SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ Awwwwww રાક્ષસદ્વીપવાસી જેમ રાક્ષસ સંજ્ઞાથી ઓળખાતા તેમ વાનર દ્વીપવાસી વાનરના નામથી પ્રસિદ્ધ થયા. એ વત્પત્તિ નીચે મુજબ છે. અગીયારમા શ્રી શ્રેયાંસ તીર્થંકરના વખતમાં–કીર્તિધવલ રાજાએ પોતાના શાળા શ્રીકંઠને વાનરદ્વીપ આપી ત્યાંની કિષ્કિધા નગરીને રાજ્ય સિંહાસન ઉપર તેને બેસાડ એ દ્વીપમાં વાંદરે ઘણુ હતા. તેને જરાપણ સંહાર ન કરતાં તેઓનું અને પાનથી રક્ષણ કરતા. આથી એ દ્વીપના બધા માણસે જ્યાં ત્યાં વાનરની જ આકૃતિ ચિતરતા વાનરદ્વીપના રાજ્યથી અને જ્યાં ત્યાં વાનરેના ચિન્હથી તે દ્વિીપના માણસો પણ વાનરના નામથી ઓળખાતા. . દશમુખે (રાવણે) વાલીરાજાને કહેવરાવ્યું કે –તમારા પૂર્વજ શ્રીકંઠને મારા પૂર્વજ કીતિધવલે વાનરદ્વીપમાં લાવી રાખ્યા હતા. ત્યારથી તમે અમારી આજ્ઞા માનતા આવ્યા છે તે તમે મારી આજ્ઞા સ્વીકારશે, એમ કહેવડાવતાં બને વચ્ચે મોટું યુદ્ધ થયું. તેમાં રાવણ હાર્યો. વાલી પોતાના ભાઈ સુગ્રીવને રાજ્ય આપી અષ્ટાપદ પર્વત ઉપર તપ આદરી ધ્યાનસ્થ ઉભા હતા ત્યાં રાવણે તેમને જેવાથી દ્વેષને માર્યો, અષ્ટાપદ પર્વત સહિત તેમને ઉંચકી ફેંકી દેવા લાગે. આથી વાલી મુનિએ પર્વતને પગથી દબાવતાં દશમુખ છુંદાઈ રડવા લાગ્યા ! આથી તે દિવસથી તેનું બીજું નામ રાવણ પડયું. અયોધ્યાના દશરથ રાજા રાવણના ત્રાસથી અધ્યા છે રાજગૃહમાં રહેતા હતા. ત્યાં તેમને અપરાજિતા જેનું બીજું નામ કૌશલ્યા પટ્ટ રાણીથી પદ્ય (રામ) બલદેવની પદવીવાળો પુત્ર થયે. અને સુમિત્રાથી-લક્ષ્મણ વાસુદેવને જન્મ થયે. જેનું રાજાએ-નારાયણ એવું નામ પાડયું હતું. આ બે પુત્રોના પરાક્રમથી દશરથ રાજા ઈક્વાકુવંશના રાજાઓની રાજધાની પિતાની અયોધ્યા નગરીમાં પાછા આવ્યા, ત્યાં કેકેયીએ ભરતને જન્મ આપે. મિથિલાના જનક રાજાને પ્લેચ્છ રાજાઓએ આવી પડવા માંડશે. આથી જનકે પિતાના મિત્ર રાજા દશરથની સાહાસ્ય માગી. જેથી રામ અને લક્ષ્મણે ત્યાં જઈ તેઓને નાશ કર્યો. આ પરાક્રમથી સંતુષ્ટમાન થઈ જનક રાજાએ પોતાની અતિ રૂપવતી પુત્રી સીતા રામને આપી. પણ નારદ એક વખત જનકરાજાના અંતઃપુરમાં ગએલા ત્યાં સીતાએ તેમને દીઠા તેથી તે ભયપામીને બૂમ પાડવા લાગી, આથી દાસી વર્ગે નારદને સંતાપ્યા. નારદે વૈતાઢય પર્વત ઉપર આવી રથપુર નગરીના રાજા ચંદ્રગતિના પુત્ર ભામંડલને સીતાનું ચિત્ર બતાવ્યું. ચિત્ર જોઈ ભામંડલ નેહવશ થતાં, ચંદ્રગતિએ જનક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy