SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૨૦૧ www * ૫ ગ્રંથકારને તે વિપરીત લાગ્યો એ પણ એક તેમની દષ્ટિનીજ ખૂબી છે, કહેવત છે કે- દષ્ટિ તેવી સૃષ્ટિ” તે પ્રમાણે થયું. (૨) કાશીના મહા મહોપાધ્યાય રામમિશ્ર શાસ્ત્રીજી લખે છે કે–જેનોને અનેકાંતવાદ તે એક એવી વસ્તુ છે કે–તેને દરેકે સ્વીકારવી જ પડશે અને સ્વીકારી પણ છે. सदसझ्या मनिर्विचनीयं जगत જ્યારે વસ્તુ સત્ નથી કહી શકાતી અને અસત્ પણ કહી શકાતી નથી તે કહેવું જ પડશે કે કઈ પ્રકારની સત હેઈને પણ તે કઈ રીતે અસત્ પણ છે એટલે અનેકાંતતાજ માનવી સિદ્ધ થઈ. ( જુવે “જૈનેતર દૃષ્ટિ એ જૈન” પૃ. ૮૨ થી ૧૦૦ સુધીને લેખ.) * (૩) કાશી હિંદુ વિશ્વ વિદ્યાલયમાં-દર્શન શાસ્ત્રના મુખ્ય અધ્યાપક શ્રીયુત ફર્ણ ભૂષણ અધિકારી જણાવે છે કે સ્યાદ્વાદનો સિદ્ધાંત ઘણું મહત્વ પૂર્ણ છે અને ખેંચાણકારક છે. એ સિદ્ધાંતમાં જૈન ધર્મની વિશેષતા તરી આવે છે, કેટલાકેએ ઉપહાસ્ય કર્યું છે એ અજ્ઞાનતાને પ્રતાપે જ, શંકરાચ ર્ય જેવા પણ એ દેવથી અલગ નથી રહી શક્યા, તેમણે પણ અન્યાય કર્યો છે. એવા મહાન વિદ્વાન્ માટે એ અન્યાય સર્વથા અક્ષમ્ય છે. તેમણે નાના લેકને સિદ્ધાંત કહી અનાદર કર્યો છે, તે જૈન ગ્રંથોને અભ્યાસ નહીં કરવાનું પરિણામ છે. (૪) દત્તાત્રેય બાલ કૃષ્ણ કાલેલકર કાકા-પૂર્વ રંગ” પૃ. ૨૪૩ માંલખે છે કે-જેનોના સ્યાદ્વાદનું તત્ત્વ હિંદુસ્તાનના આખા ઈતિહાસમાં ઘટાએલું આપણે જોઈએ છીએ ” જન્માં જેમ હાથીને જુદી જુદી રીતે તપાસે તેવી આપણું આ દુનિયાની સ્થિતિ છે. વાસ્તવિક સંપૂર્ણ સત્ય છે કે જાણતા હશે તે પરમાત્માને, આપણે ઓલખી શક્યા નથી. (૫) લક્ષમણ રઘુનાથ ભીડે- ચિત્રમય જગત્ ” વર્ષ ૧૧ સને ૧૨૫ ડિસંબર “જૈન સિદ્ધાંતના લેખમાં લખે છે કે–અનેકાંતવાદ ઉપર જણાવેલી અનાવડનંતત્વની માલિકા વાંચતાની સાથેજ અદ્વૈતવાદ જેન સિદ્ધાંતને અમાન્ય છે, એ દેખાઈ આવે છે. સાયુજ્ય મુકિત માનનારે દ્વૈતવાદ પણ તેને તેટલો જ અમાન્ય છે, કારણ મેક્ષ એટલે જીવાત્માએ શુદ્ધાત્મ તત્વમાં લીન થવું એમ જૈનિઓ પણ માને છે. જગતના મિથ્યાત્વ સંબંધે પણ તેમની વિચાર સરણી 26 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy