SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૫ ઉપમા જેવો નગરના દ્વાર પર આવ્યો. પોતાના બચ્ચામાં ઉત્સુક એવી તે ગાયો અર્જુનના નિર્મળ) યશની જેમ ઉજ્જવલ દૂધને ઝરાવતી પોતપોતાના સ્થાનમાં આવી ગઈ. હવે નગરના દરવાજે રહેલ અર્જુને નારદ ઋષિએ કરાવેલ પોતાની પ્રતિજ્ઞાના ભંગને જાણીને કુન્તી, પાડુ, યુધિષ્ઠિરને પૂછવા માટે અને કુટુંબને પૂછવાને માટે કેટલાક પુરુષને મોકલ્યા. તે પુરુષ માતા-પિતાની પાસે જઈને બેકર જોડીને આ પ્રમાણે બોલ્યા. આજ મેં પ્રજાને માટે મુનિની મર્યાદાનો ભંગ કર્યો છે. કુરુવંશવાળાઓ તે પ્રતિજ્ઞા માટે કાંઈ પણ ઢીલા થતા નથી. તેથી વનમાં બાર વર્ષ સુધી તીર્થયાત્રા કરીશ. મહાન મુનિની તે વાણી આજે પ્રામાણિક થશે. તેથી તીર્થ, પર્વત, વનમાં વિહાર (જવા) માટે મારા પર પ્રસન્ન થાઓ અને મારા હૃદયમાં રહેલા તમારા ચરણકમળ મારા વિઘને દૂર કરશે. એ પ્રમાણે અર્જુને કહેલું સેવક મુખથી સાંભળીને માતા-પિતા પરિવાર સાથે અર્જુનની પાસે આવીને હાથમાં લઈને (પકડીને) આ પ્રમાણે બોલ્યા : “હે વત્સ ! બાલ્યવયમાં તીર્થયાત્રા અને વનમાં જવાનો આ કેવા પ્રકારનો તારો મનોરથ ? કારણ કે કુરુરાજાઓ પુત્રને રાજ્યનો ભાર આપીને વનવાસી બને છે. આથી તું પણ તારો પુત્ર ભાર વહન કરવામાં સમર્થ થાય ત્યારે, તીર્થયાત્રા વનવાસના મનોરથને કર. કારણ કે બળદને યોગ્ય ભાર શું વાછરડા પર નંખાય ? તું પણ બચ્ચા જેવો જ પ્રાયઃ રાજ્યની લીલાને ભોગવતો ઘરમાં જ રહે.” વળી માતાએ કહ્યું : “હે પુત્ર ! તારા વિના મારા દિવસો વર્ષ જેવડા થઈ જશે તથા દહીં, દૂધથી પોષણ કરાયેલું આ તારું શરીર વનફલના આહારથી શી રીતિએ વૃદ્ધિને પામશે, તેવી રીતે પૂર્વે છત્ર વડે અટકાવાયેલો તાપવાળો સૂર્ય મત્સરભાવ વાળાની જેમ માર્ગમાં તેને પોતાના કિરણોથી દુઃખી કરશે તથા તારામાં આસક્ત આ પતિભક્તા ચંદ્રમુખીને તારા વિરહથી અશ્રુભીના નયનવાળી પુત્રવધૂ દ્રૌપદીને છોડવા માટે કેમ ઇચ્છે છે.” એ પ્રમાણે જનની (માતા) બોલી રહી ત્યારે મોટાભાઈ યુધિષ્ઠિરે નાનાભાઈ અર્જુનને આ પ્રમાણે કહ્યું : “હે બંધુ ! માતા-પિતાને ઓળંગીને જે કાર્ય કરાય છે, તે સફલ થતું નથી. તારાથી પણ મુનિના વચનનો ભંગ શું થયો ? એમાં તારો કાંઈ દોષ નથી, તે તો પરોપકારને માટે આ કર્યું છે. બીજાને માટે કરેલું કાર્ય દૂષણરૂપ થતું નથી, આથી વિદેશ જવાનું કરીશ નહિ.” હવે ભીમે અર્જુનને કહ્યું : “હે બંધુ અર્જુન ! તારા વિયોગથી જાણે કાયર એવું મારું મન ફાટી જાય છે. વળી બીજું, તારા વનમાં ગયા બાદ અમને વિવિધ ક્રીડાઓથી કોણ ક્રીડા (રમત) કરાવશે.” ત્યારે ધર્યને ધરીને પોતાના પ્રતિજ્ઞાના પાલન માટે અર્જુને પોતાના ભાઈઓને કહ્યું : હે બંધુઓ ! તમને આ સ્નેહથી ઢીલાપણું (કાયરપણું) કેવું?” કારણ કે મારી પ્રતિજ્ઞાનું પાલન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy