SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ તત્ત્વત્રથી--મીમાંસા. - ખંડ ૧ બેલ્યા કે-અરે રાજપુત્ર ! તારે શું કાળ આવી પહોંચે છે? બેલતા જરા સંભાળ રાખ સદાશિવનું ધનુષ તે શું બીજા સમાન ગણાય? લક્ષ્મણજી બોલ્યા કેરામે નવું જાણું હાથમાં લીધું સ્પર્શ થતાં તુટી ગયું તેમાં ક્રોધ શા માટે કરે છે. પરશુરામ–અરે શઠ? તું મારા સ્વભાવને જાણતા નથી કે હું ક્ષત્રિના કુળના વૈરી છું અરે જડ? સહસ્ત્રાર્જુનની હજાર ભુજાને છેદન કરનારા આ કુહાડાને જે? લહણ-આપણે કુહાડો જોઈને જ બેલાયું છે આપ બ્રાહ્મણ છે ક્ષમા કરે? છેવટે પરશુરામે વિશ્વામિત્રને કહ્યું તેપણું લક્ષ્મણે વાદ વિવાદ છેડયે નહિ. એટલે કુહાડે બતાવી મારવાને તૈયાર થયા. પછી મીઠાં વચનથી રામચંદ્રજીએ શાન્ત કર્યા, પણ ક્રોધ નહિ સમવાથી બોલ્યા કે–તારે ભાઈ માટે પાપી, મોઢામાં ઝેર વાળો હજુ હઠત નથી. છેવટે હાથ જો રામચંદ્રજી બોલ્યા કે–હે નાથ ! બાળકનાં વચન કાનપર નહિ ધરતાં જે કાંઈ કરવું હોય તે મને કરે. અપરાધી હું છું. હે રામ! તારો ભાઈ તારી સમ્મતિથીજ બોલે છે અને તૂ છળથી હાથ જેને છળ કરે છે. આ બધુ છળ છોડી દે નહિ તે હું તને અને તારા ભાઈને મારી નાખીશ. એમ કહી કુહાડે લીધે-રામે માથું નમાવ્યું અને કહ્યું કે મને અનુચર જાણું આપણું રીશ ઉતરે તેમ કરે, જા, જા, આ બધુ છળ છે દે અને રામનામ છે દે ? રામ બેલ્યા કે—મારું નામ રામ અને તમે પરશુરામ તેથી અમે હારેલાજ છીએ. માટે અપરાધના ક્ષમા કરે ! પછી પણુંરામ બેલ્યા કે-તું મને બ્રાહ્મણરૂપે સમજે છે પણ મારા ક્રોધરૂપી યજ્ઞમાં મોટા મેટા રાજાઓને પશુપે બનાવીને હેમી દીધા છે, મારે પ્રભાવ તું જાણતો નથી તેથી ગર્વ ધરીને બોલ્યા કરે છે. પછી રામચંદ્રજી બોલ્યા કે હે મુનિ ! જરા વિચારીને બેલે? અમે તો તમને બ્રાહ્મણ જાણી માથું નમાવ્યું છે. પણ તમારાથી ડરીને નહિ. અમારા આગળ કેઈપણ ઉભા રહેવાને સમર્થ નથી. તે પછી તમે કોણ માત્ર છે? આવાં કોમળ અને ગુઢ અર્થવાળાં વચન સાંભલતાજ પરશુરામનાં પડલ ઉઘડ્યાં અને બોલ્યા કે આ વિષ્ણુનું ધનુષ ૯ અને ચઢાવે. એમ કહી ધનુષ આપતાંજ એની મેળેજ ચી ગયું અને પરશુરામના મનમાં વિસ્મય થયે. અથવા ધનુષ દેતાં-પરશુરામને પિતાને ઇશ્વરાંશ ચઢી ગયે અને વિસ્મય થઈને સ્તુતિ કરી પછી વનમાં તપ કરવાને ચાલ્યા ગયા. આ વિવાદ ઘણે ભેટે છે તે રામાયણથી જોઈ લે. છે ઇતિ વૈદિક રામાયણ-૬ ઠા અવતાર પરશુરામ અને સાતમાં રામ બેના મેલાપે ઝઘડે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy