SearchBrowseAboutContactDonate
Page Preview
Page 970
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ તત્ત્વત્રયીમીમાંસા. ખંડ ૨ છે. અને નવમાં શ્રી કૃષ્ણ વાસુદેવ ને, વિષ્ણુના અવતાર રૂપે કાયમ રાખી, તેમના મોટાભાઈ બલલકને પિતાનાજ સ્થાન પર કાયમ રાખેલા છે. વાસુદેવ કહે, કે વિષ્ણુ કહે, એકજ નામ છે. તેમાં એવી કલ્પના કરી કે–વિષણ લેકમાંથી સાક્ષાત્ વિષ્ણુ ભગવાન આવતા. અને દેવ દાનની લડાઈમાં ઉતરતા, તેમાં કરેડે દેવતાઓને નાશ કરાવતા, અને પોતે પણ તેમાં ફસતા. અનાદિ કાલના એકના એક દેવમાં આ કલ્પના કેટલી ભયંકર ? આમાં તે શી અકકલા વાપરી હશે? મોટા મોટા થઈ ગએલા પંડિતેને તે શું વધારે લખીને બતાવું? જૈન જ્ઞાન બતાવવામાં નવું સાધન જેનોના તરફથી પણ ઘણા ગ્રંથે છપાઈને બહાર પદ્ધ ગએલા છે. તેમાંના કેટલાક પ્રથાને ઉપયોગ તે માત્ર જેનોના માટેજ થએલે છે. અને તેથી આગળ ઉંચા દરજાના ગ્રંથને ઉપયોગ મોટા મોટા પંડિતે કરી રહ્યા છે. પરંતુ સાધારણ માણસના ઉપકાર માટે થાય તેવા પ્રકારના ગ્રંથે, હજુ સુધી બહાર પડેલા હોય, તેવું મારા જાણવામાં આવ્યું નથી. એમ સમજીને અમોએ આ ઉદ્યમ કરેલ છે. જો કે આ ગ્રંથ ઘણા ઉંચા દરજાને નથી. છતાં પણ સાધારણ પ્રકારના માણસેને,તેમજ પંડિતેને પણ, જેને માન્યતાનું, તેમજ વૈદિક માન્યતાનું જ્ઞાન, દિશા માત્રથી કાંઈને કાંઈ મલશે, એવી મને મારા લેખની ખાત્રી છે. તેથીજૈનેતર સજજનેને મારી નમ્ર વિનંતી છે કે – આ વર્તમાન સમય સત્યજ્ઞાનના પ્રચાર કાર્યને છે. પરંતુ ષ ષને નથી, એમ આપ ખૂબ સમજે છે. આ સમયમાં ધર્મની બાબતમાં-સાધારણ માણસો તે યતે ભ્રષ્ટ, તતે ભ્રષ્ટના જેવી હાલત ભોગવી રહ્યા છે. જે આપ મારા ગ્રંથથી ઉપકાર થવા જેવું સમજે તે, જરૂર મેટા પ્રમાણમાં ફાલે આપી લેકે પકાર કરવામાં પાછી પાણી નહી કરે. યૂરોપના વિદ્વાને શ્રી કૃષ્ણને ઈતિહાસ રૂપે તે જરૂર કબૂલ રાખે છે. પરંતું ઈશ્વરરૂપે કબૂલ રાખતા નથી. બ્રહ્મા અને મહાદેવને, તેઓ વ્યકિતરૂપે સમજતા હોય તેમ લાગતું નથી. જૈનમાં શ્રી કૃષ્ણને ત્રણખંડ રાજ્યના ભકતા, નવમા વાસુદેવ (વિષણુ) રૂપે બતાવેલા છે. તેવી રીતે કેઈ અત્યંત પ્રાચીનકાલમાં નવ વાસુદેવામાંના પહેલા ત્રિપુષ્ટ વાસુદેવના પિતા, જે જિતશત્રુ રાજા થયા છે તેઓ પુત્રીને સંબંધ કરવાથી પ્રજાપતિના નામથી પ્રસિદ્ધમાં આવ્યા, તેથી વ્યક્તિ રૂપે તે જરૂર છે. પણ વૈદિકના પંડિતાએ બ્રહારૂપે જાહેરમાં મુકાયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy