SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ . પ પપપપ પપપ . પપપ પ ક પus પ્રકરણ ૩૩ મું. વૈદિકે-રામાયણ-રકંદ શિવ પુત્રના વિષ્ણુને બલિ. ૨૪૧ “ugg? હવે નિત્યપ્રતિ ભગવાનને-પર (બાવન) રૂપ રાખવાં પડતાં હતાં કેમકે ભગવાનને માલમ ન હતું કે રાજા બલી કયા દરવાજે નીકળશે. શી સખ્ત જેલની કમબખ્તી ભગવાનને આવી પડી? પુરાણીએ રાજા બલિને અમર કહે છે અને પાતાલમાં વાસ બતાવે છે, તે હાલ પણ પાતાળ અર્થાત્ અમેરિકામાં બલિ મેજુદ હેવી જોઈએ તથા તે પર (બાવન) દરવાજાનું મકાન તથા ભગવાનને પેરે પણ જોઈએ તો પીરાણીઓ તાર કાગળ દ્વારા કેમ ખબર અંતર લેતા નથી. અગર જાતે જઈ દર્શન કરી મુકત કેમ થતા નથી. અહિં દેશનું સત્યાનાશ કરી શા માટે રહ્યા છે ?” ઈતિ વૈદિકે રામાયણને વિષ્ણુ અને બલિનું સ્વરૂપ લીધેલું શંકાકેશથી. રકંદપુરાણ પ્રથમખંડ. અધ્યાય ૧૮ મે ૧૯ મે “બલિ રાજા પૂર્વ ભવમાં એક ધૂર્ત હતે, ગણિકાને તાંબૂલ આપતાં ભૂમિ ઉપર પડયું. તે શિવને અર્પણ કર્યું તેથી તેનું બધું પાપ નાશ પામ્યું મરણ પછી યમની આજ્ઞાથી સાડાત્રણ ઘી ઈદ્રનું પદ મળ્યું. અગસ્તિ આદિને ઐરાવણદિકનું દાન આપ્યું. સાડા ત્રણ ઘી પછી પૂર્વેના ઈદે પિતાનું સ્થાન લીધું, દાનમાં આપેલા હાથી આદિક મેળવવા ઈદ્ર યમને પ્રાર્થના કરી. યમે ચિત્રગુપ્તને આદેશ કર્યો કે હાથી આદિક પાછા મંગાવે અને બલિને નરકમાં મોકલે. ચિત્રગુપ્ત કહ્યું કે બલિ નરકને એગ્ય નથી. એમ કહી પ્રલ્હાદની સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરાવ્યું. ઇદ્ર બ્રાહ્મણ રૂપથી બલિના બાપ વિરેચનનું માથું માગ્યું. પછી બલિને જન્મ થયો. બલિએ ઈંદ્રાદિકને હરાવ્યા અને સ્વર્ગનું રાજ્ય લીધું પણ શુક્રાચાર્યની સલાહથી બલિ ભૂમિ ઉપર આવી નર્મદાના તીર ઉપર રહ્યા. અશ્વમેઘાદિક (૧૦૦) યો કરવા માંડ્યા. અદિતિના તપથી સંતુષ્ટ થઈ ભગવાન બટુકરૂપે યજ્ઞમાં ગયા. અને બલિની પાસે ત્રણ પગલાં જેટલી ભૂમિની યાચના કરી. આપતી વખતે શુક્રાચાર્યે ના પાડી પણ માન્યું નહિ ત્યારે શાપ આપ્યો કે ગુણ વિનાને નિઃશ્રીક “થા” ભગવાને બેજ પગલાથી બધું માપી લીધું અને કહ્યું કે ત્રિનું પગલું ક્યાં મૂકું? તેવામાં બલિની સ્ત્રીએ પ્રાર્થના કરી તેથી બલિને સુતલા પૃથ્વીમાં જવાની આજ્ઞા કરી. બલિએ કહ્યું મારે તે તમારા દર્શનની જરૂર છે. ભગવાને પણ બલિની પાસે રહેવાનું કબૂલ કર્યું ઈત્યાદિક ઘણું વિવેચન છે તે જોઈ લેવું. શિવપુરાણને દેવરાજ બ્રાહ્મણ વળી શિવપુરાણ તરફ દ્રષ્ટિપાત કરી જોતાં આ બલિ રાજાના પૂર્વભવનું જી / 4 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy