SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૫ | (૯૧). પાંડવ ચરિત્રમ્ શીલવાળી તારી પ્રિયા પ્રભાવતીને લઈ આવીશ. પછી તે કેસર વિદ્યાધર હેમાંગદને એ પ્રમાણે અર્જુને કહેલું કહીને પાછો આવ્યો અને પછી અર્જુન અવલોકિની (જોવાની) વિદ્યાથી પ્રભાવતીના ચોરને જાણીને ક્રોધથી લાલ આંખવાળો અર્જુન આકાશમાર્ગે દોડ્યો. રાજા પણ અહીં તહીં ભટકતો જ્યાં બેસે છે, ત્યાં કોઈ આવીને હેમાંગદને વધામણી આપે છે.” હે દેવ ! વધામણી આપું છું. પ્રભાવતી દેવી પુષ્પો એકઠા કરી રહી છે. તે સાંભળીને દોડતો રાજા પ્રભાવતીની પાસે આવીને જ્યાં આનંદ રસમાં ડૂબે છે, ત્યાં પ્રભાવતી અચાનક દંડશુક્ર સર્પ વડે ડંસાયેલી પોકાર કરતી મૂર્શિત થયેલી ભૂમિ પર પડી ગઈ, તે જોઈને રાજાનો શોક સો ગુણો વધી ગયો. જેમ દીપક બૂઝાઈ જવાથી અંધકાર વધારે લાગે છે, તેવી જ રીતે આ રાજાની પ્રાણપ્રિયા પ્રભાવતી મળવા છતાં પણ ન મળવા જેવું થયું, જે દુઃખને માટે થયું તે આ પ્રમાણે. વાળ જેના વિખરાઈ ગયા છે, કપડાં ફેંકાઈ ગયા છે, હાથ જેના ઢીલા થઈ ગયા છે, આંખો જેની મિંચાઈ ગઈ છે, એવો મૂચ્છિત થયેલો રાજા પૃથ્વી ઉપર પડ્યો. તેવા પ્રકારના રાજાને વિરહથી દુઃખી થયેલો, ભૂમિ પર આળોટતો જોઈને લોકોના આકંદના અવાજો ઉઠ્યા. એટલે કે લોકો મોટેથી આક્રંદ કરવા લાગ્યા, ત્યારે કેળાના પાનના વાયુથી વીંઝાતો તથા ચંદનાદિના શીતલ ઉપચારો વડે કરીને, ઉપચાર કરાયેલો રાજા ચેતનાને પામ્યો. પછી ચેતનાને પામેલો તે રાજા હેમાંગદ પ્રિયા પ્રભાવતીને ખોળામાં સુવાડીને જંગલના પ્રાણીઓને રોવડાવતો આ પ્રમાણે વિલાપ કરે છે. હે વિધે ! તું હેમાંગદ પર જો કોપિત થઈ હો તો પ્રથમ હેમાંગદના પ્રાણોને કેમ કરતી નથી ? મારી પ્રિયાના પ્રાણોને કેમ હર્યા. અહો ! તે ઉલટું આચરણ કર્યું છે. કારણ કે સ્ત્રી હણવાનું અધમ પાપાચરણ કર્યું છે. હે દેવી ! જાગ, મૌન ધારણ કરીને સુખપૂર્વક સૂતેલાની જેમ શા માટે રહી છો, તું મને વિલાપ કરતો જોઈને લાને કેમ નથી પામતી ? હું તારા વિરહમાં મારા પ્રાણોને તારી આગળ છોડીશ. તારા વિયોગથી મલિન એવા મારે પ્રાણ વડે કરીને શું? એ પ્રમાણે વિલાપ કરીને જ્યાં મરણ માટે ઉદ્યુત થાય છે, તેટલામાં નગરજનો, અમાત્યાદિ પાદપીઠ (ચરણ) પાસે નમેલા મસ્તકવાળા રાજાને અશ્રુવાળી આંખોથી મૃત્યુના સાહસથી વારંવાર પાછો વાર્યો (વારે છે). તે લોકો વડે વાળવા છતાં પણ રાજાએ પ્રિયાની વિરહવ્યથાને જીવનના અંતને કરનારી જાણીને ચિતાને તૈયાર કરાવી. પછી પૂરી રાજલોક પણ રાજાની પાછળ જવાની ઇચ્છાવાળો દેહત્યાગને ઉચિત ઘણી ચિતાઓ બનાવી. - હવે રાજા હાહાકાર કરતાં લોક હોવા છતાં પ્રિયાને ખોળામાં લઈને જ્યાં ચિતામાં પ્રવેશે છે, તેવી જ રીતે પૂરો રાજલોક પણ પોતપોતાની ચિતામાં પ્રવેશવા તૈયાર થયો તથા રાજા આદિ લોકોએ પોતપોતાની ચિતાને અગ્નિની જ્વાળા વડે જ્યાં સળગાવી તેટલામાં આકાશમાર્ગેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy