SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૪ ૭૩ તે અર્જુન બાણના ટંકારરૂપ શબ્દથી, પર્વતના તટને ભેદતો, શબ્દથી અદ્વૈત આ જગતને કરતો, પૃથ્વીને ધ્રુજાવતો, વિશ્વને બહેરો કરતો, દિશારૂપ હાથીઓને ત્રાસ પમાડતો એક જ બાણ વડે સામા પક્ષના રાજાના હૃદય સરીખી રાધાની ડાબી આંખ ભેદી દીધી (નાખી). તેથી સંતુષ્ટ થયેલા દેવોએ અર્જુન પર પુષ્પવૃષ્ટિ કરી. તે અવસરે કુન્તીનું અને પાણ્ડનું સકલ જગત આનંદમય બની ગયું અને તેવી રીતે યશમય બની ગયું. દ્રૌપદી પાણ્ડ પુત્રોને દૃષ્ટિના કોણ થકી આંતરિક ઇચ્છા સાથે જોતી રાજાઓની જેમ પાંચેય પાંડવોને વરવાની ઇચ્છા હોવા છતાં લોકોના અપવાદની શંકાવાળી એવી તેણીએ અર્જુનના કંઠમાં સ્વહાથોથી વરમાળાને નાખી. તે વરમાળા બધાના જોતાં દિવ્ય પ્રભાવથી એક હોવા છતાં પ્રત્યેકને (સર્વને) તે પાંચે પાંડવના કંઠમાં દેખાઈ. ત્યારે આ પ્રમાણે આકાશવાણી થઈ. સારૂં સારૂં રાજકન્યા વરી તેમાં શંકા ન કરો. એ પ્રમાણે આકાશમાં ઊંચા સ્વરે દૈવીવાણી થઈ. તે સાંભળીને દ્રુપદ રાજા વિચાર કરે છે. પાંચેય પાણ્ડુ રાજાના પુત્રોને એક પુત્રી આપતાં સર્વ સજ્જનોને હું હાસ્યરૂપ બનીશ, તો હું શું કરૂં ? એ પ્રમાણે જ્યાં ચિંતાને દ્રુપદ રાજા કરતો હતો, તેટલામાં આકાશ માર્ગથી વધતા એવા શ્રેષ્ઠ, અનુપમ વ્યાસ, સમતા, દમન, વિમલ દેહની કાન્તિથી દિશાઓને પ્રકાશમાન કરતા ચારણ શ્રમણ મુનિને આવતા જોઈને તે બધાય રાજાઓએ તે મુનિપુંગવોને ઊંચા આસને બેસાડીને જમીનને મસ્તક અડાડીને નમસ્કાર કર્યા. યાને દંડવત્ પ્રણામ કર્યા. મુનિશ્વરે પણ બધા રાજાઓને દેશના આપી. : તે આ રીતે સર્કુલમાં જન્મ, અનેક પ્રકારનો વૈભવ, પ્રિયનો સમાગમ, સુખની પરંપરા, રાજકુલમાં મોટાઈપણું, વિમલયશ આ પુણ્યરૂપી વૃક્ષનું ફેલ છે. જો રાજા ધાર્મિક ન હોય તો રાજ્ય નરકનું કારણ બને છે. પરંતુ જો ધાર્મિક હોય તો અહીંયા અને પરલોકમાં સુખને પામે છે. મણિરચિત સિંહાસન પર બેઠેલા મુનિએ બધા સભાજનોને એ પ્રમાણેની દેશના આપીને જ્યાં અટક્યા, તેટલામાં કૃષ્ણે કહ્યું : “હે મુને ! દ્રૌપદીને આ પાંચ ભરથાર (પતિ) કેવી રીતે થયા ?' મુનિએ કહ્યું : “હે રાજન્ ! પૂર્વે કરેલા નિદાનથી આ પાંચ પતિ થયા છે. આ દ્રૌપદી પાંચ પતિવાળી થશે. માટે કોઈપણ જાતની ચિંતા ન કરવી.’ કારણ કેઃ- નારિયેળ ફલના પાણીની જેમ જે થવાનું હોય તે થાય જ છે. હાથીએ ખાધેલા કોઠાની જેમ જે જવાનું છે, તે જાય જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy