SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૫ પાંડવ ચિરત્રમ્ ૮૬ સ્તુતિ કરતા બોલ્યો :– “હે દેવ ! જય હો નાભિકુલરૂપ સમુદ્રને માટે ચંદ્ર ! સંપૂર્ણ જગતના દુઃખરૂપ તાપને હરનાર વાદળ ! સંસારરૂપ વનના અંત સુધી ઘટાદાર વૃક્ષ ! તમારા ચરણો મારા ભવરૂપ ખેદને દૂર કરનારા બનો.' ઇત્યાદિ સ્તુતિ કરીને અર્જુન જ્યાં જિનાલયનું નિરીક્ષણ કરતો બહાર નીકળ્યો ત્યારે ગિરિના શિખર પર કોઈ પુરુષને આત્મહત્યા કરતો તથા હે પ્રાણેશ ! આત્મહત્યા ન કરો, એ પ્રમાણે બોલતી પતિના ચરણકમલમાં મસ્તકને નમાવતી, પોતાના મુખરૂપી કમલમાં અંગુલીને નાખતી અને પતિના ઉત્તરીય (ખેસ) વસ્ત્રને ખેંચતી વારંવાર (ક્ષણ ક્ષણ) વિલાપ કરતી, તેને અટકાવતી કોઈક સ્ત્રીને અર્જુને જોઈ, તે દૃશ્યને જોઈને ત્યાં જલ્દી જઈને આદરપૂર્વક તેને કહ્યું : “હે મહાભાગ ! હે ગુણજ્ઞ ! નિર્ગુણીને ઉચિત તું આ આત્મહત્યા શા માટે કરી રહ્યો છે ? જો કાંઈપણ છુપાવવા જેવું ન હોય તો સત્ય વસ્તુ મને કહે. જેથી તારા દુઃખનો હું અંત કરી શકું?” તેણે પણ હાથ જોડીને અર્જુનને કહ્યું : “હે પરોપકાર શિરોમણિ ! તારી આગળ છુપાવવા જેવું હોય તો કોની આગળ કહીએ.” ત્યારે અર્જુને કહ્યું : “હે પુરુષ શિરોમણિ ! વિશ્વના રક્ષણની પ્રતિજ્ઞા કરવાવાળા એવા મને જાણીને તું મને સર્વ સત્ય કહે. જેથી તારા દુઃખને હું દૂર કરૂં.” તે સાંભળીને હર્ષિત થયેલો વિદ્યાધર આ પ્રમાણે બોલ્યો : “વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં રતપુર નામનું નગર છે. ત્યાં ચંદ્રાવતંશક નામનો રાજા છે.” તેની કનકસુંદરી નામની પટ્ટરાણી છે. તેમનો હું મણિચૂડ નામનો પુત્ર છું. તેઓની પુત્રી પ્રભાવતી નામની મારી બહેન છે અને મણિચૂડ નામનો એવો હું રમત માત્રમાં બાલવય ઓળંગી ગયો ત્યારે પિતાએ ગુરુ પાસે બધી કલાઓ મને શીખવાડી. અનુક્રમે યૌવન વયમાં આવેલા એવા મને પિતાએ ચંદ્રાપીડ રાજાની પુત્રી ચંદ્રાનના સાથે પરણાવ્યો. મારી બહેન પ્રભાવતી હિરણ્યપુરના રાજા હેમાંગદને આપી તથા કુલપરંપરાથી આવતી વિદ્યા પણ પિતાએ મને આપી. જ્યારે હું પિતાએ આપેલી વિદ્યાને સાધુ છું, ત્યાં મારા પિતા મૃત્યુ પામીને પરલોકમાં ગયા. અહો વિધિનો આ વિલાસ, અહો સકલ ભયને જીતવાવાળાને મરણનો ભય છે. પરંતુ તેને કોઈપણ ઉલ્લંઘવા માટે શક્તિશાળી નથી, એ પ્રમાણે વિચારતો હતો, ત્યારે સકલ સામંત મંત્રીઓએ મને રાજ્ય પર બેસાડ્યો. પછી કેટલાક દિવસો પછી મારો જ સંબંધી વિદ્યુàગ નામનો વિદ્યાધર વિદ્યાધરોની સેનાથી પિરવરેલો મારી સાથે યુદ્ધ કરીને મને નગરથી બહાર કાઢી મૂક્યો. તે સંબંધીથી હરાયેલા સામ્રાજ્યવાળો, દુઃખરૂપ ભારથી દુઃખી થયેલો હું એકલો જ્યાં અહીં સુધી જ આવ્યો, ત્યારે આ મારી પ્રિયા ચંદ્રાનના પણ પિતાના ઘરથી અહીં આવી. આ યુક્ત છે કુલવાન સ્ત્રીનું વ્રત, આ જ તે હું મણિચૂડ, આ મારી પ્રેમ પરાયણા પતી ચંદ્રાનના રાજ્યથી ભ્રષ્ટ થવાથી પ્રાણના ત્યાગ માટે જતા મને રોકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy