SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ co સર્ગ - ૫ “શરીર અનિત્ય છે, વૈભવ શાશ્વત નથી, મૃત્યુ નજીક આવી રહ્યું છે માટે સદા ધર્મનો સંચય કરવો જોઈએ.” કાળ જઈ રહ્યો છે. આયુષ્ય ઓછું થઈ રહ્યું છે અને મનોરથો (ઇચ્છાઓ) પૂર્ણ થતા નથી. પુણ્ય કાંઈપણ કર્યું નહિ, તે સજ્જનોને યાદ કરવા યોગ્ય છે સર્વ સુખોનું મુખ્ય કારણ હોવાથી જગતનો સાર ધર્મ છે. તેની ઉત્પત્તિ મનુષ્યથી છે, તેથી જ મનુષ્યપણું સારરૂપ છે. હે ભવ્યો ! એ પ્રમાણે દુઃખે કરીને પામી શકાય તેવા મનુષ્યભવમાં ધર્મમાં પ્રયત કરવો જોઈએ ઇત્યાદિ કર્ણને માટે અમૃતમય વરસતી મુનિની દેશના (વાણી) સાંભળીને આનંદરૂપ સમુદ્રમાં નિમગ્ન (ડૂબેલો) અર્જુન તે મુનિને નમીને વિમાનમાં બેસી ગગન માર્ગેથી સમેતશિખર, શત્રુંજયાદિ તીર્થમાં રહેલ જિનપ્રતિમાને નમીને, સ્તુતિ કરીને, પૂજા કરીને, તીર્થસેવા કરીને, બાર વર્ષ વીતાવીને સ્વજનોના મેળાપ માટે ઉત્સુક થયેલ જ્યાં હસ્તિનાપુર તરફ ચાલ્યો ત્યાં જ માર્ગમાં શોકાર્ત લોકોનું સંકુલ (ટોબા)વાળું એક વન જોયું. તેના સ્વરૂપને જોવા માટે કેસર નામવાળા ખેચરને મોકલ્યો. તેણે ત્યાં જઈને તેના સ્વરૂપને જાણીને અર્જુન પ્રતિ કહ્યું : “હે રાજન્ ! સાંભળો, હિરણ્યપુર નામનું નગર છે. તે નગરમાં ઇન્દ્રની ઉપમા સમાન હેમાંગદ નામનો રાજા છે. તેની રાણી પ્રભાવતી નામની પટરાણી છે. આજ અલ્પ રાત્રિ બાકી રહી ત્યારે ચંદ્રશાલામાં (અગાશીમાં) સુખપૂર્વક (સુખેથી) સૂતેલી તેણીનું કોઈએ અચાનક બાજથી ચકલીનું જેમ હરણ કરાય છે તેમ. અપહરણ કરાતી એવી તે મારી રક્ષા કરો, રક્ષા કરો.” એ પ્રમાણે બોલતી તેણીએ રાજાને જગાડ્યો. જાગેલા ભયંકર ભ્રકુટી ચડાવેલ રાજા કૃપાણ ખેંચીને રે ચોર! ઉભો રહે! ઉભો રહે! એ પ્રમાણે બોલતો દોડ્યો. કેટલીક ભૂમિ દૂર જઈને તેની પતીને ન જોવાથી છલાંગ ચૂકી ગયેલા દિપડાની જેમ પાછો ફર્યો, પછી શત્રુને દૂર કરવા માટે અને પતીને પાછી મેળવવા માટે સૈન્યને તૈયાર કર્યું. ભૂમિ પર પડેલી તેની વેણીમાંથી પડેલા પુષ્પની શ્રેણીને પદની શ્રેણીની જેમ જોઈને તે પુષ્યની નિશાની દ્વારા બતાવેલા માર્ગે હેમાંગદ રાજા ત્યાં સુધી આવ્યો. કે જ્યાં સુધી પુષ્પ દેખાતા હતાં. પછી તે પડેલી પુષ્પશ્રેણીને ન જોતાં સૈન્યની સાથે રાજા અહીં તહીં ભમે છે. એ પ્રમાણે કેસર વિદ્યાધરની દુઃખથી સાંભળી શકાય તેવી વાણી સાંભળીને અર્જુને આ પ્રમાણે બોલ્યો : “હે કેસર ! આ હેમાંગદની પતી પ્રભાવતી છે. આ મણિચૂડની બહેન છે. મારી પણ આ બહેન છે, તો એને હું છોડાવું છું.” એ પ્રમાણે કહીને કેસરને રાજાની પાસે મોકલ્યો. ત્યાં જઈને હેમાંગદ રાજાને કહ્યું: “હે હેમાંગદ ! પાંચ પાંડવોની મધ્યના પાંડવ એવા અર્જુને મારી સાથે સંદેશો મોકલાવ્યો છે. હે હેમાંગદ ! તું સ્વસ્થ ચિત્તવાળો થા, હું અખંડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy