SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1095
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૭ મું. જૈન તો વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતો. ૩૬૩ ઈ. સ. ની શરૂઆતમાં એણે એકંદરે આજનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યાર ? પછી વીતેલાં આ લગભગ બે હજાર વર્ષમાં અનેક વિષયોમાં–ખાસ કરીને વિશ્વવર્ણન અને સંત ચરિત્રે જેવામાં વિકાસ કર્યો છે અને સ્પષ્ટ સ્વરૂપ આપ્યું છે, છતાં તેમાં મહત્વને ફેરફાર કર્યો નથી. આ જે કહેવામાં આવ્યું છે તે સ્વાભાવિક રીતે માત્ર સામાન્ય દાર્શનિક ધર્મ સિદ્ધાન્તને જ લાગુ પડે છે, બાકી ધર્મક્રિયાઓના પરાક્ષ વિષયમાં તે કાળક્રમે અનેક ફેરફાર થયા છે. જેમકે હરિભદ્ર, હેમચંદ્ર આદિએ વર્ણવેલા જૈનધર્મના પેગ સિદ્ધાન્ત ઉપસ્થી જોઈ શકાય છે કે તેના પર હિંદુ સિદ્ધાન્તની ગાઢી અસર થઈ છે, અને જૈન મંદિરોમાં થતી ધર્મક્રિયાઓને હિંદુ આદર્શને અનુસરતો વિકાસ થયો છે. પણ ખાસ અસર તે જૈનધર્મની કથાઓ ઉપર હિંદુધર્મની કથાઓની થએલી છે. બ્રાહ્મણુધર્મના ઇતિહાસમાં આવતાં કૃષ્ણ વગેરે પુરૂષનાં આખ્યાન જૈનધર્મમાં આવ્યા છે તે ઉપરથી જણાય છે કે સંતચરિત્રેની ઇતર ધર્મની કથાઓમાંથી લોકપ્રિય પુરૂષને અંગીકાર કરવાના પ્રયત્ન થયા છે. આજે ઘણા જેને હિંદુ અને કેશ્વરમાંના દેવાની અને સંતની પૂજા કરે છે કે જેની પૂજા પ્રાચીન કાળે નહતી. અત્યારે પ્રચાર પામેલી ગણેશની પૂજા સંબંધે ઘણા શાસ્ત્રકારોએ કશો ઉલ્લેખ કર્યો નથી, તે ઉપરથી બેશક એમ જણાયજ છે કે જુના વિચારના લેકેને ઈતર ધર્મના આ દેવની પૂજા સામે વાંધો છે. . - જૈનધર્મમાં હિંદુ આચાર વિચારના આવા સ્વીકારને કમ છેવટના સૈકામાં સ્પષ્ટ રીતે વધતે ચાલે છે. કેટલા મોટા પ્રમાણમાં જૈનધર્મે હિંદુ સ્વરૂપ આજે ધારણ કર્યું છે, તે જૈન ધર્મના અનેક માસિક આને સપ્તાહિક પત્રે જેવાથી જણાશે. એ આવી સ્થિતિ સામે નિષ્ફળ વિરોધ કરી રહ્યાં છે. એમાં કંઈ આશ્ચર્ય નથી કે જે બ્રાહ્મણ ધર્મમાંથી જૈનધમ ઉભા હતે. (2) તે બ્રાહ્મણ ધર્મમાં પાછે એ ધીરે ધીરે લીન થતું જાય છે. ચારે બાજુના હિંદુ આવરણમાં રહીને નાના વિસ્તારવાળે જૈનસંઘ બ્રાહ્મણ આચાર વિચારની બળવાન અસરથી અલગ રહી શકે નહિ, પિતાને જુદે ધમ છે એવાતનુ એ સંઘ ભાન ભુવતે જાય છે, ને હિંદુધર્મમાં ભળી જાય છે. દિનપ્રતિદિન જૈનોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે એ આ વાતને સબળ પુરાવો છે. હિંદુસ્વરૂપ પામવું એ જૈનધર્મને કંઈ કઠણ નથી, કારણકે એના અને બ્રાહ્મણુધર્મના સિદ્ધાંન્ત વચ્ચે બહુ ગાઢ જંગ છે. બેશક હિંદુ ધર્મના બધા સંપ્રદાયના સિદ્ધાન્તથી અમુક જૈન સિદ્ધાન્ત ખાસ જુદા પડે છે, જેન ધર્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy