SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૫ પાંડવ ચરિત્ર તેટલામાં પ્રભાવતીએ મેઘનાદને કહ્યું : “હે પાપી ! તારૂં ચાપલ્ય (હોંશિયારી) મૂક. શા માટે જીવિતને હણે છે ? કારણ કે મારા પતિની આગળ તું કોણ માત્ર ? બીજા વિદ્યાધર આદિ કોણ ? ઇન્દ્ર પણ મારા પતિ આગળ સંગ્રામમાં કાયર છે.” આગળ તેણે કહ્યું : “હે વિદ્યાધરેશ ! મારા પ્રાણપ્રિય પતિના તલવારરૂપ દીવામાં પતંગિયા જેવો ના બન.” એ પ્રમાણે વારંવાર તરછોડતી જ્યાં રહી છે, તેટલામાં અવલોકિની વિદ્યા વડે જાણી વિમાનમાં બેઠેલો અર્જુન મારો, મારો એ પ્રમાણે બોલતો ત્યાં આવ્યો. અર્જુને તે વિદ્યાધરને કહ્યું : “હે અધમ વિદ્યાધર ! આ હેમાંગદની પતી, મણિચૂડ વિદ્યાધરની બહેન, અર્જુનની પણ ધર્મની બહેન. મહાસતી એવી આ પ્રભાવતીને હાથ વડે સ્પર્શ નહિ. જો તું બલાત્કારથી સ્પર્શ કરીશ તો વિદ્યારહિત થઈશ અને પરસ્ત્રીના સંગથી ભસ્મસાત્ થઈશ. આથી તું દૂર થા.” એ પ્રમાણે બોલતા અર્જુનને મણિચૂડનો મિત્ર જાણીને પ્રસન્ન મુખવાળી પ્રભાવતી આ પ્રમાણે બોલી : “હું ધન્ય છું, કારણ કે મારી પાછળ મારો ભાઈ અર્જુન સામે આવ્યો છે.” વળી તેણે કહ્યું : “હે કુલદેવતા ! મારા શીલનો પ્રભાવ હોય, તો બધી કુલદેવીઓ અર્જુનના શરીરમાં અધિષ્ઠિત થાઓ. જેથી અર્જુન યુદ્ધમાં વિજયી બને, એવું પતિવ્રતા વ્રત સાંભળવાથી ખુશ થયેલ અર્જુને વિદ્યાધરને કર્કશ વાણીથી તિરસ્કાર્યો. તે અધમ વિદ્યાધર ! તૈયાર થા. કૃપાણ હાથમાં લે, મારી પણ આ તલવાર બીજાની સ્ત્રીના સંગને કરનાર દુષ્ટ એવા તને શિક્ષા આપશે. એ પ્રમાણે કહીને અર્જુન વિદ્યાધરને હણવા માટે દોડ્યો. વિદ્યાધર પણ અર્જુનને ધિક્કારતો યુદ્ધ માટે તૈયાર થયો. એ પ્રમાણે તે બંનેય જણે પહેલા વિદ્યા વડે યુદ્ધ કરીને પછી તલવાર તલવારથી યુદ્ધ કર્યું. એ પ્રમાણે યુદ્ધ કરતાં જયને પામેલા અર્જુનથી મેઘનાદ ખભા પર તલવારથી એવી રીતે હણાયો, જેથી મૂચ્છ વડે ભૂમિતલ પર પડ્યો. અને પછી દયાથી ભીંજાયેલા અંતરાત્માવાળા એવા અર્જુને મૂચ્છ પામેલા વિદ્યાધરને વસ્ત્રના છેડા વડે સારી રીતે પવન નાખીને ચેતના લાવીને આ પ્રમાણે કહ્યું : “અરે ઓ વિદ્યાધરાધીશ! તૈયાર થા, ઊભો થા, પૌરુષપણાને કલંક ન લગાવ. આવ મારી સાથે યુદ્ધ કર.” એ પ્રમાણે અર્જુનની વાણી સાંભળીને ભયભીત થયેલો મેઘનાદ વિદ્યાધર અર્જુનને પાડુપુત્ર જાણીને ઉત્સાહ સાથે કહ્યું : “હે અર્જુન, પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ, એમ ત્રણેય લોકમાં પોતાનું રક્ષણ કરવામાં બહાદુર પાંડવો જ છે. તમારાથી હું જીતાયો છું અર્થાત્ હું પરાજય પામ્યો છું. તેવી રીતે વળી તમારા વડે હું પરસ્ત્રીના સંગથી છોડાવાયો છું અને તમે મને નરકથી બહાર કાઢ્યો છે. અહો અર્જુન! આજથી લઈ હું પરસ્ત્રીનો સંગ નહિ કરું.” કારણ કે - “મનુષ્યને શીલ કુલની ઉત્પત્તિ કરનારું છે. શીલ શ્રેષ્ઠ આભૂષણ છે. શીલ જ સ્થાયી અમૂલ્ય ધન છે. શીલ સદ્ગતિમાં લઈ જનારું છે. શીલ દુર્ગતિ વિનાશક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy