SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1133
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૭ મું. જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૪૦૧ પ્રવૃત્તિ થયા પછી ઝાંખુ દેખાઈ રહ્યું છે, પણ તેજ સ્વરૂપ આર્યધર્મને ઉચામાં ઉચે આદર્શ છે. જૈનધર્મનું મૂળકામ, ધર્મના મૂલ ઉપર ફટકે મારનારા બ્રાહ્મણોને જે નાસ્તિક વાદ અને મહાવીરની સુધારણા પહેલાં-બ્રાહ્મણધર્મના વિધિવિધાનમાં જે કેવળ અત્યાચાર થએલે હતું તેને પાછો હઠા તે હતું. જૈન ધર્મને બૌદ્ધધર્મ એટલે જે તે વિસ્તાર થયો નથી, પણ તેનું જ મહત્વ હિંદુસ્થાન વળાને વધારે છે. કારણ જૈનધર્મવાળાની ક્રિયા શરૂ થવાથી, પાછળના વિચારોને વધારે થવાથી બચાવ થતે ગયે. જૈનધર્મનું ખરૂં મહત્વ ધર્મના અંગેની યથા પ્રમાણ વહેંચણી થવાને લીધેજ છે તેને છેડેઘણે ખુલાશે કરું છું. પ્રત્યેક ધર્મના- ૧ ભાવનદીપક-કથા પુરાણ, ૨ બુદ્ધિપૂર્વક તત્વજ્ઞાન અને ૩ આચારવÁક કર્મકાંડ, એ ત્રણ મુખ્ય અંગે હોય છે. ઘણાખરા ધર્મોમાં-વિધિવિધાન રૂપ જે કર્મકાંડ તેનો પ્રચાર થઈ, ઇતર બે અન્ગ ગૌણપણે થઈને રહેલાં હોય છે. અને ભાવનદીપક કથા પુરાણનું અંગ માત્ર લોકપ્રિય હોય છે. બૌધિક એટલે તત્વજ્ઞાનની અભિવૃદ્ધિ, આર્યન ધર્મનું મુખ્ય લક્ષણ હોય છે. પણ એ ત્રણે અંગેની એકલા જૈનધર્મમાં જ સરખા પણાથી વહેંચણી કરેલી હોવાથી, પ્રાચીન બ્રાહ્મણધર્મ અને બૌદ્ધધર્મ, એમાં બૌધિક અંગેનું વિના કારણ મોટાપણું બતાવેલું છે. - બીજા ધર્મના પ્રમાણમાં જનધર્મવાળાને કયું સ્થાન આપી સકાય? તેને નિશ્ચય કરવા, તેના અંતરંગને છેડે અધિક વિચાર કરીએ. જૈનધર્મને બધા ધર્મોથી વિશેષ મહત્વ કેમ પ્રાપ્ત થયું છે તેજ હું બતાવું છું. ' | દેવ વિષયેના સંબંધ, જૈનધર્મને પ્રમાણ તરીકે માનેલો મત, એજ તેનામાં પહેલી મોટી મહત્વની વાત છે. જૈનધર્મ મનુષ્યો ત્યારી (નરથી નારાયણ સુધી ચઢેલો) ધર્મ ઠરે છે. વૈદિકધમ, અને બ્રાહ્મણધર્મ, એ પણ મનુષ્યત્યારી છે ખરા, પણ તે કેવળ ઔપચારિક છે, કારણ દેવ એટલે કે મનુષ્યાતીત પ્રાણું છે, તેને મંત્રથી વશ કરી, ઈષ્ટ પ્રાપ્તિ કરી લેવું માની લીધેલું છે. પણ ખરૂં મનુષ્યત્સારી પણું જૈન અને બૌદ્ધમાંજ દેખાઈ આવે છે. બૌદ્ધને ઈશ્વરવિષયક મત ઘણજે જુદે બની ગયે છે, ભૂલમાંજ તે અનીશ્વરવાદી હતું કે કેમ? એ સંશય ઉત્પન્ન થઈ જાય છે. 51. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy