SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૭ મું. જનકના પૂર્વજ નિમિ, અને પતિ વિપરીતા કેયી. ૨૮૭ આવી તકરાર કરવા લાગતાં રાજાએ તેમને દર્શન પણ દીધું નહિ. વસિષ્ટ રાજાને શરીર પી જવાને શાપ દીધે, અને રાજાએ પણ વસિષ્ટને પી જવાને શાપ દીધે વસિષ્ટ બીજા દેહને ધારણ કર્યો. બ્રાહ્મણોએ નિમિરાજાને જીવાડ વાને યત્ન કરતાં નિમિ રાજાએ માણસોનાં નેત્રોની પાંપણમાં નિમેષરૂપે રહેવાનું સ્વીકાર્યું. (ભાગવત નવમ કંધ.) - આમાં જરા વિચારીએ–વસિષ્ટજી ઈદ્રને યજ્ઞ કરવા કયા રસ્તાથી ગયા ? ઈદ્રક આજે હશે ખરું? યજ્ઞની ધામધૂમ કેમ નહિ દેખાતી હોય ? નિમિએ માણસની પાંપણેમાં કેટલા કાળ સુધી રહેવાનું સ્વીકાર્યું? પિતે એકલા બધા માણસની પાંપણમાં કેવી રીતે પહોંચી વળ્યા? બ્રાહ્મણેમાં જીવાડવાની સત્તા હતી ખરી કે? જે હતી તે તે સમયે પિતાના માણસોને જીવતાં કેમ નહિ રાખ્યાં હોય? આમાં કઈ બાજુથી સત્ય મેળવવું? વાચકે વિચાર કરે. . ઈતિ જનકના પૂર્વજ નિમિ માણસની પિપણેમાં રહ્યા તેને વિચાર. પતિથી વિપરીત ચાલનારી હું, દુષ્ટ અવતારમાં ફરી કઈ થઈ. તુલસી. રા. અ. પૃ. ૨૭૪ ની ટેપમાં (આનંદ રામાયણમાંથી) “સહ્યાદ્રિ પાસેના કરવીર પુર નામના નગરમાં ધર્મદત્ત નામને એક બ્રાહ્મણ, રાત્રે પૂજનની સામગ્રી લઈને દેવપૂજન કરવા જતો હતો ત્યાં તેને એક વિકરાલ રાક્ષસી જોવામાં આવતાં તેણે ભયભીત થઈને તે રાક્ષસીની ઉપર તુલસીદલ યુક્ત પાણી છાંટયું, આથી નિઃપાપ થએલી તે રાક્ષસી પ્રણામ કરીને બેલી કે “હું સૌરાષ્ટ્ર દેશના રહેવાસી ભિક્ષુ નામના બ્રાહ્મણની સ્ત્રી હતી. હું સ્વામીથી વિરૂદ્ધ ચાલતી હતી. પિતે મિષ્ટાન્ન ખાઈ સ્વામીને સૂકું ભેજન દેતી હતી. અને સ્વામી જે કંઈ કહે તેથી પ્રતિકુલ જ કરતી હતી ” મારા સ્વામીએ વિચાર કરીને એવી ટેવ રાખી કે જે કામ કરવાની પિતાની રૂચિ હોય તે કામ કરવાની ના પાડે. હું સ્વામીના કહ્યાથી વિપરીત કરતી હતી તેથી સ્વામીના મનોરથ પૂર્ણ થવા લાગ્યા. છેવટે મારાથી કંટાળીને સ્વામીએ બીજે વિવાહ કરતાં મેં ઝેર ખાઈને શરીરને ત્યાગ કર્યો. હું એ પ્રમાણે સ્વામીથી વિરૂદ્ધ આચરણ કરવા રૂપ પાપથી અનેક દુષ્ટ અવતારમાં ફરી ફરીને હાલ રાક્ષસી થઈ છું. હવે મારા ઉદ્ધારને ઉપાય કરે, આ સાંભળી પેલા દયાળુ ધર્મદત્ત બ્રાહ્મણે પિતાના એ વ્રતનું અધું ફળ તેણે આપ્યું અને દ્વાદશાક્ષર મંત્રથી તેના ઉપર અભિષેક કર્યો. આથી તે રાક્ષસી રાક્ષસપણાથી મુક્ત થઈ. વિમાનમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy