SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭૩ મું. શંકરદિગવિજયમાંથી બે ચાર વાતનો વિચાર ૧૯૩ (૨) બ્રહ્માના અવતાર મંડનને તે શંકરે હરાવ્યા હતા, પણ સરસ્વતી બહાલકથી નીકલીને મંડળની સ્ત્રી થવા આ લેકમાં આવેલાં તેમને કહ્યું હું, બ્રહ્માના અંગભૂત છું. મને જીત્યા વગર તમારી છત પુરી નથી. શંકરે આનાકાની તો ઘણએ કરી પણ ગાર્ગી સાથે યાજ્ઞવલ્કય આદિના વાદના દાખલા આપી પિતાની સાથે વાદ કબુલ કરાવ્યું. અને સત્તર (૧૭) દિવસ સુધી ચાલ્યું. છેવટે સરસ્વતીએ કહ્યું કે-સર્વજ્ઞ થઈને ફરે છે તે કામ કેલિનું સ્વરૂપ બતાવે. છેવટે માસની મુદ્દત માગી, સ્વામી પ્રપંચ કરવામાં કુશલજ હતા તેથી શિષ્યને આડુ અવલું સમજાવી મૃતક રાજાના શરીરમાં વિદ્યાથી પ્રવેશ કર્યો. તેની રાણીઓ સાથે કામ કેલિ ખૂબ કરી, મર્મ જાણને સરસ્વતીને પણ છતી લીધાં. થોડુંક વિચારવાનું કે-અનાદિકાલના બ્રાલેકના બ્રહ્મા, માંના મોટા જીના ઘાટ ઘડવામાં કુશલ, નવીન નર્વાન સષ્ટિ રચના કરતાં વખતે વખતે ચાર ત્રાષિએને ચારે વેકેનું જ્ઞાન આપનાર, એવા બ્રહ્મા શંકરથી હારી ગયા તે પછી તેમની સ્ત્રી સરસ્વતીના શા ભાર કે શંકરના આગળ ટકી શકે? જો કે અલંકારના ગ્રામાં અલંકાર હોય છે. પણ તેમાં અસદ્ભાવનાના વિષયેની કલ્પના સંભાવમાં અને સદભાવનાના વિષયની કલ્પના અસદભાવમાં કરેલી જોવામાં આવે છે. પરંતુ કેટલાક વૈદિક મતના પંડિતાએ તે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના વિષયમાં તે, કેવંલ અસદ્ભાવનાના વિષયમાં જગતના કર્તા હર્તા બતાવી વેદથી તે પુરાણ સુધી ગોઠવી, મોટામાં મોટા દેવેને આપ કરી, આખ્ખી દૂનીયાને જ ઉધે માગે ઘેરવાનો પ્રયત્ન કરેલો હોય તેમ નજરે પડે છે, તે ઘણા આશ્ચર્યની સાથે ખેદ પામવા જેવું થએલું છે. જુઓ આ વિષયમાં અમારે “તત્વત્રથી મીમાંસા” નામને ગ્રંથ. આજે તે સત્ય શોધને સત્યા સત્યને નિર્ણય કરવાને પુરેપુરે સમય છે પરંતુ જેમને હાય બાપને કે કરવું હોય તેમના માટે તે દુનીયામાં કઈ પણ ઉપાય દેખાતું જ નથી. સર્ગ ૧ લા થી ૧૦ મા સુધીની સત્યતાને વિઝાર કર્યો . હવે સગ ૧૧ થી રહેલાને વિચાર તપાસી જોઈએ-- સર્ગ ૧૧ મે, લેક ૭૫ – શૈલ પર્વને કાપાલિક-શંકરની સ્તુતિ કરીને કહેવા લાગે કે કઈ સર્વાનું કે રાજાનું મસ્તક હોમીશ તે તું સદેહથી રૂગે જઈશ એમ ભેરવનાથે 25 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy