહિત થયેલો રાજા જ્યાં સુધી ચિતામાં ન પ્રવેશે ત્યાં સુધીમાં તમે આ મૂળ સાચી પ્રભાવતીને લઈને જલ્દી જાઓ.” તે વિદ્યાધરે કહેલું સાંભળીને અર્જુન પ્રભાવતીને વિમાનમાં બેસાડીને જાતે વિમાનમાં ચડીને ત્વરિત તમારી પાસે આવ્યો છે. પોતાનું મુખ બતાવવા માટે અસમર્થ મેઘનાદ વિદ્યાધર પણ અર્જુનને પૂછી સ્વસ્થાને ગયો. એ પ્રમાણે પ્રભાવતીની પૂર્વમાં થયેલી ઘટનાને કેસર વિદ્યાધરના મુખથી સાંભળીને હર્ષ પામેલો હેમાંગદ રાજાએ પતી, સૈન્ય અને અર્જુન સાથે હિરણ્યપુર નગરે મોટા મહોત્સવ પૂર્વક પ્રવેશ કર્યો (આવ્યા). ત્યાં આવીને અર્જુનને ઊંચા સિંહાસન પર બેસાડીને આ પ્રમાણે કહ્યું : “હે અર્જુન! મને પ્રાણ આપનારા એવા તારા ઉપકારનો બદલો શી રીતે વાળું ? છતાં હું માંગુ છું, આ રાજ્યને ગ્રહણ કરો. તમે મારા નાયક બનો. હું તમારો સેવક છું.” કારણ કે – પ્રીતિથી ખરીદાયેલા આ પ્રાણોને, ભૂજાથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીને અને ગુણથી પ્રાપ્ત થયેલા આ રાજ્યને જે રીતે ગમે તે રીતે કૃતાર્થ કરો, યાને પવિત્ર કરો... ભોગવો... તે સાંભળીને અર્જુને કહ્યું : “ હેમાંગદ ! જો તમારું રાજ્ય સ્વર્ગ તુલ્ય છે. તો પણ તમારા રાજ્યનું મારે કંઈ કામ નથી. સ્વસ્થ ચિત્તે તમે તમારા રાજ્યનું સારી રીતે પાલન કરો.” એ પ્રમાણે અર્જુન હેમાંગદને જ્યાં કહે છે, તેટલામાં બહેનના હરણની વાતને સાંભળીને મણિચૂડ વિદ્યાધર સૈન્ય સહિત અર્જુનની પાસે આવી ગયો. ત્યાં આવેલા મણિચૂડ અર્જુનને લઈને પ્રભાવતીની પાસે ગયા. પ્રભાવતીને કુશલ ક્ષેમ પૂછીને અને વળી હેમાંગદને પૂછીને અર્જુનની પાસે બેઠા. ત્યાં હેમાંગદના રાજ્યમાં મણિચૂડ સાથે અર્જુનની બહેનના પતિ (હેમાંગર)ના આગ્રહથી કેટલાક દિવસ રહ્યો. એક વખત હસ્તિનાપુરથી હર્ષથી વિકસિત નયનવાળા કોઈ એક પુરુષે આવીને અર્જુનને જણાવ્યું, હે કુમાર ! ગુપ્તચરના સમુહ વડે તમે અહીં આવેલા સાંભળીને તમને બોલાવવાને માટે મને મોકલ્યો છે. કારણ કે, રાજા પાડુ વૃદ્ધને યોગ્ય ક્રિયા કરવા માટે ધર્મપુત્ર (યુધિષ્ઠિર)ને રાજ્ય પર અભિષેક કરવાના મનવાળા તમને બોલાવે છે તથા તમારા વિરહમાં કુન્તી માતા નિરંતર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy