SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૫ (૮૯). પાંડવ ચરિત્રમ્ થતાં મણિચૂડ વિદ્યાધરના સુભટો વડે વિદ્યુતવેગના ત્રાસ પામેલા સુભટો બધી દિશાઓમાં ભાગી ગયા અને પછી અર્જુનના બાણથી વિંધાયેલા વિદ્યુતવેગ કાયરપણાના કારણે શરમિંદો થયેલ પ્રાણના રક્ષણ માટે પલાયન થઈ ગયો, ત્યારબાદ વિદ્યુતવેગના સુભટોએ ભેગા મળીને તે અર્જુનને નમસ્કાર કર્યા અને તેઓને તેણે (અર્જુને) માન આપ્યું (સન્માન કર્યું, પછી વિમાનમાં બેઠેલા અર્જુને મણિચૂડને આગળ કરીને વિજય સાથે રતપુર નગરમાં પ્રવેશ કર્યો. મહામહોત્સવ વડે નગરમાં પ્રવેશ કરેલા અર્જુને સકલ નગરજનો વડે અભિનંદન કરાતો મણિચૂડ વિદ્યાધરનો પિતાના પદ પર અભિષેક કર્યો. પછી મણિચૂડે પણ પિતાના રાજ્યનું પાલન કર્યું. ત્યાં રહેલ ધનંજયે (અર્જુને) કેટલાક દિવસો પસાર કર્યા. વળી પણ કેટલાક દિવસો પછી તીર્થને જોવાની ઇચ્છાથી મણિચૂડને પૂછ્યું અને પછી મણિચૂડની રજા પામેલ અર્જુન વિમાનમાં બેસીને અષ્ટાપદ ગિરિ પર ગયો ત્યાં જઈને વિદ્યાધર પરિવાર સાથે અર્જુને વાવડીના પાણીમાં સ્નાન કર્યું, કરેલા સ્નાનવાળા, વિદ્યાધરથી પરિવરેલા અર્જુને જિનમંદિરમાં પ્રવેશ કર્યો અને તેણે ત્યાં પ્રથમ પ્રદક્ષિણા આપીને પૂજાની સામગ્રી આગળ મૂકીને અષ્ટ પડવાળને મુખકોશ બાંધીને. અષ્ટ પ્રકારે જિનને પૂજ્યા. શ્રેષ્ઠ પુષ્પ, ધૂપ, અક્ષત, દીપક, ફળ, જળ (પાણી), કળશ વડે અને નૈવેદ્ય વિધાન વડે આઠ પ્રકારે જિનપૂજા કહી છે. જે કોઈ દોષ વિનાના જિનેન્દ્ર રાજને ત્રિકાલ પૂજે છે, તે ત્રીજે ભવે મોક્ષ પામે છે અથવા સાત, આઠ ભવમાં મોક્ષ પામે છે. પૂજા કરનારાઓને સૌભાગ્ય, જનપ્રિયતા, ઐશ્વર્ય, ૫, આરોગ્ય, સ્વર્ગ અને મોક્ષસુખ રૂપ ફલ પ્રાપ્ત થાય છે. એ પ્રકારની મોક્ષસુખને આપનારી પૂજાને કરીને વિદ્યાધરોએ ઇચ્છા પ્રમાણે વાજિંત્રો વગાડ્યા. હવે અર્જુન ચોવીસ જિનોની મધ્ય પ્રથમ (પહેલા) પ્રથમ જિનેશ્વરની સ્તુતિ કરે છે. હે ત્રણ ભુવનના નાથ ! જય હો, ત્રણે જગતને સનાથ કરનારા ! ઇચ્છિત આપનારા કલ્પવૃક્ષનો જય હો, જગતના આધારનો જય હો, ત્રણે જગતની સ્થિતિ વ્યવહાર બતાવનારનો કરનારનો જય હો, અશરણને શરણનો જય હો. યુગની શરૂઆતના નાથનો જય હો.... એ પ્રમાણેની સ્તુતિ કરીને સ્વસ્વ સંસ્થાન, માન, વર્ણ સાથે ત્રેવીશ જિનોને નમસ્કાર કર્યા. તે પછી મંદિરમાંથી નીકળીને ચારે દિશાઓમાં પ્રાસાદની સુંદરતાનું અવલોકન કરતાં ભરતની યશોરાશિની જેમ પ્રાસાદની પ્રશંસા કરતાં જ્યાં ઉભા રહ્યા તેટલામાં ત્યાં એક ચારણ શ્રમણને જોયા. તેના દર્શનથી રોમાંચ ખીલી ગયા. મૂર્તિમાન ધર્મની જેમ જોઈને, તેને નમીને, તેની બાજુમાં બેસીને ભવસમુદ્રમાં નાવ સમાન તેમના મુખથી ધર્મદેશના સાંભળી. તે આ પ્રમાણે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy