SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ તત્ત્વત્રયી–મીમાંસા. " નં. ૧ સ્વરૂપ લઈને જ દેવરાજ બ્રાહ્મણના નામથી કથા ગોઠવાઈ હોય તેવું ભાસ વિચારી પુરૂષેને સહજ થઈ શકે તેમ છે. જુ શિવપુરાણ મહામ્ય અધ્યાય પહેલા અને બીજામાં-- પહેલા અધ્યાયમાં શિવપુરાણને મહીમાં એટલો બધો કહેવામાં આવ્યું છે કે-મેક્ષ આપવામાં ન તે અશ્વમેધાદિક યા છે. નતે બીજા પુરાણ છે. તેમજ નતે વેદાદિક શા પણ છે. માત્ર એક શિવપુરાણજ કલ્યાણ કરવાવાળું છે. એમ કહીને બીજા અધ્યાયમાં કથા મૂકી છે તેને સાર એ છે કે દેવરાજ નામના બ્રાહ્મણે ચારે જાતિના માણસને મારીને ધન ભેગું કર્યું. માતાદિક સર્વેને મારી નાખી છેવટે વેશ્યાની સાથે એક પાત્રમાં ખાતે રહયે. છેવટે શિવપુરાણ સાંભળતાં તાવથી મુએ. યમના દૂતે અને શિવના ગણે લેવા આવ્યા. ખેંચતાણ થતાં છેવટે શિવનાગણે” શિવપુરીમાં લઈ ગયા, ઈત્યાદિક ઘણું લખાણ છે. દિક મતથી એકાદશીના સંબધે બલિદાનવની કથા. ભક્ત એવા બલિને પાતાળમાં બેસી ભગવાન તેની પાસે રહ્યા સ્કંદપુરાણમાંથી ઉધરેલી ભાદરવા કૃદિ. ૧૧ ની કથા. ૩૮ ને સાર. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના પ્રશ્નમાં કહે છે કે–પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામને દાનવ થયો. તે મારે ભકત હતો. મારી અને બ્રાહ્મણોની પૂજા કરતે અને યજ્ઞ કમ પણ કરતો હતો. પરંતુ ઈંદ્રને દ્વેષી થઈ બધાએ દેને તેણે જીથી લીધા અને મારે આપેલે આ લેક પણ તેણે જીતી લીધું. દેવતાઓ દેવત્રષિઓને લઈ મારી પાસે આવ્યા અને મારી પૂજા સ્તુતિ કરી, પછી મેં વામનરૂપ પાંચમા અવતારે બાળક રૂપથીજ બ્રહ્માંડનું રૂપ ધરી તેનું જે કાંઈ હતું તે બધું લઈને ઈંદ્રને સોંપી દીધું અને બલિ પણ ઈદ્રના સ્વાધીન કરી દિધે. પછી યુધિષ્ઠિરે પૂછ્યું કે તમે એ વામનરૂપથી તે બલિને કેવી રીતે જીતી લીધે? ઉતરમાં ભગવાન કહેવા લાગ્યા કે મેં અલીક બાળક રૂપ ધારણ કરી પ્રાર્થના કરી કે હે બલિ? તું મને ત્રણ પગલાં જમીન આપ? જ્યારે મેં દબાણ કર્યું ત્યારે તેણે ત્રણ પગલા જમીન આપવાનું કબૂલ કર્યું. પછી મેં સંકલ્પ માત્રથી દેહને વધાર્યું એટલે ત્રિવિક્રમ રૂપે થયું–ભૂલાકમાં બે પગરૂપ, ભુવર્લોકમાં બે જાનુરૂપ, સ્વર્ગાકમાં કટિરૂપ, મહર્લોકમાં ઉદર રૂપ, જનલોકમાં હૃદયરૂપ, તપલેકમાં-કંઠરૂપ, સત્યલોકમાં મુખરૂપ, અને ઉર્ધ્વમાં માથા રૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy