SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ તત્ત્વી-મીમાંસા. ખંડ ર પહેલે જન્મ્યા હતેા તેમ મરણ પણ સથો વહેલા પામ્યા. તેણે પરલાકને મા શાથી કાઢયા તેથી પ્રેતેને–મરણ પામેલાં ને રક્ષિત કરેલા નિવાસ સ્થાનમાં દેરવી લઇ જવાના ભયંકર અધિકાર વેદમાં તેને સાંપવામાં આવે એ સ્વાભાવિક છે. આ અધિકાર પરથી એની પછીના અધિકાર પર જવુ એ એકજ પગથી” છે. એ પ્રેતાને ઉપરિ અધિકારી થાય છે. એ દરબાર ભરીને ન્યાયાધીશ તરીકે સભાને અધ્યક્ષ થાય છે ત્યારે ન્યાય સભાના બધા દાદા સાથે એ કામ કરે છે દફ્તર સાચવનાર અધિકારી તરીકે એની પાસે ચિત્રગુપ્ત છે, તે પોતાના અશ્ર—સુધાની નામના મેટા દફતરમાંથી માણસની જિંદગીને હેવાલ વાંચે છે. ત્યાર પછી દફતરે નોંધાયલા પુણ્યપાપમાં જે અધિક હોય તે પ્રમાણે યમ તેને માટે ફેસલો આપે છે અને પ્રેતેને આત્મા સુખી આત્માઓના સ્થાન સ્વર્ગમાં જાય છે કે તેના ગુના નાના માટે હાય તે પ્રમાણે હિંદુઓ જે ચોંકવીશ નરક માને છે તેમાંના એકમાં તેને માર્કો છે, અથવા પેાતાનુ ભવિષ્ય નકકી કરવા માટે તેને તરતજ પૃથ્વી પર મોકલી અન્યયેાનિમાં જન્મ આપવામાં આવે છે. મરણ સમયે હિંદુએ કૈટલીક વખત એવી કલ્પના કરે છે કે યમના દુતા ભયંકર રૂપ ધારણ કરીને અમને લઇ જવા આવે છે. મરી જાય છે એટલે સર્વના આત્મા લાગલાજ યમ પાસે જાય છે. એ મુસાફરી કરતાં ચાર કલાકને ચાળીસ મિનિટ લાગે છે. તેથી એટલે વખત ગયા પહેલાં શમને અગ્નિ સંસ્કાર કરી શકાતા નથી. પ્રેતના આત્મા યમના નિવાસ સ્થાનમાં આવે છે કે તરતજ તેના ન્યાય કરવામાં આવે છે. ત્યાં જવાના માર્ગ જોખમ ભરેલા છે. રસ્તામાં કર્યુંર ( કામર ચિત્રે ) અને યામ ( કાળા ) નામનાં કડતાં ધરાય નહિ એવા એ કુતરા ચાર આંખ ઉઘાડી, દાંત પીસી, અને નસકેારા પહેાળાં રાખી ચેકી કરે છે. પ્રેતના આત્માને એવી સલાહે આપવામાં આવે છે કે તારે જેમ અને તેમ જલદી એ કુતરાઓને વટાવી દેવા. એમ કહે છે કે એ કુતરા યમના કિંકર તરીકે મનુગ્યામાં ભટકે છે. અને બેશક તેમનેા હેતું, માટીનુ ખાળીઉ તજી દઈ જ્યાં આત્માએ જવાનુ છે તે યમપુરીમાં પેાતાના શેઠની પાસે તેને લઇ જવાના છે. દસ્તાવેજ નોંધનાર ચિત્રગુપ્ત ઉપરાંત યમની પાસે પેાતાની આજ્ઞના અમલ કરવા સારૂ ચડે અને કાળ પુરૂષ નામના બે સેવકે છે. એના જાસુસા-રાજ ખિજમતમાં રહેનારા નેકરા-યમા પ્રેતના આત્માઓને લઇ આવે છે . અને સભાગૃહને બારણે વૈધ્યટ નામના ચાકીદાર બેસે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy