SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચિરત્રમ્ સર્ગ - ૫ ૮૫ કરવા માટે વિદેશ જવાની મારી ઇચ્છામાં નિષેધ કરવાનું તમારામાં કાયરપણું ક્યાંથી ? આથી તમે મને વિદેશ જવા માટે રજા આપો. જેથી કરીને મારી અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનું પાલન થાય. તેવી રીતે મુનિનું વચન પણ સત્ય થાય. એ પ્રમાણે યુક્તિપૂર્વક યુધિષ્ઠિરની આજ્ઞાથી માતા-પિતાની રજા લઈને અને ભીમાદિ ભાઈઓને જણાવીને જવાની તૈયારી કરી. પછી અમંગલની ભીતિથી આંસુઓને રોકતી દ્રૌપદીએ પ્રસ્થાન કરતાં અર્જુનને આ પ્રમાણે કહ્યું : “તમારો માર્ગ કલ્યાણકારી બનો. વળી ફરી આપનો સમાગમ જલ્દી થાઓ. તમારૂં ઇચ્છિત સાધો (પાર પામો પાર પામો...) અવસર આવે અમને યાદ કરજો.’’ દ્રૌપદીએ ફરી અર્જુનને કહ્યું : “હે પ્રાણેશ ! દેશાંતર જઈને કંઈ નવી વિદ્યા અને કંઈક લક્ષ્મી પ્રાપ્ત કરીને શીઘ્ર પાછા આવજો.” એ પ્રમાણે બોલતી, પ્રેમમાં રત, અત્યંત કોમલ બની છે હૃદયની ભાવનાઓ એવી પ્રાણપ્રિયા, એને પાછળ આવતી દ્રૌપદીને આલિંગન કરીને પ્રિય શબ્દો થકી સમજાવીને ત્યાં રાખીને બાણ અને ભાથા સાથે એકલો નગરમાંથી નીકળીને આગળ ચાલ્યો. અર્જુનને માર્ગમાં જતાં જોઈને દ્રૌપદી પ્રેમથી આંખ વડે જોતી રહી. અર્જુન પણ વારંવાર ડોકને વાળીને દ્રૌપદીને જોતો માર્ગમાં ચાલ્યો જાય છે. એ પ્રમાણે માર્ગમાં જતા અર્જુને એક મોટું સરોવર જોયું. તે સરોવરમાં જલક્રીડા કરીને વન્ય ફલો વડે અર્જુન દેહને આધારભૂત આહારને લે છે. તે જ સરોવરના કાંઠે આહારને લઈને અર્જુન જાતે બનાવેલી વન પુષ્પોની શૈય્યામાં મધ્યાહ્ન કાળ વીતી ગયો ત્યાં સુધી સુખપૂર્વક સૂઈ ગયો. પછી ચાલતા એવા અર્જુને કૌતુકથી ભરેલી પૃથ્વીને ઓળંગતા એક બિહામણિ, ફરતાં એવા પ્રચૂર ચોરોથી વ્યાપ્ત, રૌદ્ર, ઘોર, ભયંકર, મનુષ્ય વિનાની અનેક પ્રકારના વન પશુઓથી સહિત શિયાળીયાના ઘોર અવાજવાળી, સિંહ, વાઘ, ડુક્કર, વાનર, ચિત્તા, વેતાલથી વ્યાપ્ત, પર્વત, નદી, ઝરણાં, વેલડીના સમૂહરૂપ વનરાજીથી શોભિત એવા પ્રકારની અટવી (વન)માં પ્રવેશ કર્યો. વનમાં સિંહની જેમ ફરતાં અર્જુને પૃથ્વીના શિ૨૨ત સમાન ગિ૨િ૨ત શિખરને જોયું. તે ગિરિ શિખરને જોઈ તે પ૨ ૨હેલા વૃક્ષમાંથી નીકળતા રસમાં લુબ્ધ બનેલો અર્જુન કૌતુકવશાત્ તે ગિરિ ઉપર ચડી ગયો. તે ગિરિના શિખર પર એક જિન ચૈત્યને જોયું. ચૈત્યનું વર્ણન કરતાં કહે છે કે : ચંદ્રકાન્ત મણિમય (યુક્ત) પ્રભાત કાલના કિરણોથી ઉદ્યોતવાળા ઇન્દ્રમણિથી જડેલ જેનું દ્વાર છે. લાલ વર્ણવાળા પગથિયાની શ્રેણિથી શોભિત, સુવર્ણના સ્તંભ પર કુંભોથી શોભિત પૃથ્વી પર આવેલા દેવવિમાન જેવું જિનમંદિર જોઈને અર્જુન ખુશ થયો. તે અર્જુન તે ઉદ્યાનના વાવડીના પાણીમાં સ્નાન કરીને અત્યંત આનંદથી સ્ફૂર્તિવાળા બનેલા તેણે સરોવ૨માંથી કમળનો જથ્થો લઈને જિનમંદિરમાં પ્રવેશ કર્યો. પછી ત્યાં પ્રદક્ષિણા આપીને શ્રી યુગાદીશ્વર જિનેશ્વરને નમીને પૂજા કરીને ચૈત્યવંદન કરવા લાગ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy