SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ તત્રયીની પ્રસ્તાવના. ૧૮૮ ~~ ~ ~ ~ ~~~ વિચાર થાય છે કે-જ્યાંથી એ જીવ માણસ રૂપે થવાને આવ્યું ત્યાંથી કમ લઈને આવ્યું હશે કે કર્મ વિનાને? અને અહીં એકલાં કર્મને મુકીને પતે કયે ઠેકાણે જઈને ઘુસી બેઠો ? અને તે એકલાં કર્મ કેવું સ્વરૂપ ધારણ કરીને ૮૪ લાખ છની નિમાં ભટકવા લાગ્યાં? અને તે કર્મના વડે પિતે કેવા સ્વરૂપથી તે ગતિમાં પ્રાપ્ત થતાં સુખ દુખને, અનુભવ કરવાને લાગે? આ ઉપનિકારે શું લેકેને બ્રહ્મજ્ઞાન આપવાને નીકળ્યા છે કે, અગડ બગડે લખીને-દુનિયાને ભ્રમજાળમાં ભટકાવી મારવાને, ઉભા થયા છે. પુકતપણે વિચારવાની ભલામણ કરું છું. આ જગપર—એકડોનલ શાહેબ-સં. સા. ના પૃષ્ઠ. ૨૮૭ માં કહે છે તે ફરીથી વિચારવાને મુકું છું— આ ઉપનિષદ્ ગ્રંથમાં–પરમાત્માનું ખરું સ્વરૂપ સમજવાને માટે, સર્વત્ર ભારે ગડમથલ ચાલી રહેલી જોવામાં આવે છે, અને એ ગડમથલને પરિણામે-કેઈવાર એક રૂપક વાપરવામાં આવ્યું હોય તે, કઈવાર બીજું રૂપક વાપરવામાં આવ્યું હોય, એવું બન્યું છે–ઉદાહરણ તરીકે-વૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કય ઋષિ, સંસાર છે વનમાં જવાની તૈયારી કરતા હોય છે તે વખતે, એની આ મૈત્રેયી એને પ્રશ્ન કરે છે, તેના જવાબમાં એ કહે છે–જેવી રીતે એક મીઠાને ગાંગડે, પાણીમાં નાખ્યા હોય તે તે પાણીમાં ગળી જાય, અને તેને પાછા બહાર કાઢી શકાય નહીં, પણ પાણી જયાંથી ચાખે ત્યાંથી ખારૂને ખારૂ લાગ્યા કરે, તેવી રીતે મહાસત્તવ અનંત છે, અપાર છે, વિજ્ઞાનને જલ્થ છે, આ મૂળતત્ત્વોમાંથી બહાર નીકળીને, એમાંને એમાંજ એ પાછું વિલીન થાય છે, મરણ પછી ચેતન્ય રહેતું નથી, કારણ કે યાજ્ઞવલ્કયે આગળ આગળ સમજાવ્યું છે તે પ્રમાણે, જે દ્વૈતભાવ ઉપર ચેતત્યને આધાર રહે છે, તે જતો રહ્યો, એટલે ચિતન્યપણું જતું જ રહેવું જોઈએ.. વળી એજ ઉપનિષમાં-બીજે એક ઠેકાણે કહ્યું છે કે જેવી રીતે કળિયે, પિતાના તંતુઓ વડે બહાર નીકળે છે. જેવી રીતે ન્હાના ન્હાના તણખા-અગ્નિમાંથી બહાર નીકળે છે, તેવી રીતે એ આત્મામાંથી–સઘળા પ્રાણ, સઘળા લેક, સઘળા દેવતાઓ, સઘળાં પ્રાણિયો બહાર નીકળે છે.” - અહીં મારા વિચાર–વેદકાળના સમયમાં–કે વૈદિકપંડિતેના બતાવ્યા પ્રમાણે યાગાદિકના વિધાનથી, પિતાના કાર્યની સિદ્ધિ થતી માનીને, તે કાર્ય કરતા હોય. પરંતુ એક તરફ સર્વને, અને બીજી તરફ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy