SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વનયીની પ્રસ્તાવના. અમાં થોડુંક વિચારવાનું કે ચારે વેદ ઈશ્વરથી પ્રાપ્ત થએલા બતાવ્યા છે તે ક૯પના કેવળ જૂઠી કરેલી માનીએ તો પણ તે કૃતિઓના લખવાવાળા ઋષિઓને તો પ્રાચીનમાં પ્રાચીન માનવા પડશે કે નહીં? તેઓને તે અગ્નિ, મરૂત અને સૂર્ય આ ત્રણ દેજ મેટા જણાયેલા છે. આ ત્રણ દેવની મહત્ત્વતા જેન બૈદ્ધની વિશેષ જાગૃતિમાં નહી જેવી થઈ પડેલી હોવાથી, ત્યાર બાદ કેઈ લાંબા કાળે બ્રહ્મા, વિષણુ અને મહાદેવ આ ત્રણ દેવે કલ્પવા પડયા, એમ તે માનવું જ પડશે. તો વિચારવાનું કે આ ત્રણ દેવોને કયા ગુણ વિશેષથી મોટામાં મોટી સત્તાવાળા પુરાણોથી તે વેદ સુધીમાં દાખલ કરી દીધા ? અને તે કયો જ્ઞાનીથી મેળવ્યા ? આ ત્રણ દેવામાંના બ્રહ્મા કે જે ચારે વેદથી જગત્ના કર્તા હર્તા લખાયા છે તે પાછલથી કઢિપત રૂપે ઘુસાડેલા ખરી કે નહીં ? કપિત રૂપેજ ઘુસાડેલા છે એમ માનવું જ પડશે. જુવ પુરાણમાં લખાયેલા બ્રહ્માના ગુણોપુત્રીની સાથે અનીતિ કરવા વાળા, લિંગને પત્તો નહી મળવા છતાં આવીને જૂઠ બોલવાવાળા, ગોપ કન્યા પરણીને સાવિત્રીના અપરાધી બનેલા, પુત્રીની પાછળ જતાં બ્રાહ્મણેથી અને દેવતાઓથી પણ નિંદાયેલા, એટલું જ નહી પણ વ્યાધ રૂપ શિવના બાણથી વીધાઈને મૃગ નક્ષત્ર રૂપે બનેલા ઈત્યાદિક અનેક વિકારવાળા બ્રહ્ના કયા ગુણ વિશેષથી જગના કર્તા હર્તા થઈ ચારે વેદમાં ઘુસ્યા? એ વેદોની મહત્ત્વતા કેટલી ? અને એ બધા લેખકે સત્યવાદી પણ કેટલા? અને આ બધું ધાંધલ કયાંથી ઉઠયું ? મને તે એમજ લાગે છે કે સર્વના સત્યતાના વિરોધમાંથીજ ઉઠયું છે ! પ્રથમ બ્રહ્માનુજ સ્વરૂપ ટુંક રૂપે જણાવ્યું છે. હવે વિષ્ણુમાં વિકાર કયાંથી થયો? કેવી રીતને થયે? જેવી રીતે થયે છે તેવી રીતને ટુંક રૂપથી જણાવીએ છિએ. જૈન વૈદિમાંના વાસુદેવાદિક ત્રિકની ટુંકમાં નોંધ વાસુદેવ કહે,વિષ્ણુ કહે એ બધા આ લોકમાં ભારત લેકમાં)ત્રણ ખંડ રાજ્યના ભક્તા મહાન રાજાઓજ થયા છે. અનાદિકાળના નિયમને અનુસરીને આ ચાલતી અવસર્પિણીમાં નવ ત્રિકોજ થએલાં છે. તેમને ઇતિહાસ કમવાર જૈન ગ્રંથમાં તદ્દન ટુકરૂપે લખાયેલું છે. તેમાંનું પહેલું ત્રિક નીચે પ્રમાણે– અગીયારમા તીર્થંકરના સમયમાં જે પતનપુરના રાજા જિતા હતા, તે પુત્રીના સંબંધથી પ્રજાપતિના નામથી પ્રસિદ્ધ થયા હતા. તેમને જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy