SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1126
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૨ હાથીને તપાસે તેવી આપણી દુનીયાની સ્થિતિ છે. આ વર્ણન યથાર્થ નથી એમ કોણ કહી શકે? આપણે આવી સ્થિતિ છે, એટલું જેને ગળે ઉતર્યું તેજ આ જગતમાં યથાર્થજ્ઞાની, માણસનું જ્ઞાન એક પક્ષી છે એટલું જે સમયે તેજ સર્વજ્ઞ. વાસ્તવિક સંપૂર્ણ સત્ય જે કઈ જાણતો હશે, તે પર માત્માને આપણે હજુ ઓળખી શક્યા નથી. આ જ્ઞાનમાંથીજ અહિંસા ઉદ્દભવેલી છે. સર્વજ્ઞ વિના બીજા ઉપર અધિકાર ચલાવી ન શકાય. પિતાનું સત્ય પિતાના પુરતું જ બીજાને તેને સાક્ષાત્કાર થાય ત્યાં સુધી ધીરજ રાખવી એવી વૃત્તિ તેજ અહિંસાવૃત્તિ. આખી દુનીયા શાન્તિને ખેલે છે, ત્રસ્ત દુનીયા ત્રાહિ ત્રાહિ કરીને પોકારે છે, છતાં તેને શાન્તિને રસ્તે જડતું નથી. બિહારની આ પવિત્ર–ભૂમિમાં શાન્તિને માગ કયારને નકકી થઈ ચૂકી છે પણ દુનીયાને તે સ્વીકારતાં હજ વાર છે. દુનીયા જ્યારે નિવકાર થશે ત્યારે જ મહાવીરનું અવતાર કૃત્ય પૂર્ણતાને પામશે.” ઈત્યાદિ : ૭ પુનઃ પૃ. ૧૧૨ થી જેમ આધુનિક તટસ્થ જૈન પંડિતના જૈનધર્મના તત્ત્વો જેવાથી વેદવેદાંતદિક એકાન્ત પક્ષના વિચારે ફરતા જાય છે તેમ પ્રાચીન કાળમાં પણ ઘણા પંડિતેના વિચારે ફરેલા છે. તેનું કારણ જૈનના પૂર્વાડપર વિરધરહિત અગાધ તત્ત્વનીજ ખુબી છે. જુવે કે સિદ્ધસેનસૂરિ, ધનપાલ પંડિત, હરિભદ્રસૂરિ એ ત્રણે બ્રાહ્મણ પંડિતેજ હતા. જૈન ધર્મના તનને સમજ્યા પછી જેવી રીતે આ આધુનિક પંડિતેએ પોતાના અભિપ્રાય પ્રગટ કર્યા છે તેવી રીતે તે પંડિતે પણ એજ કહી ગયા છે કે-હે વિતરાગ ભગવાન ? જે જે ઉત્તમ તને બીજા મતવાલાઓમાં દેખાય છે, તે તે જૈનધર્મના તત્વસમુદ્રમાં થી નિકલીને બહાર પડેલા બિંદુરૂપેજ દેખાય છે. એમ નિશ્ચયપૂર્વક સિદ્ધ છે ૮ પૃ. ૧૨૨ થી–હેમચંદ્રસૂરિજીના લેખને સાર–એમણે વીતરાગની સ્તુતિ કરતાં કહ્યું છે કે-હે ભગવન્! વેદ વેદાંતના મતવાલાનાં શાસ્ત્રો એકાન્તપક્ષવાળાં અને તમારાં શાસ્ત્રો-અનેકાંતપક્ષવાળાં, એટલું જ નહી પણ તેમનાં શા-હિંસાના ઉપદેશથી મિશ્રિત થએલાં અને તમારાં સર્વજોના હિતના ઉપદેશવાળાં, બીજા મતના આચાર્યોએ સરળ ભાવે કાંઈ અયુકતપણે કહેલું હશે, પણ તેમના શિષ્ય પરિવારે તે કાંઈનું કાંઈ ઉલટું જ કરીને કહ્યું છે. પણ તમારા શાસનમાં એ બનાવ બનવા પામ્યું નથી. તેમાં તો એ તમારા શાસનના બંધારણનીજ ખૂબી છે. બીજાના મતેમાં પૂર્વાપર વિધ, અયથાર્થપણું અને દેનાં ચરિત્ર પણ નિંદ્યપણાથી શાસ્ત્રનું બંધારણ થએલું છે. પણ હે ભગવન તમારા શાસ્ત્રમાં એમ બન્યું નથી. એજ તમારા શાસનની અલૌકિક ખૂબી છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy