SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1001
Loading...
Download File
Download File
Page Text
________________ ક . . ! પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૨૬૮ જૈમિનિ ઋષિ પ્રણીત મીમાંસા દર્શન પર-“તંત્ર વાર્તિક અને લેક વાર્તિક” આ બે મહાન ગ્રંથ પંડિત કુમારિલ ભટ્ટે લખ્યા છે. લેક વાત્તિમાં દાર્શનિક વિષયો પર ચર્ચા ચલાવતાં એકાંત પક્ષના વાદીઓને હટાવવા અનેકાંતવાદને ઉલ્લેખ સ્પષ્ટ પણે કરીને બતાવેલ જગજગપર નજરે પડે છે. આ જગપર અમે તેને કિચિત ભાવાર્થ માત્રજ લખીને બતાવીએ છીએ– લેક વાર્તિક વનવાદ પૃ. ૬૩૨ થી ૩૩ માં-લેક ૭૫ થી ૮૦ સુધીને ભાવાર્થ-- અવયવોથી અવયવી અત્યંત ભિન્ન નથી, પણ ભિન્ન ભિન્ન રૂપ છે. કેટલાક વિદ્વાનો એકાંત ભિન્ન, અને કેટલાએક અભિને, સિદ્ધ કરવાને યુક્તિઓ ઉપર યુક્તિઓ બતાવી રહ્યા છે. પરંતુ આજ સુધી એ નિશ્ચય ન થઈ શકે કે, કેને પક્ષ સત્ય, અને કેને અસત્ય, તેથી બને એકાંત પક્ષને બાજુ પર મુકીને મધ્યસ્થ ભાવને સ્વીકાર કરે એજ ઉચિત છે. ટીકાકાર પાર્થ સાર મિશ્રને અભિપ્રાય એ છે કે-જે લેકે અવયવ અવયવી, એકાંત ભિન્ન અથવા અભિન્ન, માને છે. તે જ લેકે અનેકાતવાતની સિદ્ધિ કરી રહ્યા છે. તે બંનેની યુકિતઓ એવી છે કે નતે સત કહી શકાય, તેમજ નતે અસત કહી શકાય તેથી એકાંત રૂપની માન્યતાજ મિથ્યા છે. અહીં શંકા કરવામાં આવી છે કે-અવયવ અવયવીને ભિન્ન ભિન્ન રૂપ માનવાથી, કઈ પણ એક પક્ષને નિશ્ચય ન થાય તે, સંશય જ્ઞાનની પેઠે અપ્રમાણિકપણું રહેવાથી બ્રાંત જ્ઞાન જ રહે, જેમ કે ઈ ઠુંઠામાં સ્થાણું હશે, કે પુરૂષ હશે, બેમાંથી એકને નિશ્ચય ન થવાથી અપ્રમાણિકતાજ રહે છે. આનાજ ઉત્તરમાં જણાવ્યું છે કે–વસ્તુ માત્રનું સ્વરૂપ અનેકાંત છે, પણ એકાંત રૂપનું છે જ નહી. જ્યાં અવડુ રૂપ જ્ઞાનનું અનેક રૂપથી ભાન થાય, ત્યાં સંશય હેવાથી અપ્રમાણિકતા થાય, પરંતુ અહી તે વસ્તુનું સ્વરૂપજ અનેકાંતપણાથી અંગીકાર કરેલું છે, તેથી કહેલા વિચારમાં અપ્રમાણિક્તા કે સંદેહ રહી શકતું જ નથી. કેમકે વસ્તુનું સ્વરૂપ એકાંત રૂપનું નથી, પરંતુ અનેકાંત રૂપનું જ છે. તેને માટે (પૃ. ૫૭ થી) કલેક વાતિકના પૃ.૧૩૧ માં શ્લેક ૨૧૯ ૨૨૦ ને સાર જુ વસ્તુ સર્વથા એકાંત રૂપજ છે એવું ઈશ્વરે કહેલું જ નથી. કારણ વસ્તુ સર્વદા એકજ રૂપમાં રહે છે તેમાં કઈ પ્રમાણુજ નથી. માટે વસ્તુ એક રૂપમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy