SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૪ (૭૫) પાંડવ ચરિત્રમ્ - તે ચાર જ્ઞાનના ધરનારા ગુરુએ અવધિજ્ઞાન વડે નાગશ્રીએ કરેલું બધું જાણીને પોતાના બધા મુનિઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું : “હે સાધુઓ, તમે નગરમાં જઈને ત્રણ રસ્તા, ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં મોટા અવાજે આ પ્રમાણે ઘોષણા કરો.” તેથી તેઓ તે નગરમાં જઈને ગુરુએ કહેલું કહેવા માંડ્યું (લાગ્યા). હે લોકો ! આ નાગશ્રી સોમદેવની પતી છે. જેણે ઝેરી તુંબડાથી સાધુને માર્યા છે. આથી એ પાપીણિને ધિક્કાર હો.” તે સાંભળીને સોમદેવ આદિ બ્રાહ્મણોએ નાગશ્રીને ઘરની બહાર કાઢી મૂકી. લોકોએ પણ તિરસ્કાર કર્યો અને માટી, લાકડીઓથી તાડન કરાયેલી બધે જ્યાં ત્યાં ભમે છે. ખાંસી, દમ, તાવ, કંપવા, કોઢાદિ સોળ રોગોથી ઘેરાયેલા શરીરવાળી તે અહીંયા જ નરકના દુઃખને પામી, ભૂખ-તરસથી પીડાતી, ડગલે ડગલે લોકમાં નિંદાતી, દુઃખને પામતી તે મરીને છઠ્ઠી નરકમાં ગઈ. નરકથી બહાર નીકળીને માછલા (મસ્ય)માં ઉત્પન્ન થઈ, ત્યાંથી સાતમી નરકમાં ગઈ. ફરી પાછી માછલી થઈ, એ પ્રમાણે બબ્બે વખત બધી નરકોમાં ભમી. પછી પૃથ્વીકાયાદિ પાંચમાં વારંવાર ઉત્પન્ન થઈ. વિશેષ તો વનસ્પતિઓમાં કડવા વૃક્ષમાં, વિષવૃક્ષમાં, કંટકવાળા વૃક્ષમાં, નિંઘવૃક્ષમાં વારંવાર મરીને ત્યાં જ ઉત્પન્ન થઈ. એ પ્રમાણે અનંતકાયોમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થઇ, મસ્યાદિ જળચરોમાં, વાઘ, સિંહ, ચિત્તાદિ દુષ્ટ ક્રૂર ચતુષ્પદો (પશુઓમાં), ગીધ, ઘુવડાદિ દુષ્ટ પક્ષીઓની જાતિઓમાં, ગરોળી, કાચંડાદિ ભૂજપરિસર્પોમાં, બધાય ઉરપરિસર્પોમાં વારંવાર ઉત્પન્ન થઈ, એ પ્રમાણે અનંતકાળ સંસારમાં ભમીને કોઈપણ રીતે કર્મનું લઘુપણું થવાથી ચંપાનગરીમાં સાગરદત્તના ગૃહે સુભદ્રા નામની પતીની કુક્ષિમાં સુકુમાલિકા નામની પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. ક્રમે કરીને મોટી થઈ, સંપૂર્ણ લક્ષણવાળી કન્યા થઈ. તે કેવી છે, તેનું વર્ણન કરે છે. ગૌર રંગવાળી, યૌવનને ભજનારી, મધુરવાણી યુક્તા, સૌભાગ્યશાલિની, ભાગ્યના ઉદયવાળી, કાનના અંત સુધીના ચક્ષુવાળી અત્યંત ચાતુર્યથી ભરેલી, મોટાઈના ગર્વથી યુક્ત, રમણીય, લાલ હંસ જેવી ધીમી ગતિવાળી, હાથીના કુંભસ્થલ જેવા સ્તનવાળી, પરવાળાના રંગ જેવા હોઠવાળી, પૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી, ભ્રમરોની શ્રેણીથી શોભતી એવી તે સુકુમાલિકા શોભી રહી છે. આ બાજુ તે જ નગરમાં જિનદત્ત નામનો શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામની પતી છે. તેઓનો પુત્ર સાગર નામનો છે. તે પણ યૌવન વયને પ્રાપ્ત થયેલો અને બત્રીશ ગુણોથી યુક્ત છે. જેવા કે સત્યવાન, વશીકર્તા, બલવાન, સતત જય, પ્રીતિમાન, સત્યરંગ, સાવયવ, પ્રિયંવદ, કીર્તિમાન, દાન-વ્યસની, વિવેકી, શૃંગારવાન, અભિમાની, ફ્લાવ્ય, સમુક્વલ ગુણ, સકલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy