SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨. પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૫ પ્રભાવતી સાથે અર્જુન આવી પહોંચ્યો. ત્યાં આવેલા અર્જુને ધૂમ્રથી અત્યંત વ્યાપ્ત આકાશને હજારો ચિતા વડે સંકુલને અને દુઃખે કરી સાંભળી શકાય તેવા લોકોના આક્રંદથી આક્રાન્ત વનખંડને જોઈને શોકાકુલ બધા લોકોને પૂછ્યું : “ લોકગણ ! આ ચિતા શા માટે તૈયાર કરી છે ? તમે તેમાં પ્રવેશવાની ઇચ્છાવાળાની જેમ દેખાવ છો ? રાજા પણ મરણ માટે તૈયાર થયેલો તેવી જ રીતે દેખાય છે ? આ બધું શું છે?” ત્યારે લોકોએ કહ્યું : “સ્વામિન્ ! રાણી પ્રભાવતી પુષ્પો ભેગા કરતી રાજાને મળી. તે પછી સર્પના કરડવાથી મૃત્યુ પામી. રાજા પણ તેને મૃત્યુ પામેલી જાણીને જાતે મરવા તૈયાર થયો. રાજાની પાછળ અગ્નિમાં પ્રવેશવાની ઇચ્છાવાળો ઋણ વિનાનો થવા ઇચ્છતો આ આખોય રાજલોક ચિતામાં અગ્નિ પ્રગટાવીને જ્યાં પ્રવેશ કરે છે, તેટલામાં તમે પરોપકાર કરવામાં કર્મઠ વાદળ સમાન યોગ્ય સમયે જગતના જીવનની જેમ આવી ગયા.” તે સાંભળીને આશ્ચર્ય પામેલા અર્જુને પ્રભાવતી રાજાને આપીને, રાજાને પાછો વાળ્યો (બોધ પમાડ્યો) તથા બધા લોકોને શોક વિનાના કરીને પોતાની વાણીરૂપ અમૃત વડે સિંચતા પાછા વાળ્યા. તે ચિતાઓ પાણી વડે બૂઝવી નાખી. અર્જુન રાજાની ચિતા નજીક (પાસે) કૃત્રિમ પ્રભાવતીને જોવાને માટે જ્યાં જાય છે, ત્યાં ચિતાની વચ્ચેથી ઉઠીને ફૂત્કાર (ફૂફૂ) કરતી બધાને જોતાં કૃત્રિમ પ્રભાવતી અદૃશ્ય થઈ ગઈ અર્થાત્ પલાયન થઈ ગઈ. પછી રાજા સ્વસ્થ થયો. પ્રભાવતીના સંગથી (મળવાથી) પોતાને અમૃતનો કુંડ મળ્યો તેમ માનવા લાગ્યો. તે પછી કેસર વિદ્યાધરે હેમાંગદની આગળ આવીને આ પ્રમાણે વિનંતી કરી જણાવ્યું). હે રાજન્ ! આ પાડુ પુત્ર અર્જુન તે વિદ્યાધરે હરણ કરેલી તારી પ્રિયાને લાવ્યો છે. તે સાંભળીને એકદમ ઉઠીને હેમાંગદ અર્જુનને બંધુની પ્રીતિથી ભેટી પડ્યો. પછી રાજાએ અર્જુનને ઉચ્ચ સિંહાસન પર બેસાડીને પ્રિયાના અપહરણનો વૃત્તાંત પૂક્યો. પછી અર્જુનના આદેશથી કેસર વિદ્યારે સર્વ વિદ્યાથી પ્રભાવતીના વૃત્તાંતને જાણીને તે હેમાંગદને કહ્યો. તે આ પ્રમાણે : હે રાજન્ ! તારી નજીકમાં રમતી તારી પ્રિયાને વૈર્યપુરનો રાજા મેઘનાદ હરીને હેમકુટ પર્વત પર લઈ ગયો. ત્યાં ઇન્દ્ર નામના ઉદ્યાનમાં જઈને તારી પ્રિયાને મેઘનાદે આ પ્રમાણે કહ્યું : “હે સુષુમનુષ્યમાં કીડારૂપ હેમાંગદની સાથે તું શું કરીશ? તને શું સુખ મળશે ? મને પતિ બનાવીને વૈડુર્યપુરની સ્વામિની થા. જેથી ત્યાં રહેલા વિદ્યાધર અને વિદ્યાધરીઓ તારી સેવા કરશે. એથી આપણે બંને ઇન્દ્ર, ઇન્દ્રાણીની જેમ હંમેશને માટે સુખનો અનુભવ કરીશું તથા હું તને ગગનગામિની આદિ ઘણી વિદ્યાઓ શીખવાડીશ. તે વિદ્યાથી તું વિદ્યાધરી થઈને વિમાનમાં બેસી વ્યોમગામિની થઈ અનેક દ્વીપ પર્વતોને જોતી દેવીની જેમ ઇચ્છા પ્રમાણે સુખ ભોગવ.” ઇત્યાદિ અનેક વચનો વડે જ્યાં પ્રભાવતીને લોભાવતો રહ્યો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy