SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ જલમય આકૃતિવાળાં એક બીજાથી સ્પર્શ કરતાં બનાવ્યાં. મર્યાદા વિસ્તૃત થતાં તે બન્ને જુદાં પડયાં. (૧૩) યજુર્વેદમાં—વિરાટ પુષથી વિશ્વની રચના થઈ. બાદમાં પણ એજ મતલબનું પુરુષ સૂક્ત છે-સાયણાચાર્યનો અને સ્વામી દયાનંદજીને કરેલે અર્થ અમેએ આપેલ છે ત્યાંથી વિચાર કરવાની ફરીથી ભલામણ કરું છું. વૈિદિકના દેવામાં જગતકર્તાની માન્યતા સત્યરૂપે થઈ હશે કે અસત્ય રૂપે રૂપે ? તેમાં કિંચિત્ મારા વિચારો— (૧) પ્રથમ કૂર્મ પુરાણના નારાયણ દેવ, તે તે વિષ્ણુ ભગવાન જ ભાસે છે તેમણે તો એક સમયે ધનુષ બાણ ચઢાવી ધ્યાનમાં બેઠા પછી જંગલની ઉધઈઓની કારીગરીથી પોતાનું માથુ કપાવ્યું, વિશ્વકર્માએ સૂર્યના ઘોડાનું માથું કાપી બંધ બેસતું કરીને આપ્યું ત્યારથી હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ થયા તે પછી તેમનાથી બ્રહ્મા અને મહાદેવ શી રીતે ઉત્પન્ન થયા અને તેમણે જગતની રચના કયા કાલમાં અને કેવા સ્વરૂપથી કરી ? આ વાત શું તદ્દન અસંભવિત નથી ?. (૨) બ્રહ્મ વવના પંડિતે તે નેવાના પાણી મોભે ચઢાવ્યાં-કેમકે નાભિ રાજાએ પુત્રની ઈચ્છાથી યજ્ઞ કર્યો. વિષ્ણુ ભગવાને કવિ જેની નમ્ર પ્રાર્થનાથી ઋષભદેવ પણે ઉત્પન્ન થવાનું કબૂલ કર્યું. અને તે પ્રમાણે આઠમે અવતાર ધારણ કર્યો. એ પ્રમાણે કૃષ્ણ સુધીના ત્રેવીશે અવતાર વિષ્ણુએજ લીધા છે. તે પછી કૃષ્ણથી વિષણુ કેવી રીતે? જે કવિને આટલી સામાન્ય વાતની ખબર નથી તે શું જગની સ્થિતિનું સ્વરૂપ બતાવવાને લાયક છે ? (૩) શિવપુરાણવાળાએ પણ ભેજ પાણી ચઢાવ્યાં છે. કેમકે–શિવજી દ્વાપરના-વિષ્ણુ, બ્રહ્મા–તાકૃત યુગના, કેવી રીતે ઉત્પન્ન કર્યો.? (૪) દેવીભાગવત વાળાએ પણ ગપ મળતી ગપ્પજ ગોઠવી દીધી. વિચાર કરીને પુછે એવું જ કેણ હતું ? વિચાર જણાવવાની જરૂર પણ નથી જેતે. (૫) મંડૂકઉપનિષદમાં-અવિનાશી-આદિના કે અનાદિના ? રૂપ રંગ વિનાના અવિનાશી માનીએ તે-પહાડે, પર્વતે અને સમુદ્ર વાળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy