SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1094
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ આજે પણ પ્રમાણ આપે છે કે અમારા ધર્માં સૌથી સારા છે. કારણકે ખીજા ધર્મમાં ફેરફાર થયા છે. પણ જમાનાએ વીત્યા છતાં અમારા ધર્માંમાં કા ફેરફાર થઇ શકયા નથી અને અમને મળેલું ધન એવું પરિપૂર્ણ છે કે અમારા એ વારસા શુદ્ધ રીતે ને વગર ફેરફારે સચવાઇ રહેલા છે. આ કાડા છેડવા આપણે માટે કઠણુ છે. આપણે તે એટલું જ સ્વીકારી શકીએ કે એ ધનુ' સ્વરૂપ અને વિકાસ ઉપર કાળના પડદો ફરી વળ્યા છે અને એ સ્વરૂપ તથા વિકાસ જાણવા માટે આપણી પાસે કશા પુરાવા નથી. આપણી પાસે પ્રાચીનમાં પ્રાચીન જે ગ્રન્થા છે અને પછી બધા કાળમાં અમુક વિષયાને વિકસાવવાના અને સમસ્ત દનમાં મહત્વ વિનાના ફેરફાર કરવાનાજ પ્રયત્ના થયા છે. એ ધર્મના શ્વેતામ્બર અને દીગમ્બર એ એ સંપ્રદાયા ધર્મના મહત્વના વિચારામાં એક બીજાને પુરેપુરા મળતા છે, તેથી ખરી રીતે એમજ માની શકાય કે ઇસ્વીસનની શરૂઆતમાં એ બે સપ્રદાયા જુદા પડયા તે પહેલેથીજ આજે છે તે પ્રમાણેનું ધગરૂપ બંધાઇ ગયું હતું. સંપ્રદાય જુદા પડતાં પહેલા મહાવીર સ્વામીના ધમ ઉપર કેવા અને કેટલેા વિકાસ થયા હતા તે જાણી શકાતુ નથી. એજ પ્રકારના કે એને મળતા પ્રકારના ધર્માંના મુખ્ય વીચારા મહાવીરસ્વામી પુર્વે પણ પ્રવર્તતા હતા એમ માનવાને પણ કશા આધ આવતા નથી; મૂળ તત્ત્વોમાં કંઇ સ્પષ્ટ ફેરફાર થયા છે એમ માનવાને કશું' કારણુ નથી, અને તેથી, મહાવીરસ્વામી પહેલાં આખું જૈનદર્શન હતું એવી જે જૈનોની માન્યતા તે સ્વીષારી શકાય. જો આ માન્યતા સ્વીકારીએ. તા એવુ ઠરે કે મહાવીરસ્વામીએ જૈનધમ સ્થાપ્ટેા નથી. પણ એમની પૂર્વે ૨૫૦ વર્ષ પહેલાં થઇ ગએલા પાર્શ્વનાથના ધમને એમણે સ્વીકારી લીધે અને એને સમાચિત સ્વરૂપ આપ્યું હાય; કઇ વસ્તુસ્થિતિને આધારે આ મત બંધાયેા છે એમ માનવાને આપણી પાસે સ્પષ્ટ પુરાવા તેા નથી, પણ એની વિરૂધ્ધ જાય એવો પણ કશા પુરાવા નથી; જૈનધર્મનું સ્વરૂપજ આ વાતને ટેકો આપે છે, કારણકે પુદ્ગલના અણુએ આત્મામાં કની ઉત્પત્તિ કરે છે એ એના મુખ્ય સિદ્ધાન્તની પ્રાચીન વિશેષતાને કારણે એવા અમિપ્રાય બાંધી શકાય કે એનાં મૂળ ઇ. સ. પુર્વે ૮-૯ સૈકામાં છે પણ તેથીયે પ્રાચીન કાળમાં અમારા ધમ પ્રકટયા હતા એમ જૈના જે માને છે એના તા આપણાથી સ્વીકાર ના થાય, કારણકે એને માટે કેઇ સતાષજનક પુરાવા નથી અને હિં’દુઓના દન-શાસ્ત્રના પ્રાચીન ઇતિહાસ જોતાં એવુ સ્વીકારતાં વાંધા આવે છે. ત્યારે એટલું સ્વીકારી શકાય કે જેની રૂપરેખા આપવાના મેં પ્રયત્ન કર્યાં છે એ આજના જૈન ધર્મના ખીજ ઇ. સ. પુર્વે ૮૦૦ વર્ષ ઉપર નંખાયાં હતાં, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy