SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૫ ૯૫ પાંડવ ચિરત્રમ્ સતત અશ્રુ સારે છે. તેમજ તમારા ભાઈઓ યુધિષ્ઠિર આદિ મળવા માટે ઉતાવળા થયા છે. આથી તમે જલ્દી ચાલો, ત્યારે અર્જુને તેને કહ્યું : “હે મહાપુરુષ ! તું આગળ જા. મારા આગમનને આવવાના સમાચાર માતા-પિતાને કહે. આ હું શત્રુંજય તીર્થે જિનને નમીને ત્વરિત જ આવું છું.’’ એમ કહીને દૂતને વિદાય આપીને જાતે જ વિમાનમાં ચઢીને મણિચૂડ સહિત આકાશમાર્ગે શત્રુંજય તરફ ચાલ્યા. શત્રુંજયે જઈને ભક્તિપૂર્વક આદિ જિનને નમીને કૃષ્ણના દર્શનની ઉત્કંઠાવાળા અર્જુન દ્વારકા આવ્યા અને સામે આવેલા કૃષ્ણ અર્જુનને ભેટ્યા. બે શરીરયુક્ત બંને એકતાને પામ્યા અર્થાત્ બંને એક શ૨ી૨રૂપ લાગ્યા. કૃષ્ણે અર્જુનનું સ્વાગત કરીને પોતાની બહેન સુભદ્રા આપી. શુભમુહૂર્તે તે બંનેના લગ્ન કરાવ્યા તથા કૃષ્ણે તેઓના કરમોચન (દહેજ) વખતે બહુ સુવર્ણ, રત્ન, મણિ, માણિક, હાથી, ઘોડા આદિ આપીને અર્જુનનું બહુમાન કર્યું. પિતાના મિલનની ઉત્કંઠા હોવા છતાં કૃષ્ણના આગ્રહથી ત્યાં રહીને આનંદપૂર્વક કેટલાક દિવસો પસાર કર્યા... એક વખત અર્જુને કૃષ્ણને પૂછીને પત્ની સુભદ્રાની સાથે વિમાનમાં બેસીને ગગનમાર્ગે હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યુ. પછી વિદ્યાધર (ખેચર) એવા સૈનિકોથી પરિવરેલા મણિચૂડ હેમાંગદ આદિ સહિત અર્જુન નગર, ગામ, સરોવરાદિથી શોભિત પૃથ્વીને જોતાં વિદ્યાધર રાજાઓ સાથે વાર્તાને કરતાં વાજિંત્રો વડે દિશાઓને ધિર કરતાં ભટ્ટારકોના જયજય રવ વડે વિશ્વને એકનાદવાળું કરતા હસ્તિનાપુરના આંગણમાં આવ્યા. ભાઈ અને પિતાને આવેલા જોઈને વિમાનમાંથી ઉતરીને પૃથ્વીતલને સ્પર્શ કરતો પિતાના ચરણકમલને મસ્તકથી સ્પર્શ કર્યો. પાણ્ડ રાજાએ પણ ચરણકમલમાં નમતાં અર્જુનને બાહુ વડે પકડીને છાતી સાથે આલિંગન કર્યુ તથા મસ્તકને ચૂમ્યું. ઘણા દિવસે આવેલા પુત્રને જોઈને હર્ષના અશ્રુની ધારા વડે અર્જુનના મસ્તકને રાજ્યાભિષેક કરતાં હોય તેમ જાણે અશ્રુધારા વડે સિંચ્યો તથા ગંગાના પુત્રાદિ સકલગુરુ વર્ગે યથાયોગ્ય ઔચિત્ય આચાર અર્જુને કર્યો. માતાના વર્ગમાં પણ તેવી જ રીતે ભક્તિ કરી. એ પ્રમાણે યુધિષ્ઠિર આદિ બાંધવોએ પણ નમસ્કાર કરતાં અર્જુનને ગાઢ આલિંગન કર્યુ. પછી અર્જુન બધા સ્વજનોને વિમાનમાં બેસાડીને ઇન્દ્રની જેમ દેવ સમૂહોથી પિરવરેલો, નગરજનોથી સ્તવાતો ધ્વજાઓના સમૂહથી શોભિત હસ્તિનાપુરમાં પ્રવેશ્યો. નગરમાં પ્રવેશ કરતાં અર્જુનને જોઈને સર્વ નાગરિકો આશ્ચર્યથી વિકસિત મુખવાળા બન્યા કેટલાકે અર્જુનની પ્રકૃષ્ટ પ્રશંસા કરી. કેટલાકે કુલની પ્રશંસા કરી. કેટલાકે માતાપિતાના પુણ્યની પ્રશંસા કરી. એ પ્રમાણે જનતાથી કરાતી પ્રશંસા સાંભળતો ધનંજય (અર્જુન) દાનને આપતો માર્ગમાં નાચતી એવી નર્તકીને જોતાં પોતાના ઘરે આવી ગયો. ત્યાં અતિ સ્નેહથી કુન્તીના ઘરમાં પ્રવેશ કર્યો તે મંગલને ગ્રહણ કરીને પહેરગિરો વડે પ્રજા દૂર કરાઇ. મહેલની અંદર અર્જુને પ્રવેશ કર્યો, રાજા પાણ્ડના આદેશથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy