SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શન કરે. ૨૮૮ અભિન્ન હોવાથી પણ વિશેષણ અને વિશેષ્યગત ગુણ દોષને એક બીજામાં સંમિશ્રણ નથી થતું. જેમ શરીર વિશિષ્ટ આત્માની એક અથવા અભિન્ન રૂપથી પ્રતીતિ હેવાથી પણ વધવું ઘટવું શરીરમાં થાય છે અને સુખ દુઃખાદિનું ભાન આત્મામાં થાય છે એ જ પ્રમાણે પરમેશ્વરના શરીર ભૂત જીવ અને પ્રકૃતિમાં તે અજ્ઞાન અને વિકારત્વાદિદેષ રહે છે અને આત્મભૂત પરમેશ્વરમાં સર્વજ્ઞત્વાદિ ગુણ રહે છે પરંતુ વિશિષ્ટ એક અથથી અભિન્ન જ છે, ઉક્ત લેખથી જે અભિપ્રાય પ્રગટ થાય છે. તે ફુટ છે. ચિત્ અચિત વિશિષ્ટ બ્રહ્મા, વિશિષ્ટ રૂપથી સમુદાયરૂપથી એક અથવા અભિ છે. તેમ વિશેષણ અને વિશેષ્ય રૂપથી અનેક અથવા ભિન્ન છે. એ જ વિશિષ્ટાદ્વૈતને તાત્પર્ય પ્રતીત થાય છે, એથી સિદ્ધ થયું કે શ્રીકંઠાચાર્ય પણ વસ્તુથી અનેકાંતવાદના વિરોધી નથી કિંતુ શબ્દાંતરથી પ્રતિપાદક છે. ' વલભાચાર્યને તત્વાર્થ પ્રદીપ. પુ. ૧૧૪ થી , શ્રી વલ્લભાચાર્ય, શુદ્ધાત મતના સંપાદક છે. તેમને બ્રહ્મ શત્ર પર અણુભાષ્યના સિવાય-“તત્ત્વાર્થીપ” નામને એક નાને સટીક ગ્રંથ લખે છે. તે જોવાથી માલમ પડે છે કે—બ્રહ્મમાં સર્વ વિરોધી ગુણેને તેઓ સ્વીકાર કરે છે. તેમાં કેઈ અંશમાં અનેકાંતવાદનું સમર્થને થાય છે ફરક એટલો છે કે–અનેકાંતવાદ, વિરોધી ધમની એક પદાર્થમાં અવિરાધ, અપેક્ષા દૃષ્ટિથી માને છે અને વલ્લભાચાર્યે ઈશ્વરના વિષયમાં અપેક્ષાની કેઈ જરૂર નથી માનો તે તે સ્પષ્ટ શબ્દોમાં વિરોધી ગુણની સત્તાને ઈશ્વરમાં સ્વીકાર કરે છે. (પૃ. ૧૧૫ કલે. ૭૩ માંના-પ્રકાશ વ્યાખ્યાનો ભાવાર્થ બ્રહ્મ સર્વ વિધી ધર્મોને આશ્રય છે. તે કુટસ્થપણ છે, અને ચલ પણ છે, એક પણ છે, અને અનેક પણ છે ઇત્યાદિ. [ આ લેખથી જે કાંઈ પ્રતીત થાય છે તે પ્રગટ છે. બ્રા એક પણ છે, અને અનેક પણ, અચલ પણ, અને ચલ પણ ઇત્યાદિ રૂપથી જે વિરોધી ગુણની તેમાં સ્થિતિ બતાવી જાય છે તે અપેક્ષા કૃત ભેદના અનુસાર જ યુકિત યુકત સમઝી જાય છે અન્યથા નહીં, એટલા માટે આ પ્રકારનાં વાકય પણ અપેક્ષાવાદ. અનેકાંતવાદ નેજ સમર્થક છે. એવો અમારો વિચાર છે. . - (પચદશી), પૃ. ૧૧૫ થી શાંકર મતના અનુયાયી-વિદ્યારણ્ય સ્વામીએ વેઠ્ઠાંત વિષય પર પંચદશી નામને એક પ્રકરણ ગ્રંથ લખ્યો છે તે ગ્રંથમાં પણ રૂપાંતથી 37. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy