SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ તત્રયી–મીમાંસા. . 'ખંડ ૨ પ્રધાનની પ્રવૃત્તિમાં અનેકાંતતા ( પૃ. ૪૬ થી . સાંખ્યમાં-પ્રકૃતિને પ્રધાન માની છે. જેનાથી સમસ્ત જાત કાર્ય ઉન્ન થાય તે પ્રધાન કહેવાય. પ્રધાનની પ્રવૃત્તિ છે તે-ગતિ સ્થિતિ ઉભય રૂપની છે. સાંખ્યમતના પ્રાચીનાચાર્ય-પંચ શિખ કહે છે કે – સ્થિતિરૂપ પ્રધાન માને છે તેમાં વિકૃતિ ન થવી જોઈએ, ગતિરૂ૫ માને પ્રકૃતિમાં પ્રધાન ને વ્યવહાર ન રહે જોઈએ. માટે પ્રધાનમાં ગતિ સ્થિતિ ઉભયરૂપની જ પ્રવૃત્તિ માનવી જોઈએ છેવટમાં જૈનોના અનેકાંતવાદના સ્વીકારથી જ પ્રધાન શબ્દના ઉભય ધર્મ સચવાયા. આ પ્રધાન શબ્દમાં ઉભય ધર્મને સ્વીકાર ટીકાકાર વાચસ્પતિમિરો તથા ટીપણી કાર બાલરામે પણ સ્વીકાર જ કરીને બતાવે છે, '' (પૃ. ૪૯ થી) ઈશ્વરની પ્રવૃત્તિમાં અનેકાંતતા (શંકરસ્વામી) સાંખ્ય મતના પ્રધાન કારણવાદનું ખંડન કરતાં (બ્રહ્મ સૂ શાં, ભા. અ, ૨ પા. ૨ સૂ. ૪) જણાવ્યું છે કે--ત્રણ ગુણની સામ્યવસ્થા તે પ્રધાન છે, તેના ગુણજ પ્રધાનના પ્રવર્તક નિવત્તક છે. પ્રધાનથી પુરૂષ નિરપેક્ષ ઠરે તો મહદાદિકનું કથંચિત પરિણત થવું અને કદાચિત ન થવું, કેવી રીતે બને? ઈશ્વરમાં એ દેષ ટાલવા શંકર સ્વામી કહે છે કે-ઈશ્વર સર્વજ્ઞ છે. શકિતમાન છે, અને તેમની માયામાં પવૃત્તિ અને નિવૃત્તિ એ બનેને સંભવ છે. અર્થાત્ ઈશ્વરમાં વિરોધી ધર્મ રહી શકે છે.” જેનો પણ એજ કહે છે કે- પદાથોના વિરૂદ્ધ ધર્મોને અપેક્ષાથી જે વિચાર કરે તેનું નામજ અનેકાંતવાદ છે, • આ મોટા પંડિતો પણ પિતાના એકાંતપક્ષની અડચણે દૂર કરવા એકજ પદાર્થમાં વિરોધી ધર્મને સ્વીકાર કરે છે જેનો તે પ્રથમથીજ બધાએ વિરૂદ્ધ ધર્મોનો નાશ કરવા–અનેકાંતવાદને સ્વીકાર કરીને બેઠા છે, તે વાત આ મેટા પંડિતે કેમ નહી વિચારી શક્યા હોય? (સાંખ્ય તત્વ કૌમુદી ) (પૃ. પ૨ થી ) નિરીશ્વરવાદી સાંખ્યાચાર્ય--ઈશ્વર કૃષ્ણ રચિત સાંખ્ય કરિકા ઉપર સાંખ્ય તત્ત્વ કૌમુદી નામના ટીકાકાર વાચસ્પતિ મિશ્ર લખે છે કે-ધૂમજ્ઞાનથી વન્હિત્વરૂપ સામાન્ય વિશેષનું જ જ્ઞાન કરી શકાય ૧ એમ કહીને અનેકાંતવાદનું જ અનુસરણ કરેલું છે. મીમાંસા લેક વાર્તિક (પૃ. ૫૪ થી ) ૧ આ પંક્તિનો ખુલાશો કરતાં “સાધુ બલરામ કહે છે કે-અહી સામાન્ય વિશેષ ધર્મ છે એમ અનુમાન ન કરી શકાય, પણ વન્હિત્વ રૂપ સામાન્ય વિશેષનું જ અનુમાન કરી (જુવો પૃ. ૧૦૨, કા, ૫) શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy