SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર કે ફળ આપવા પ્રવૃત્ત થયેલા કર્મોને પ્રારબ્ધ અદૃષ્ટ કહેવાય છે અને જન્માંતરમાં ફળ આપે તેવા કર્મને ઇતર અદૃષ્ટ કહેવાય છે. જ્ઞાની જ્ઞાન દ્વારા ઇતર અદૃષ્ટનો નાશ કરે છે, પરંતુ સર્વ કર્મનો નાશ કરતા નથી, તેથી જે પ્રારબ્ધ-અદૃષ્ટનો જ્ઞાનીએ નાશ કર્યો નથી, તેના દ્વારા જ્ઞાની જીવન જીવે છે. તેથી જ આ શ્લોકમાં ગીતાના વચનના આવા તાત્પર્યને સમજનારા વેદાન્તીઓ સ્વયં જણાવે છે કે ઉશ્રુંખલ વેદાન્તીનો મત વિચારણીય છે અર્થાત્ અસંગત છે, પરંતુ વાસ્તવિક્તા તો એ છે કે જ્ઞાનીનું શરીર પણ પોતાના પ્રારબ્ધ-અદૃષ્ટથી ટકે છે. ||૩૧// અવતરણિકા : જ્ઞાનીના સર્વ કર્મ જ્ઞાન દ્વારા નાશ પામતાં નથી, પરંતુ જ્ઞાનીને પણ પ્રારબ્ધ અદૃષ્ટ ભોગવવાના બાકી રહે છે. આ પ્રારબ્ધ અદષ્ટથી જ જ્ઞાનીનું શરીર ટકે છે, તેથી તે પ્રારબ્ધ અદષ્ટ સિવાયના કર્મ જ જ્ઞાનનાશ્ય બને છે,” આટલું જ્યારે વેદાન્તીઓ સ્વીકારે છે ત્યારે ગ્રંથકારશ્રી તેની માન્યતાને વધુ સ્પષ્ટ કરવા જણાવે છેશ્લોક : તરજોતરા જ્ઞાનના વીર્ત 1 लाघवेन विजातीयं, तन्नाश्यं तत्प्रकल्प्यताम् ||३२|| શબ્દાર્થ : 9. તત્ - (જે કારણથી પ્રારબ્ધ-અદૃષ્ટથી જ્ઞાની જીવે છે) તે કારણથી ર/રૂ. ૮ પ્રારબ્ધતરાઈ - જો (તમારા વડે) પ્રારબ્ધ કર્મ સિવાયના કર્મને જ ૪. જ્ઞાનનારૂછ્યું - જ્ઞાનથી નાશ પામે તેવા છે. ફુણતે - મનાય છે ૬. (ર્દ) ધવેન - (તો) લાઘવથી (તમારે) ૭/૮. વિનાતીયં ત - વિજાતીય એવા તે = કર્મને . તેનાથં - તેનાથી = જ્ઞાનથી નાશ્ય ૧૦. પ્રખ્યાતામ્ - માનવા જોઈએ. શ્લોકાર્થ | ભાવાર્થ : (જે કારણથી પ્રારબ્ધ-અદષ્ટથી જ્ઞાનીનું શરીર ટકે છે) તે કારણથી જો તમારા વડે પ્રારબ્ધતર અદષ્ટને જ જ્ઞાનનાશ્ય તરીકે ઇચ્છાય છે તો લાઘવ હોવાથી તમારે વિજાતીય એવા અદષ્ટની જ જ્ઞાનનાશ્ય અદષ્ટ તરીકે કલ્પના કરવી જોઈએ. વિશેષાર્થ : ગ્રંથકારશ્રી વેદાન્તીઓને કહે છે કે જો તમે એવું સ્વીકારો છો કે પ્રારબ્ધ-અદષ્ટથી જ્ઞાનીનું શરીર ટકે છે, તેથી માત્ર પ્રારબ્ધતર-અદૃષ્ટ જ જ્ઞાન દ્વારા નાશ પામે છે. તો પછી એ સ્વીકારવું વધુ ઉચિત લાગે કે જ્ઞાન દ્વારા વિજાતીય (જુદા જ પ્રકારના) કર્મ જ નાશ પામે છે, કેમકે એવું સ્વીકારવામાં લાઘવ ઇં સરલતા છે. જ્યારે પ્રારબ્ધતર-અદૃષ્ટને જ્ઞાનનાશ્ય માનવામાં ગૌરવ આવે છે; કેમકે જો પ્રારબ્ધ અદૃષ્ટથી ઇતર એટલે કે તે સિવાયના જ કર્મ જ્ઞાનથી નાશ પામે છે તેવું સ્વીકારીએ તો કયા કર્મ જ્ઞાનનાશ્ય છે, તે નક્કી કરવા માટે પહેલા પ્રારબ્ધ-અદૃષ્ટની ઉપસ્થિતિ કરવી પડે, પછી તેનાથી ઈતર અદૃષ્ટની કલ્પના કરવી પડે, અને તેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005562
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy