SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૭૬ સર્ગ - ૪ કલાકુશલ, સત્યવાન, સર્વજન પ્રિય, સર્વદાતા, સુગંધી પ્રિય, સંવૃતમંત્ર, ક્લેશ સહ, અનુગત પ્રિય, વાક્યપંડિત, ઉત્તમ સત્વ, ધર્મિષ્ઠ, મહોત્સાહી, ગુણગ્રાહી, સુપાત્ર સંગ્રહી, ક્ષમી અને પ્રભાવક આવા ગુણોથી યુક્ત તે જિનદત્તનો પુત્ર સાગર છે. એક દિવસ સાગરના પિતા જિનદત્ત સુકુમાલિકાના ઘરની નજીકથી જતાં સુવર્ણના દડાઓથી ઘરમાં રમતી સુકુમાલિકાને જોઈ. તેના રૂપમાં મોહિત થયેલા જિનદત્ત મનમાં વિચારે છે. આ કન્યા મારા પુત્રને યોગ્ય છે. આ બન્નેનો મણિ સુવર્ણ મુદ્રિકા (વીંટી)ની જેમ જો સંયોગ થાય તો વિશ્વને બનાવનાર વિધાતાનો પ્રયાસ પ્રશંસનીય બને, ફોગટ ન થાય. કારણ કે – મણિ અને તાંબાના તારથી બંધાયેલા સોનાના આભરણનો સંગ્રહ ઉચિત છે. કારણ કે તે અવાજ નથી કરતું. બહુ ચળકતું નથી, એ બેનો સંબંધ કરનાર પ્રશંસનીય થાય છે. આથી આ બંનેનો સંયોગ કરાવું, એ પ્રમાણે વિચારીને જિનદત્ત સ્વજનથી પરિવરેલો સાગરદત્તના ગૃહે જઈને તેની પુત્રી સુકુમાલિકાને પુત્ર સાગરને માટે માગી. ત્યારે સાગરદત્તે પણ કહ્યું : “હે જિનદત્ત ! તારો પુત્ર સાગર જો મારો ઘરજમાઈ થાય તો આ મારી પુત્રી સુકુમાલિકા આપું, નહિ તો નહિ આપું.” કારણ કે આ મારી પુત્રી અને પ્રાણથી પણ પ્રિય છે. એનો વિરહ ક્ષણવાર પણ સહન કરવા હું શક્તિશાળી નથી, તે સાંભળી જિનદત્ત શ્રેષ્ઠિ ઘરે આવ્યો અને પુત્રને કહ્યું : “હે સાગર ! તું સાગરદત્તનો ઘરજમાઈ બનીશ.” તે પણ સુકુમાલિકાના રૂપમાં મોહિત થયેલો મૌન ધારી બેઠો. નિષેધ ન કરાયો, તેથી તેણે માની લીધું છે, એ ન્યાયથી તેનો અભિપ્રાય જાણીને સાગરદત્તને કહ્યું: “મારો પુત્ર સાગર ઘરજમાઈ થશે, તો તમે તમારી પુત્રી સુકુમાલિકાને મારા પુત્ર સાગરને આપો.” સાગરદતે સ્વીકાર કર્યો. પછી તે સાગર અને સુકુમાલિકાનો આશ્ચર્યજનક લગ્નમહોત્સવ કર્યો. લગ્નના સમયે તેના હાથનો સ્પર્શ સાગરને અંગારા જેવો લાગ્યો તથા લગ્ન કરેલા તે દંપત્તિ રાત્રિએ શયનખંડમાં પલંગમાં સૂતા ત્યારે પણ સાગરને તેના અંગનો સ્પર્શ જલતા અંગારા જેવો લાગ્યો. કારણ કે બાકી રહેલા કર્મના કારણે તેના અંગનો સ્પર્શ અંગાર જેવો થયો. અહો ! કર્મનું વિચિત્રપણું આશ્ચર્યકારી છે. કહ્યું છે કે – સુખ-દુઃખનો કોઈ આપનાર નથી, પરંતુ આ આપે છે એ કુબુદ્ધિ છે. હે શરીર ! પૂર્વે કરેલા કર્મ તારે જ ભોગવવાના છે. જે કંઈ તે કર્યું છે, તેનાથી પાર ઉતર. તે પલંગમાં મહાકષ્ટ કરીને ક્ષણવાર રહીને શયનમાં રહેલીને છોડી તે તુરંત નાસીને પોતાના ગૃહે આવ્યો. નિદ્રા પૂરી થતાં તેણી જાગી અને પતિને ન જોતાં ખૂબ રોઈ. પ્રભાત થયે તેની માતા સુભદ્રાએ દાંત સાફ કરવા માટે દાતણ અને પાણી ભરેલું ભાજન દાસીના હાથે મોકલ્યું. તે દાસીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy